AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુઈગામમાં અગરિયાઓની હાલત કફોડી, મીઠાના ઢગલા પાણીમાં વહ્યાં - જુઓ Video

સુઈગામમાં અગરિયાઓની હાલત કફોડી, મીઠાના ઢગલા પાણીમાં વહ્યાં – જુઓ Video

Sachin Kolte
| Edited By: | Updated on: Sep 11, 2025 | 7:07 PM
Share

બનાસકાંઠા જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે કૃષિ ક્ષેત્રની સાથે-સાથે મીઠા ઉદ્યોગને પણ મોટો ફટકો પડ્યો છે. ખાસ કરીને સુઈગામ તાલુકામાં મીઠું પકવતા અગરિયાઓની હાલત અત્યંત દયનીય બની છે. ભારે વરસાદ અને પાણીના પ્રવાહના કારણે, મહેનત કરીને તૈયાર કરવામાં આવેલા મીઠાના ઢગલા પાણીમાં વહી ગયા છે

બનાસકાંઠા જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે કૃષિ ક્ષેત્રની સાથે-સાથે મીઠા ઉદ્યોગને પણ મોટો ફટકો પડ્યો છે. ખાસ કરીને સુઈગામ તાલુકામાં મીઠું પકવતા અગરિયાઓની હાલત અત્યંત દયનીય બની છે. ભારે વરસાદ અને પાણીના પ્રવાહના કારણે, મહેનત કરીને તૈયાર કરવામાં આવેલા મીઠાના ઢગલા પાણીમાં વહી ગયા છે.

સુઈગામ તાલુકાના અગરિયાઓ વર્ષભરની મહેનત બાદ મીઠું પકવીને તેને ભરૂચ, અમદાવાદ અને અન્ય જિલ્લાઓમાં વેચાણ માટે મોકલે છે. પરંતુ, આ વર્ષે અચાનક અને ભારે વરસાદ આવવાથી તેમનું જીવન નિર્વાહનું સાધન છીનવાઈ ગયું છે. વરસાદી પાણીમાં મીઠાના ઢગલા વહી જતાં અગરિયાઓને આર્થિક રીતે મોટું નુકસાન થયું છે અને તેમની આવકનો સ્ત્રોત બંધ થઈ ગયો છે.

આ સંજોગોમાં, મીઠાના વેપારીઓ અને ઉત્પાદકોએ રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક સહાયની માંગ કરી છે. તેમનું કહેવું છે કે જો સરકાર તરફથી મદદ નહીં મળે, તો તેમના માટે આર્થિક સંકટમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જશે. આ નુકસાન અગરિયા પરિવારો માટે એક મોટી આફત સમાન છે અને તેમને તાત્કાલિક સરકારી સહાયની જરૂર છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">