દીપડાના મનુષ્યો અને પ્રાણીઓ ઉપર હુમલા કરવાની ઘટના વધી રહી છે. એવામાં આવી જ એક ઘટના મોરબીમાં સામે આવી છે. જ્યાં દીપડાએ એક સાથે 47 જેટલા ઘેટાં પર હુમલો કરીને મારી નાખ્યા હતા. આ બાબતે વનવિભાગને જાણ કરવામાં આવી હતી. વનવિભાગ તેમજ ડોક્ટરોની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. વનવિભાગ દ્રારા પાંજરા ગોઠવી દિપડાને પકડવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે.
મોરબી જિલ્લાના ટંકારામાં ગુરૂવારે મોડી પાત્રે બની હતી. પશુપાલકે ઘેટાના વાડામાં 47 ઘેટાને બાંઘીને રાખ્યા હતા. દીપડો આ વાડામાં ઘુસી આવ્યો હતો અને 47 ઘેટાનો શીકાર કર્યો હતો. સામાન્ય રીતે દીપડો આ વિસ્તારમા જોવા નથી મળતો પરંતુ માનવામાં આવે છે કે નજીકના ઘાસના મેદાનોમાંથી આવ્યો હશે. નિયમ પ્રમાણે જો કોઈ ઘેટાંની મોત જંગલી જનાવરના હુમલાથી થાય તો વન વિભાગ તરફથી ઘેટાં દીઠ 3 હજાર રૂપીયા આપવામાં આવે છે. તે માટેની કામગીરી વન વિભાગે આગળ વધારી હતી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]