JAMNAGAR : ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગરની કારોબારી બેઠક યોજાઈ, વિવિધ ઠરાવો પસાર કરવામાં આવ્યાં

સમગ્ર કારોબારીનું સફળ સંચાલન શહેર ઉપાધ્યક્ષ વસંતભાઈ ગોરી દ્વારા કરવામાં આવેલ તથા પૂર્વ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા દ્વારા સંધ્યાગીતથી બેઠકની શરૂઆત કરવામાં આવેલ.

JAMNAGAR : ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગરની કારોબારી બેઠક યોજાઈ, વિવિધ ઠરાવો પસાર કરવામાં આવ્યાં
Bharatiya Janata Party Jamnagar executive meeting
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Nov 30, 2021 | 5:57 PM

JAMNAGAR : ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગરની વિક્રમ સાવંત 2078ની પ્રથમ કારોબારી બેઠક પંડિત દીનદયાલ ઉપાધ્યાય ભવન ખાતે યોજાઈ. રાષ્ટ્રીય કારોબારી યોજાયાના 15 દિવસમાં પ્રદેશ કારોબારી અને પ્રદેશની કારોબારી યોજાયાના 15 દિવસમાં જિલ્લા – મહાનગરની કારોબારીનું આયોજન કરવાનું હોય છે. આ તબ્બકે ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડો.વિમલભાઈ કગથરાના અધ્યક્ષ સ્થાને, ધારાસભ્યો, પૂર્વ પ્રમુખો, પૂર્વ ધારાસભ્યો, અગ્રણીઓ, કારોબારી સભ્યો, કોર્પોરેટરો, વિવિધ મોરચાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ કારોબારીનું આયોજન કરવામાં આવેલ.સમગ્ર કારોબારીનું સફળ સંચાલન શહેર ઉપાધ્યક્ષ વસંતભાઈ ગોરી દ્વારા કરવામાં આવેલ તથા પૂર્વ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા દ્વારા સંધ્યાગીતથી બેઠકની શરૂઆત કરવામાં આવેલ.

શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા દ્વારા સ્વાગત પ્રવર્ચનમાં બેઠકમાં ઉપસ્થિત સૌ કોઈ ને આવકારામાં આવેલ. તેઓએ વિશેષથી જણાવેલ કે ભારતીય જનતા પાર્ટી પાંચ નિષ્ટ રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકાત્મતા, લોકતંત્ર, સામાજિક, આર્થિક વિષય પર ગાંધીવાદી દ્રષ્ટિકોણ થાકી સોસણમુક્ત અને સમતાયુક્ત સમાજની રચના, સકારાત્મક પંથનિરપેક્ષતા એટલે કે સર્વ પંથ સંભવ, અને મૂલ્યઆધારિત રાજનીતિથી ચાલતી પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીની મૂળભૂત મંત્ર છે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવો.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2014માં કેન્દ્રની સત્તા સંભાળી, અને અનેકવિધ જનહિત ના નિર્ણયો કાર્ય જે આજે ફળીભૂત થઇ રહ્યા ની પ્રતીતિ થઇ રહી છે. આ તબ્બકે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દીર્ઘાયુ બને તેવી મનોકામના વ્યક્ત કરેલ. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા લોકહિતની વિવિધ યોજનાઓ માટે એક વૉટ્સએપ નંબર જાહેર કરી, જયારે જોઈએ ત્યારે જાહેર જનતા માટે એ માહિતી ઉપલબ્ધ બને તેવી વ્યસ્થા કરેલ છે, જે પ્રેરણાદાયક છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

તેમણે કહ્યું કે આ ઉપરાંત જામનગર – દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ ઇન્ટરપાર્લામેન્ટ્રી મિટિંગમાં સ્પેનની મુલાકાતે છે, જે આપણા સૌ માટે ગર્વ લેવા જેવી બાબત છે. આ ઉપરાંત વિશ્વમહામારી કોરોના સામે લાડવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 100 કરોડ વેક્સીનનું લક્ષ્ય 278 દિવસમાં પૂર્ણ કર્યું અને આજે 120 કરોડ વેક્સીન પૂર્ણ કરાઈ છે તે નીતિની – આરોગ્યની વ્યસ્થાની સરાહના કરેલ. ઉપરાંત લોકડાઉંન સમયે પણ પી.પી.ઈ. કીટ, માસ્ક માં ઉત્પાદનને પ્રોત્સાહન આપ્યું અને ભારત પી.પી.ઈ કીટ તથા માસ્ક મુદ્દે આત્મનિર્ભર બન્યું.

100 કરોડ જનતાને નિઃશુલ્ક વેક્સિન આપી, વિશ્વના અન્ય દેશોને પણ વેક્સીન ઉપલબ્ધ કરાવી, 12 કરોડ બહેનોને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરાવી તેઓના સ્વાસ્થ્યની જાળવણી કરી, આયુષ્માન કાર્ડ – શ્રમ કાર્ડ દ્વારા આરોગ્યની સેવા ઉપલબ્ધ બનાવી અને આ પેટે 14 થી 15 હાજર કરોડનું ચુકવણું કેન્દ્ર સરકાર દ્વારા કરી 2.5 કરોડ લોકોને તેનો લાભ આપવામાં આવેલ.

લોકોના જીવન ધોરણને સરળ બનાવવા માટે પેટ્રોલ ઉપર રૂ.5 અને ડીઝલ ઉપર રૂ.10 નો ઘટાડો કર્યો, ભાજપ સાશિત તમામ રાજ્યએ વેટ ઘટાડ્યો, પણ અન્ય પક્ષ દ્વારા સાશિત રાજ્યોએ ભાવ ઘટાડો કરેલ ન હોય તેને વખોડવામાં આવેલ.

નિરામય ગુજરાત અંતર્ગત 30 વર્ષની ઉપર ની આયુના નાગરિકોને નિશુક્લ નિદાન કેમ્પ કરી લાઇફસ્ટાઇલ ડિસીઝનું નિદાન કરવા હાલ માં જ આઈ.કે જાડેજા દ્વારા જામનગરમાં યોજના શરુ કરવામાં આવેલ તેના વિષે માહિતી આપતા આ યોજનાની સરાહના કરવામાં આવેલ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના રત્નોને સમ્માન અપાવ્યું, સરદાર વલ્લભભાઈ પટેલને ફરી ભારતીયોના હૃદયમાં પ્રસ્થાપિત કરવા નું કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલ છે. લખનૌમાં 107 એકરમાં મ્યુઝિયમ બનાવી બાબા સાહેબ આંબેડકરજીને સન્માન પ્રદાન કરી રાષ્ટ્રીય ચારિત્ર્યને ઉજાગર કરવામાં આવેલ છે.

શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરાએ “સેવા હી સંગઠન” કાર્યક્રમ, સ્નેહમિલન, જનશીર્વાદ યાત્રા, પ્રશિક્ષણ વર્ગ કાર્યક્રમોની સફળતા માટે કાર્યકર્તાઓને અભિનંદન પાઠવેલ. જનઆશીર્વાદ યાત્રા સમયે કિરીટસિંહ રાણા દ્વારા કાર્યક્રમને બિરદાવવામાં આવેલ. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ, તથા પ્રશિક્ષણ વર્ગના ઇન્ચાર્જ પ્રદીપભાઈ ખીમાણી દ્વારા પ્રશિક્ષણ વર્ગ કાર્યક્રમને બિરદાવવામાં આવેલ.જામનગર શહેર પ્રત્યેક કાર્યક્રમોમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી રહ્યું છે તેના માટે કાર્યકર્તાઓને અભિનંદન પાઠવેલ.

સ્નેહમિલન કાર્ય્રકમમાં મહામંત્રી પ્રકાશભાઈ બામભણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, શહેર સંગઠન, મહિલા મોરચા, યુવા મોરચા સહીત સૌ કોઈ એ વિશેષ જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાયો તેના માટે અભિનંદન પાઠવી સૌ કોઈનું બેઠકમાં સ્વાગત કરેલ.

શહેર મહામંત્રી પ્રકાશભાઈ બામભણીયા દ્વારા રાજકીય ઠરાવો રજુ કરવામાં આવેલ જેમાં તેઓ એ જણાવેલ કે, 100 કરોડ વેક્સીનનો લક્ષયાંક 50 લાખ માનવોને કામે લગાડી 278 દિવસમાં પૂર્ણ કર્યો તથા અન્ય દેશોને પણ મદદ પહોંચાડી ઐતિહાસિક વ્યસ્થા કરી.

લોકડાઉંનના ત્રણ મહિના માં N-95માસ્ક – પી.પી.ઈ કીટ – વેન્ટિલેટર -ઓક્સિજનની વ્યસ્થા કરી, પ્રત્યેક જિલ્લામાં ઓક્સિજન પ્લાન્ટ શરુ કાર્ય, આયુષ્યમાન ભારત તથા જનઔષધી યોજના લાભકારી નીવડી રહી છે.75 હજાર આરોગ્ય કેન્દ્ર કાર્યરત કર્યા. રાશન કાર્ડ દ્વારા નિઃશુલ્ક રાશન યોજના અમલી બનાવાઈ, સુરક્ષા – શાંતિ – સમૃદ્ધિનું સપનું સાકાર કર્યું.વર્ષ 2000 માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા થી આજ સુધી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 20 વર્ષ પૂર્ણ થતા સમયગાળા દરમિયાન શૂન્ય ભ્રષ્ટચાર રહ્યો. 5 રાજ્યોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ખુબ સારું પ્રદર્શન કર્યું.

ઉપરોક્ત તમામ રાજકીય ઠરાવોને શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવાએ ટેકો આપેલ, તથા સૌ કારોબારી સભ્યો, ઉપરસ્થિત નિમંત્રિતોએ પારીત કરેલ. શહેર મહામંત્રી મેરામણભાઇ ભાટુ દ્વારા આગામી કાર્યક્રમો વિષે ઉદબોધન કરવામાં આવેલ જેમાં હર ઘર દસ્તક – વેક્સિનેશન કાર્યક્રમ જેમાં વોર્ડ સમિતિ, કોર્પોરેટરો કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈ કોરોના વેક્સીન બાબતે માહિતી મેળવશે.

25 તારીખ “સુશાશન દિવસ” ની ઉજવણી, વોર્ડ સ્તરની કારોબારી પૂર્ણ કરવી, કમળપુષ્પ કાર્યક્રમ જેમાં જનસંઘથી ભારતીય જનતા પાર્ટી સુધીના સંસ્મરણોની વિગત, ફોટા ઇત્યાદિ માહિતી હોય તો તેને નમો એપ પર અપલોડ કરવી, “મન કી બાત” અંતર્ગત બુથ સ્તરે કાર્યક્રમ કરવા, શક્તિ કેન્દ્રના પ્રમુખ – પ્રભારીની નિમણુંક કરવી તથા નિમણુંકને અપગ્રેડ કરવી, આગામી દિવસોમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ 24 કલાક જામનગર શહેરમાં રોકાણ કરી બુથ સમિતિ – પેઈજ સમિતિ તથા સંગઠનની યાદીની સમીક્ષા કરશે.

આમ કુલ 7 વિવિધ કાર્યક્રમોની વિગત જણાવવામાં આવેલ. પૂર્વમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજાએ નવવર્ષની શુભકામના પાઠવતા જણાવેલ કે, કાર્યકર્તાઓની મહેનત રંગ લાવી છે. ઉપરાંત સ્નેહમિલન કાર્યક્રમની સફળતા બાબતે પણ તેઓ એ સરાહના કરેલ. તેઓ એ ઉદબોધનમાં જણાવેલ કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી લોકહિતની યોજનાઓ અમલી બનાવાઈ છે, જે અંતર્ગત આરોગ્યકાર્ડની યોજના મહત્વની બની રહી છે.

તેઓએ એક સાચા પ્રસંગનું વર્ણન કરતા જણાવેલ કે, એક ગામમાં એક પરિવારના સભ્યને બાયપાસ સર્જરી કરવાની તાત્કાલિક જરૂર પડી, અને જો તે સમયે આરોગ્યકાર્ડની યોજના ન હોત તો મોંઘી સારવાર માટે તે પરિવારને પોતાની જમીન વેચવી પડી હોત, પણ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાને કારણે આ મોંઘી સારવાર મળી.

પૂર્વ કૃષિમંત્રી આર.સી.ફળદુએ નવવર્ષની શુભકામના પાઠવતા જણાવેલ કે, પૂર્વ અધ્યક્ષઓ, પૂર્વ મેયરો, કાર્યકર્તાઓ પાર્ટીના આધારસ્તંભ છે. રાષ્ટ્રવાદી વિચારધારાને પ્રાધાન્ય આપવા જનસંઘની સ્થાપના થઇ અને ભારતીય જનતા પાર્ટી આજે પણ એ જ ઉદ્દેશથી કામગીરી કરી રહી છે. રાષ્ટ્રભક્તિ, આદર્શવાદ અને જાતિબાદ નીતિઓ થી ભારતીય જનતા પાર્ટીએ વિશ્વ સ્તરે ઓળખ ઉભી કરી છે. આપણને સૌને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેવા કર્મયોગી વ્યક્તિ મળ્યા છે, એ આપણા સૌ માટે અને ભારત દેશ માટે સૌભાગ્ય ની વાત છે.

ભારતએ ફરી તેનું સ્વાભિમાન પ્રાપ્ત કર્યું છે. તેઓએ સૌ કાર્યકર્તાઓને જણાવ્યું કે જયારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સતત અને સખત કામગીરી કરી રહ્યા છે ત્યારે આપણે સૌ તેના ટેકેદાર બની જ્યાં છીએ ત્યાં રહી પક્ષને વધુને વધુ મજબૂત બનતા રહીએ, શાંત અને સમર્પિત ભાવના સાથે લોકોસેવાની કામગીરી કરીએ. આ તબ્બકે શહેર મહામંત્રી મેરામણભાઇ ભાટુ દ્વારા આભાર પ્રગટ કરી બેઠકનું સમાપન કરવામાં આવેલ.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">