મધ્યાહન ભોજનના અનાજમાંથી વધુ એકવાર જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. ઊંઝાની હાજીપુર પ્રાથમિક શાળાની આ ઘટના છે, હાલ શાળાઓ બંધ છે. જેથી બાળકોના ભાગે આવતું મધ્યાહન ભોજનનું અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
હાજીપુર પ્રાથમિક શાળામાં પણ બાળકોને વાલીઓને ઘઉં અને ચોખાનું વિતરણ કરવામાં આવ્યું પણ લોકોએ જ્યારે ઘરે જઈને જોયું ઘઉં અને ચોખામાંથી ધનેરા સહિતની જીવાતો જોવા મળી હતી. જેને લઈ તંત્રની કામગીરી સામે ગ્રામજનો સવાલો ઉઠાવી રહ્યા છે.
લોકો પૂછી રહ્યા છે કે શું જોયા વિના જ અનાજનું વિતરણ કરાય છે? બાળકો માટે આવા અનાજનું જમવાનું બનાવાય છે? શા માટે અનાજ સાફ કરવામાં નથી આવતું?
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: સુરત: કોરોના વાયરસના વધુ 11 શંકાસ્પદ કેસ આવ્યા સામે, તમામની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી
Published On - 9:41 am, Fri, 3 April 20