ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 681 નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ 563 દર્દીને રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોનાના લીધે 24 કલાકમાં 19 દર્દીનો જીવ ગયો છે. કોરોના વાઈરસ સામેની લડાઈમાં કુલ 3,88,065 શંકાસ્પદ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કોરોના વાઈરસના એક્ટિવ કેસની સંખ્યા વધીને 7510 થઈ
રાજ્યમાં કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. સાજા થઈ રહેલાં દર્દીઓ કરતાં કોરોના વાઈરસના નવા દર્દીઓની સંખ્યા પ્રતિદિવસ વધારે હોવાથી એક્ટિવ કેસની સંખ્યામાં પણ વઘારો થયો છે. કોરોના વાઈરસના એક્ટિવ કેસ વધીને 7,510 થયા છે અને તેઓ રાજ્યની વિવિધ કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. છેલ્લાં 24 કલાકની સ્થિતિ પર નજર કરીએ તો 68 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે જ્યારે 7442 દર્દીની તબિયત સ્થિર છે. કુલ પોઝિટિવ કેસનો આંક રાજ્યમાં 33999 થઈ ગયો છે.
681 new #coronavirus cases reported in #Gujarat in last 24 hours.
211 in #Ahmedabad
227 in #Surat#COVIDー19 #Covid_19 #GujaratCoronaUpdate #GujaratFightsCovid19 #TV9News pic.twitter.com/Dpsvkh058N
— tv9gujarati (@tv9gujarati) July 2, 2020
રાજ્યમાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થયા બાદ 24 હજારથી વધુ દર્દીને અપાઈ રજા
રાજ્યમાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થયા બાદ સરકારી આંકડા મુજબ 24,601 દર્દીને રજા આપવામાં આવી છે. કોરોના વાઈરસના લીધે છેલ્લાં 24 કલાકમાં 19 દર્દીના જીવ ગયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાઈરસના લીધે અત્યારસુધીમાં 1888 લોકોના મોત થયા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 2:44 pm, Thu, 2 July 20