IIM અમદાવાદ મેનેજમેન્ટના પાઠ શીખવવા માટે ભગવદ ગીતા પર આધારિત કોર્સ શરૂ કરશે

|

Nov 11, 2021 | 10:26 PM

મહાભારત અને ગીતાના મહાન ભારતીય મહાકાવ્યોએ ઘણી સંસ્થાઓ અને કોર્પોરેટ્સને વાસ્તવિક જીવનમાં મહાકાવ્યોમાંથી શીખેલા પાઠને જીવનમાં ઉતારવા માટે પ્રેરિત કર્યા છે.

IIM અમદાવાદ મેનેજમેન્ટના પાઠ શીખવવા માટે ભગવદ ગીતા પર આધારિત કોર્સ શરૂ કરશે
IIM Ahmedabad will start a course based on Bhagwad Gita to teach management lessons (File Photo)

Follow us on

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM)અમદાવાદ દ્વારા કોર્પોરેટ પ્રોફેશનલ્સને(Corporate Professional) મેનેજમેન્ટના(Managment) પાઠ શીખવવા માટે ભગવદ ગીતા(Bhagavad Gita) આધારિત  કોર્સ શરૂ કરવા જઇ રહ્યું છે. 13મી ડિસેમ્બરથી શરૂ થનારા આ કાર્યક્રમમાં ગીતાના પાઠ અને પ્રકરણોનો સમાવેશ કરવામાં આવશે. જેમાં સમકાલીન વ્યવસ્થાપનની વિભાવનાઓ, પડકારો, મૂંઝવણો અને વેપાર-ધંધાને શોધવાની રીતોનો સમાવેશ થશે.

ભગવદ ગીતાના પાઠો બિઝનેસ મોડલ સાથે સુસંગત

મહાભારત અને ગીતાના મહાન ભારતીય મહાકાવ્યોએ ઘણી સંસ્થાઓ અને કોર્પોરેટ્સને વાસ્તવિક જીવનમાં મહાકાવ્યોમાંથી શીખેલા પાઠને જીવનમાં ઉતારવા માટે પ્રેરિત કર્યા છે. IIM-A ની વેબસાઈટ મુજબ, ભગવદ ગીતાના પાઠો બિઝનેસ મોડલ સાથે સુસંગત છે અને નૈતિક મેનેજમેન્ટ પ્રેક્ટિસને પ્રોત્સાહન આપવા માટે શક્તિશાળી વિકલ્પો સૂચવે છે.

મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ

આ અંગે જણાવતા આઇઆઈએમ અમદાવાદના અધિકારીએ જણાવ્યું કે “ભગવદ ગીતાના પાઠો વ્યાપાર મોડલ સાથે સુસંગત અને નૈતિક હોવા છતાં મેનેજમેન્ટ પ્રેક્ટિસને પ્રોત્સાહન આપવા માટે શક્તિશાળી રીતો સૂચવે છે. આ અભ્યાસક્રમ શીખવાના પ્રારંભિક પ્રતિબિંબ પર કેન્દ્રિત છે.

નેતૃત્વની શ્રેષ્ઠતાની સમજ વિકસાવવાનો  હેતુ 

આ અભ્યાસક્રમને 03 કલાકના 06 સત્રોમાં વિભાજિત કરવામાં આવ્યો છે. કોર્સનો ઉદ્દેશ્ય અસરકારક પસંદગીઓ કરવા માટે આંતરદૃષ્ટિ વિકસાવવાનો, સમકાલીન વ્યવસ્થાપન અને મૂલ્ય આધારિત નેતૃત્વની વિભાવનાઓને મજબૂત કરવાનો, નેતૃત્વની શ્રેષ્ઠતાની સમજ વિકસાવવાનો છે.

ભગવદ ગીતાથી પરિચિત કોઈપણ વ્યક્તિ કૃષ્ણ-અર્જુન સંવાદ, યુદ્ધમાં ઉતરતા પહેલા અર્જુનની મૂંઝવણ અને માર્ગદર્શક તરીકે કૃષ્ણની ભૂમિકામાંથી મળેલા મહાન શિક્ષણથી સારી રીતે વાકેફ હશે.

કોર્પોરેટ જગતમાં અસરકારક લીડર ડેવલોપ કરાશે 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કોર્સ સહભાગીઓને તેમની કારકિર્દીમાં પડકારજનક સમયનો આત્મવિશ્વાસ સાથે સામનો કરવા માટે સક્ષમ બનાવશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય તેમને કોર્પોરેટ જગતમાં અસરકારક લીડર તરીકે વિકસિત કરવાની રીતો પ્રત્યે સંવેદનશીલ બનાવવાનો છે.

પ્રોગ્રામ 5 વર્ષનો કાર્ય અનુભવ ધરાવતા વ્યાવસાયિકો માટે

કેસ ડિસ્કશન અને વિડિયો ફિલ્મોના મિશ્રણનો ઉપયોગ કરીને જે સામગ્રી શીખવવામાં આવશે. તેમાં ગીતાના મૂલ્યના પાઠ, વર્તણૂકલક્ષી અભિગમ, ભૂમિકા સંઘર્ષ અને અન્યો વચ્ચેના પરિણામને સમજવાનો સમાવેશ થશે

પ્રોગ્રામ 5 વર્ષનો કાર્ય અનુભવ ધરાવતા વ્યાવસાયિકો માટે બનાવાયેલ છે. નિર્ણય લેવા, નેતૃત્વ, પ્રેરણા, વ્યૂહરચના આયોજન, વાટાઘાટો, સમજાવટ અને ટીમો બનાવવાની મેનેજમેન્ટ તકનીકો શીખવા માંગતા કોઈપણ કોર્સ માટે નોંધણી કરી શકે છે. આ પ્રોગ્રામ માટે રજીસ્ટ્રેશન 29 નવેમ્બરે બંધ થશે.

ભગવાન કૃષ્ણના જીવન કરતાં વધુ સારો રસ્તો નથી 

મીડિયા સાથે વાત કરતી વખતે, કોર્સ ડિઝાઇન કરનારા પ્રોફેસર સુનિલ મહેશ્વરીએ કહ્યું, “અમે કેસ સ્ટડી પદ્ધતિ દ્વારા શીખવીએ છીએ. અને જો આપણે મેનેજરોને આ કૌશલ્યો શીખવવાના હોય, તો ભગવાન કૃષ્ણના જીવન કરતાં વધુ સારો રસ્તો કયો હોઈ શકે? અસરકારક નેતૃત્વ શીખવવા માટે તેમનું શ્રેષ્ઠ જીવન ઉદાહરણ છે.

કોર્પોરેટ્સમાં વિશ્વસનીયતાનો સ્કોર ખૂબ જ નબળો

કોર્સ વિશે વાત કરતી વખતે, પ્રોફેસરે માહિતી આપી હતી કે કોર્સ ડિઝાઇન કરતા પહેલા તેણે કોર્પોરેટ્સમાં એક સર્વે કર્યો હતો. મને સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે વિશ્વસનીયતાનો સ્કોર ખૂબ જ નબળો હતો, એટલે કે જો આપણે યોગ્ય દિશામાં આગળ વધવા માંગતા હોય તો કોર્પોરેટ્સમાં વધુ વિશ્વસનીય મેનેજરો અને લીડરો હોવા જોઈએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભગવદ ગીતાના પાઠ સંચાલકોને હેતુપૂર્ણ જીવન જીવવામાં મદદ કરે છે જે તેઓ જે કરે છે તેમાં શ્રેષ્ઠતા તરફ દોરી જાય છે. તેમની પાસે ઉચ્ચ વિશ્વસનીયતા, નૈતિકતા અને મૂલ્ય પ્રણાલી હોવી જરૂરી છે

 આ પણ વાંચો :  ગુજરાતના મંત્રી કિરીટસિંહ રાણાએ નવાબ મલિકના આક્ષેપો નકાર્યા, કહ્યું ડ્રગ્સ આરોપી સાથે કોઇ સબંધ નથી

 આ પણ વાંચો : Surat: કાપડ અને હીરા માર્કેટ હજુ વેકેશનના મૂડમાં, ડિમાન્ડને પગલે જવેલરી માર્કેટ 3 દિવસની રજા બાદ ફરી કાર્યરત

Published On - 10:08 pm, Thu, 11 November 21

Next Article