VIDEO: ગુજરાતમાં 24 કલાકમાં નોંધાયા 540 નવા કોરોના પોઝિટિવ કેસ, 340 દર્દી થયા સ્વસ્થ

|

Sep 28, 2020 | 1:25 PM

ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે 540 નવા કોરોના પોઝિટિવ કેસ રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં નોંધાયા છે. જ્યારે કોરોના વાઈરસની સામે જંગ જીતીને ઘરે પહોંંચ્યા હોય એવા લોકોની સંખ્યા 340  નોંધાઈ છે.  કોરોના વાઈરસના લીધે છેલ્લાં 24 કલાકમાં 27 લોકોના મૃત્યુ થયા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]

VIDEO: ગુજરાતમાં 24 કલાકમાં નોંધાયા 540 નવા કોરોના પોઝિટિવ કેસ, 340 દર્દી થયા સ્વસ્થ

Follow us on

ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે 540 નવા કોરોના પોઝિટિવ કેસ રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં નોંધાયા છે. જ્યારે કોરોના વાઈરસની સામે જંગ જીતીને ઘરે પહોંંચ્યા હોય એવા લોકોની સંખ્યા 340  નોંધાઈ છે.  કોરોના વાઈરસના લીધે છેલ્લાં 24 કલાકમાં 27 લોકોના મૃત્યુ થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

 

આ પણ વાંચો :  દેશમાં ચીની કંપનીઓને વધુ એક ઝટકો, જાણો ક્યાં પ્રોજેક્ટને કરવામાં આવ્યો રદ?

ક્યાં જિલ્લામાં નોંધાયા કેટલાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસ? 

ગુજરાતમાં 540 કોરોના વાઈરસના પોઝિટિવ કેસ 24 કલાકમાં નોંધાયા છે. જિલ્લાવાર વિગત જોઈએ તો અમદાવાદમાં સૌથી વધારે 312 કેસ સામે આવ્યા છે. અન્ય જિલ્લાના કેસમાં પણ ઉછાળો જોવા મળ્યો છે.  સુરતમાં નવા 93 કેસ, વડોદરામાં 45 કેસ, મહેસાણામાં 12 કેસ, ગાંધીનગરમાં 09 કેસ, જામનગરમાં 09 કેસ, ભરુચમાં 09 કેસ, પાટણમાં 08 કેસ, અરવલ્લીમાં 07 કેસ, રાજકોટમાં 05 કેસ, કચ્છમાં 04 કેસ, નર્મદામાં 04 કેસ, જુનાગઢમાં 04 કેસ, વલસાડમાં 03 કેસ, ભાવનગરમાં 02 કેસ, સાબરકાંઠામાં 02 કેસ, ખેડામાં 02 કેસ, દાહોદમાં 02 કેસ, સુરેન્દ્રનગરમાં 02 કેસ નોંધાયા છે.  આ સિવાય જે જિલ્લામાં 24 કલાકમાં કોરોના વાઈરસનો 1 પોઝિટિવ કેસ નોંધાયો છે તેમાં બનાસકાંઠા, મહિસાગર, આણંદ, પંચમહાલ, છોટા ઉદેપુર અને નવસારીનો સમાવેશ થાય છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ગુજરાતમાં કોરોના વાઈરસના એક્ટિવ કેસની સંખ્યા 6412 થઈ 

ગુજરાતમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે.  કોરોના વાઈરસના એક્ટિવ કેસની સંખ્યા વધીને 6,412 થઈ ગઈ છે.  આ કેસમાં 67 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે જ્યારે 6345 દર્દીની તબિયત સ્થિર છે.  કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ ગુજરાતમાં કુલ 18,167 દર્દીને રજા આપવામાં આવી છે. કોરોના વાઈરસના લીધે રાજ્યમાં કુલ મોતનો આંક 1,619 સુધી પહોંચ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 2:16 pm, Fri, 19 June 20

Next Article