સુરતમાં રોજબરોજ વધી રહેલા કોરોનાના કેસને લઈને વહીવટીતંત્ર ચિંતામાં છે. એક કરતા વધુ લોકોના સંપર્કમાં આવનાર વ્યક્તિઓ, કોરોના વાયરસના સુપર સ્પ્રેડર ના બને તેના માટે તંત્ર કામગીરી કરી રહ્યું છે. હાલ સુરતમાં વિવિધ પેટ્રોલપંપ ઉપર કામ કરતા કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. જેથી કોઈ કર્મચારી કોરોના સંક્રમીત હોય તો તે અન્યને સંક્રમણ ના લગાવી શકે.
સુરતમાં સતત વધી રહેલા કેશો અને જે સંક્રમણ વધે છે તેને ધ્યાનમાં રાખી પાલિકા દ્વારા જે ત્યારે સુપર સ્પ્રેડરો છે. જેમાં શહેરના શાકભાજી વેચનાર પાનો ગલ્લો ચલાવનાર કે પછી શહેરના પેટ્રોલ પંપ પર કામ કરતા કર્મચારીઓ જે લોકોના સીધા સંપર્કમાં આવતા હોય છે. જ્યાં સંક્રમણ વધવાનું કારણ બની છે જેથી પાલિકા દ્વારા આજે શહેરના અલગ અલગ 8 ઝોનોમાં આવેલા તમામ પેટ્રોલ પંપ પર કામ કરતા કર્મચારીઓના રેપીડ ટેસ્ટ કરવાની કામગીરી શરૂ કરી અને જેમાં કોઈ શંકાસ્પદ હોય કે પછી રિપોર્ટ પોઝીટીવ આવે તો હોમ કોરોન્ટાઈ કે હોસ્પિટલ માં એડમિટ કરવાની કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો