57 વર્ષ સુધી ભારતીય નૌકાદળમાં સેવા આપ્યા બાદ INS ‘વિરાટ’ને અંતિમ વિદાય આપવામાં આવી છે. અલંગની શ્રીરામ શિપબ્રેકિંગ કંપનીના પ્લોટ નંબર-9 ખાતે INS ‘વિરાટ’ને દરિયામાંથી ટગ દ્વારા ખેંચી લવાયું હતું અને આન, બાન, શાન સાથે INS ‘વિરાટ’ને વસમી વિદાય અપાઇ છે. આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિત નેવીના ઉચ્ચ અધિકારીઓએ ખાસ હાજરી આપી છે. મહત્વપૂર્ણ છે કે, 1987માં INS વિરાટને ઈન્ડિયન નેવીમાં સામેલ કરવામાં આવ્યું હતું. જોકે વિરાટની વિદાય પ્રસંગે તેને ખરીદનાર શિપબ્રેકર ભાવૂક થયા હતા. અહીં, કેન્દ્રીયપ્રધાને INS વિરાટને ભારતનું ગૌરવ ગણાવ્યું છે. મનસુખ માંડવીયાએ INS વિરાટની સિદ્ધિઓને વાગોળવાની સાથે ભારતની રક્ષામાં વિરાટના સિંહફાળાને યાદ કર્યો છે.
આ પણ વાંચો: ઘોઘા-દહેજ વચ્ચે રો-રો ફેરી સર્વિસ ટુંક સમયમાં થશે શરૂ, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ આપ્યા સંકેતો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો