જામનગરમાં મગફળીના ટેકા ભાવે વેચાણમાં ખેડુતોએ નિરસતા દાખવી, અનેક મુશ્કેલીઓ જવાબદાર

|

Nov 25, 2021 | 12:51 PM

જામનગર જીલ્લાના 6 તાલુકામાં કુલ 33363 ખેડુતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. જેમાંથી હાલ સુધીમાં તંત્ર દ્રારા 9617 ખેડુતોને એસએમએસ દ્રારા જાણ કરીને નિયત દિવસે આવવા માટે આંમત્રિત કરાયા છે.

જામનગરમાં મગફળીના ટેકા ભાવે વેચાણમાં ખેડુતોએ નિરસતા દાખવી, અનેક મુશ્કેલીઓ જવાબદાર
Groundnut

Follow us on

ગુજરાતમાં (Gujarat) સરકાર દ્રારા મગફળીની (Ground Nut) ખરીદી ટેકાના ભાવે (MSP) કરી રહી છે. જેમાં જામનગરમાં (Jamnagar) લાભપાંચમથી શરૂ થયેલી પ્રક્રિયામાં હાલ સુધી ખેડુતોની નિરસતા જોવા મળી રહી છે. ખેડુતો મગફળીને ટેકા ભાવે સરકારને વેચાણ કરવા માટે જેટલા ખેડુતોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ તેટલા પણ ખેડુતો વેચાણ માટે આવતા નથી.

ખેડુતો પાસેથી રાજયસરકાર મગફળીની ખરીદી મણના 1110 રૂપિયાના ભાવે ખરીદી કરે છે. પરંતુ ખેડુતો અનેક કારણે ટેકાભાવે ખરીદી કરવા તૈયાર થતા નથી. ટેકાભાવે વેચાણ માટે ખેડુતોને અનેક મુશકેલી પડતી હોય છે. જેના કારણે ખેડુતો ટેકાભાવે મગફળી વેચાણ માટે નિરસતા દાખવી રહ્યા છે. બીજી તરફ ખુલ્લા બજારમાં યાર્ડ ઉભરાય રહ્યા છે.

ખેડુતોને ટેકાભાવે મગફળીના વેચાણ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત હતું. જે માટે એક માસનો સમય આપવામાં આવ્યો હતો. જેમાં ખેડુતોને ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે મુશ્કેલી પડતી હોય તેથી અનેક ખેડુત પ્રક્રિયા દુર રહેતા હોય છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઈન્ટરનેટની કનેટીવીટી, સર્વર સહીતની સમસ્યા થતી રહે છે. તેમજ અભણ ખેડુત કે ટેકનોલોજીથી અજાણ ખેડુતને રજીસ્ટ્રેશન માટે મુશ્કેલી થતી હોય છે.તેમજ કોમ્પયુટર ઓપરેટરોની મદદથી ખેડુતો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવતા હોય છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જામનગર જીલ્લાના 6 તાલુકામાં કુલ 33363 ખેડુતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. જેમાંથી હાલ સુધીમાં તંત્ર દ્રારા 9617 ખેડુતોને એસએમએસ દ્રારા જાણ કરીને નિયત દિવસે આવવા માટે આંમત્રિત કરાયા છે. પરંતુ જે પૈકી માત્ર 1176 ખેડુતો પોતાની મગફળીને લઈને યાર્ડ સુધી પહોચ્યા છે જેમાં 91 થી વધુ ખેડુતોની મગફળીને રીજેક્ટ કરવામાં આવી છે.

ઓનલાઈન રજીસ્ટ્રેશન બાદ સ્થાનિક તંત્ર દ્રારા એસએમએસ કરીને ખેડુતોને જાણ કરવામાં આવે છે. પરંતુ અનેક ખેડુતોની જે સમયે જાણ થાય તે સમય ઓછો મળે છે. તેથી મગફળી સાથે ખેડુતો નિયત સમયે પહોચી શકતા નથી. તો મગફળી લઈને પહોચ્યા બાદ મગફળી રીજેક્ટ થવાની શકયતા રહે છે અને બાદમાં નાણા પણ ખાતા કયારે આવે તે નિયત સમય ના હોવાથી તેથી ખેડુતો ખુલ્લા બજારમાં જવાનુ વધુ પસંદ કરે છે.

આ ઉપરાંત ખેડૂતોન જ્યાં રોકડ નાણાં અને સારો ભાવ મળે તે રીતે ખુલ્લા બજારમાં મગફળી વેચી રહ્યા છે. જેના લીધે ખેડુતો મગફળીને ટેકાના ભાવ વેચાણમાં નિરસતા દાખવે છે. જયારે ખુલ્લા બજારમાં માર્કેટ ઉભરાય છે.

આ પણ વાંચો : અમદાવાદ એરપોર્ટ પર વાઈબ્રન્ટ સમિટની તૈયારી, ચાર્ટર્ડ એરક્રાફ્ટ માટે વધુ પાર્કિંગ પ્લોટ વધારાયા

આ પણ વાંચો :  ગુજરાતના સાબરકાંઠામાં પોલીસ કર્મી અને પુત્ર જ દારૂ બનાવતા ઝડપાયા

Next Article