રાજ્યમાં કોરોનાનો કહેર સતત ઘટી રહ્યો છે. પાછલા 24 કલાકમાં 875 પોઝિટિવ કેસ નોંધાયા છે, તો 4 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા. નવા પોઝિટિવ કેસ નોંધાવાની સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1 લાખ 74 હજારને પાર પહોંચી છે, તો કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,728 પર પહોંચ્યો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં 51 હજારથી વધુ લોકોના ટેસ્ટ કરાયા, જ્યારે 1128 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કુલ 1 લાખ 58 હજાર દર્દીઓએ કોરોના સામેનો જંગ જીત્યો, તો હજુ પણ 58 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
આ પણ વાંચો: ગુજરાતીઓને દિવાળી ગીફ્ટ, 8મી નવેમ્બરથી ઘોઘાથી ભાવનગર સુધીની રો-પેક્સ ફેરીની થશે શરૂઆત
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો