‘હર કામ દેશ કે નામ’: ધનવંતરી કોવિડ કેર સેન્ટરની સમીક્ષા કરતા લેફટન્ટ જનરલ પી એસ મિનહસ, કહ્યું તમામ પ્રયાસો માટે આર્મી સંપૂર્ણ રીતે તૈયાર

|

May 13, 2021 | 5:24 PM

દેશના અસંખ્ય લોકો રોગચાળા સામે લડી રહ્યા છે, સંરક્ષણ દળો પણ ખભેથી ખભો મેળવીને કોરોના વોરિયરના રૂપમાં મહામારી સામે લડી રહ્યા છે.

હર કામ દેશ કે નામ: ધનવંતરી કોવિડ કેર સેન્ટરની સમીક્ષા કરતા લેફટન્ટ જનરલ પી એસ મિનહસ, કહ્યું તમામ પ્રયાસો માટે આર્મી સંપૂર્ણ રીતે તૈયાર

Follow us on

કોરોના મહામારી દ્વારા આવતા પડકારોને પહોંચી વળવા માટે સશસ્ત્ર દળો ફરી એકવાર આગળ આવ્યા છે અને વિવિધ સ્થળોએ કોવિડ સુવિધાઓ ચલાવવાની જવાબદારી સ્વીકારી છે. દેશના અસંખ્ય લોકો રોગચાળા સામે લડી રહ્યા છે, સંરક્ષણ દળો પણ ખભેથી ખભો મેળવીને કોરોના વોરિયરના રૂપમાં મહામારી સામે લડી રહ્યા છે.

 

 

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

આપણી સશસ્ત્ર દળોએ ભૂતકાળમાં ઘણા યુદ્ધો જીત્યા છે અને આ કોરોના યુદ્ધ પણ જરૂર જીતશે. કોવિડ સામે લડવાના રાષ્ટ્રીય પ્રયત્નોના ભાગરૂપે અમદાવાદમાં 900 બેડની ધનવંતરી કોવિડ તબીબી સુવિધા (Dhanvantari Covid Hospital,Ahmedabad) દક્ષિણી કમાન વિસ્તારમાં ભારતીય સૈન્યને સોંપવામાં આવી હતી.

 

આજે દક્ષિણી કમાન દ્વારા કોનાર્ક કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ, લેફ્ટન્ટ જનરલ પી.એસ. મનહસએ ધનવંતરી કોવિડ કેર સુવિધાની કામગીરીને વધારવા અને સુવ્યવસ્થિત કરવાના પ્રયત્નોની વ્યક્તિગત સમીક્ષા કરી હતી.

 

ત્યારબાદ તેમણે મુખ્યમંત્રી અને ગુજરાતના રાજ્યપાલને સૈન્યની તબીબી કામગીરી અંગે માહિતગાર કર્યા અને તેમને ખાતરી આપી કે કોવિડ દર્દીઓની સારવાર માટે શ્રેષ્ઠ વાતાવરણ પૂરા પાડવાના તમામ પ્રયાસો માટે આર્મી સંપૂર્ણ રીતે તૈયાર છે.

 

 

ત્રણેય સૈન્ય દ્વારા હોસ્પિટલમાં મેડિકલ અને લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટેના વિસ્તૃત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ હોસ્પિટલમાં સંસાધનો વધારવા માટે ડોકટરો, કોવિડ તાલીમબદ્ધ નર્સો, પેરામેડિક્સ અને વિવિધ સૈન્ય મથકોના તબીબી સહાયક સ્ટાફ સામેલ હતા. દર્દીઓની વધતી સંખ્યામાં આરોગ્ય સંભાળની વ્યવસ્થાને વધારવા માટેના અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

 

Dhanvantari Covid Hospital Ahmedabad

 

દર્દીઓની વધતી સંખ્યામાં આરોગ્ય સંભાળની વ્યવસ્થાને વધારવા માટેના અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સશસ્ત્ર દળ વતી અમદાવાદ ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગને ચીફ કોઓર્ડિનેટિંગ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કોવિડ કેર સુવિધામાં હાલમાં 600 જેટલા કોવિડ દર્દીઓની સારવાર ચાલી રહી છે અને 100 જેટલા દર્દીઓને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે.

 

 

લેફ્ટનન્ટ જનરલ પી.એસ. મન્હાસે દર્દીઓની ઊંચી રિકવરી રેટ અને ગુણવત્તાની સંભાળ સાથે આ આપત્તિજનક પરિસ્થિતિમાં માનવતાવાદી સંપર્કમાં તમામ COVID વોરિયર્સના અથાક કાર્યની પ્રશંસા કરી. તેમણે કહ્યું, “અમે મહામારી સામે લડવા અને તેને હરાવવા કોઈપણ હદ સુધી જઈશું. ભારતીય સૈન્ય આ મુશ્કેલ સમયમાં રાષ્ટ્રની સાથે ઉભું છે. “દરેક કામ દેશને નામ”

 

આ પણ વાંચો: તેલંગાનાની ગાંધી હોસ્પિટલમાં કોરોનાથી સાજા થયા 110 વર્ષના વ્યકિત

Published On - 11:15 pm, Wed, 12 May 21

Next Article