JAMNAGAR : વરસાદથી થયેલા નુકસાનના નિરીક્ષણ બાદ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની પત્રકાર પરિષદ, જાણો સહાય અંગે શું કહ્યું

મુખ્યપ્રધાને ધુંવાવની સરકારી શાળામાં ગામના આગેવાનો સાથે ચર્ચા કરી. નિરીક્ષણ બાદ જીલ્લા વહીવટી તંત્ર સાથે મુખ્યપ્રધાનન પટેલે બેઠક કરી હતી અને બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.

JAMNAGAR : વરસાદથી થયેલા નુકસાનના નિરીક્ષણ બાદ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની પત્રકાર પરિષદ, જાણો સહાય અંગે શું કહ્યું
Chief Minister Bhupendra Patel's press conference after the damage caused by rains in Jamnagar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 6:31 PM

JAMNAGAR : જામનગરમાં ગઈકાલે 13 સપ્ટેમ્બરે પડેલા ભારે વરસાદને પગલે પુર અને પાણી ભરાવવાથી અનેક જગ્યાએ તારાજીના દૃશ્યો સર્જાયા હતા તેમજ ભારે નુકસાની થઇ છે. આ નુકસાનીનું નિરીક્ષણ કરવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) જાત નિરીક્ષણ કરવા જામનગર પહોચ્યા હતા. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જામનગરના ધુંવાવ ગામ ખાતે જાત તપાસ કરી અને વરસાદી અસરનું નિરીક્ષણ કર્યું. મુખ્યપ્રધાને ધુંવાવની સરકારી શાળામાં ગામના આગેવાનો સાથે ચર્ચા કરી. નિરીક્ષણ બાદ જીલ્લા વહીવટી તંત્ર સાથે મુખ્યપ્રધાનન પટેલે બેઠક કરી હતી અને બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.

મુખ્યપ્રધાન પટેલે (CM Bhupendra Patel) કહ્યું કે જામનગર ગ્રામ્યમાં વરસાદને કારણે 4760 લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યાં છે અને 144 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મુખ્યપ્રધાને કહ્યું કે પ્રાથમિક નિરીક્ષણમાં 41 હજાર હેક્ટર જમીનને નુકસાન થયું હોવાનો અંદાજ છે. તેમણે કહ્યું સફાઈ, આરોગ્ય વગેરેની ટીમો બનાવીને તેમજ સર્વેની ટીમે અત્યારે કામ કરવાનું શરૂ કરી દીધું છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કહ્યું કે 84 ગામોમાં વીજળી ગઈ છે એ આવતીકાલ 15 સપ્ટેમ્બર સાંજ સુધીમાં 100% પૂર્વવત થઇ જશે.

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel)કહ્યું કે જામનગર શહેરમાં પણ અમુક નીચાણવાળા ભાગોમાં રેસ્ક્યુની ટીમ દ્વારા 724 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યાં છે અને 1146 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. લગભગ 10 હજાર ફૂડ પેકેટ બનાવી વિતરણ કરવા માટે આપી દીધા છે. મુખ્યપ્રધાન પટેલે કહ્યું કે કમિશ્નર તેમજ સફાઈ અને આરોગ્યની ટીમ જેટલું બને એટલું ઝડપથી સફાઈ થઇ જાય અને રોગચાળો ન ફેલાય તે દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કહ્યું કે વરસાદના કારણે ખેતીની સાથે પશુધનને પણ નુક્સાન થયું છે, જેનો પણ સર્વે કરવા માટે આદેશ આપી દેવાયા છે. વરસાદથી થયેલી નુકસાનીની સહાય અંગે મુખ્યપ્રધાને કહ્યું કે સર્વેના જે રીપોર્ટ આવશે ત્યારબાદ સહાય અંગે વિચારણા કરવામાં આવશે.

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સાથે જામનગરના સાંસદ પૂનમ બહેન, પૂર્વ મંત્રી હકુભા જાડેજા, ધારાસભ્ય રાઘવજી પટેલ,મેયર તેમજ અન્ય પદાધિકારીઓ,મુખ્યસચિવ પંકજ કુમાર, કમિશનર વિજય ખરાડી,કલેકટર સૌરભ પારઘી વગેરે પણ જોડાયા હતા.

આ પણ વાંચો : AHMEDABAD : સાણંદમાં દોઢ વર્ષ પહેલા થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, હત્યા પછાળ ચોંકાવનારૂ કારણ સામે આવ્યું

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">