AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય તટરક્ષક દળે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાનો સંદેશો ફેલાવવા માટે લોકજાગૃતિ કૂચનું આયોજન કર્યું

ભારતીય તટરક્ષક દળના 100 કરતાં વધારે કર્મીઓએ "આઝાદીનો અમૃત મહોત્સવ"ને અનુરૂપ યોજવામાં આવેલા આ જાગૃતિ અભિયાનના ભાગરૂપે પોતાની પાસે બેનરો તેમજ પ્લેકાર્ડ રાખીને જાહેર વિસ્તારોમાં કૂચ કરી હતી.

ભારતીય તટરક્ષક દળે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાનો સંદેશો ફેલાવવા માટે લોકજાગૃતિ કૂચનું આયોજન કર્યું
indian coast guard conducts awareness march to spread a message to avoid single use plastic
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2021 | 7:26 PM
Share

વડાપ્રધાન મોદીએ વર્ષ 2022 સુધીમાં ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક’નો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવા માટે કરેલા આહ્વાનને અનુરૂપ ભારતીય તટરક્ષક પ્રદેશ (ઉત્તર પશ્ચિમ) દ્વારા લોકજાગૃતિ કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્લાસ્ટિકના વિકલ્પો અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે લોકોને પ્રોત્સાહન આપવા માટે, 09 ઓક્ટોબર 2021ના રોજ ગુજરાતમાં ગાંધીનગર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.

ભારતીય તટરક્ષક દળના 100 કરતાં વધારે કર્મીઓએ “આઝાદીનો અમૃત મહોત્સવ”ને અનુરૂપ યોજવામાં આવેલા આ જાગૃતિ અભિયાનના ભાગરૂપે પોતાની પાસે બેનરો તેમજ પ્લેકાર્ડ રાખીને જાહેર વિસ્તારોમાં કૂચ કરી હતી. લોકજાગૃતિ કૂચનો ઉદ્દેશ ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક’ના ઉપયોગની ખરાબ અસરો તરફ લોકોનું ધ્યાન ખેંચવાનો અને પ્લાસ્ટિકના ટકાઉક્ષમ વિકલ્પની જરૂરિયાત અંગે તેમને સંદેશો આપવાનો હતો.

આ પ્રસંગે, ગુજરાતમાં વિવિધ સ્થળોએ આવેલા ભારતીય તટરક્ષક એકમો ખાતે પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકના જોખમો અને સમુદ્રી જીવો પર તેના કારણે થતી વિપરિત અસરો અંગે શાળાના બાળકો માટે માહિતીપ્રદ સંબોધન સત્રો યોજવામાં આવ્યા હતા.

દ્વારકાના દરિયાકાંઠે ફિશિંગ હેલમેટ્સ સાથે એક બાઇક રેલી યોજવામાં આવી હતી તેમજ માછીમાર સમુદાય સાથે એક સામુદાયિક સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમને સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પો અંગે તેમજ સમુદ્રી પર્યાવરણની પ્રવૃત્તિઓની જાળવણીમાં તેમના યોગદાન વિશે તેમને માહિતગાર કરવામાં આવ્યા હતા.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">