રાહતના સમાચાર : ગુજરાતમાં સપ્ટેમ્બરમાં માસમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી

|

Aug 28, 2021 | 6:55 PM

રાજયમાં વરસાદની ઘટની વાત કરીએ તો અત્યાર સુધી 48 ટકા વરસાદની ઘટ છે.  તેમજ આગામી 30 અને 31 ઓગષ્ટના રોજ દક્ષિણ ગુજરાતમાં  સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે.

રાહતના સમાચાર : ગુજરાતમાં સપ્ટેમ્બરમાં માસમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી
Gujarat Meteorological Department forecasts rains in September (File Photo)

Follow us on

ગુજરાત(Gujarat ) માં પ્રથમ રાઉન્ડના વરસાદ બાદ  બીજા રાઉન્ડના વરસાદ(Rain)ની લોકો રાહ જોઇ રહ્યા છે. તેમજ વરસાદ ખેંચાતા અનેક જિલ્લાના ખેડૂતો વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી રહ્યા છે. તેવા સમયે હવામાન વિભાગે સપ્ટેમ્બર માસમા સારા વરસાદની આગાહી કરી છે.

આ અંગે હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ  જણાવ્યું છે કે રાજયમાં અત્યાર સુધી સરેરાશ 11. 25 ઇંચ વરસાદ પડ્યો છે. જયારે રાજયમાં વરસાદની ઘટની વાત કરીએ તો અત્યાર સુધી 48 ટકા વરસાદની ઘટ છે.  તેમજ આગામી 30 અને 31 ઓગષ્ટના રોજ દક્ષિણ ગુજરાતમાં  સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત રાજયમાં વરસાદ ખેંચાતા  ખેડૂતોની હાલત કફોડી બની છે. તેમજ રાજ્યમાં ડેમોમાં પાણીની સ્થિતિ પણ ચિંતાજનક છે. જેમાં રાજયમાં 198 ડેમોમાં માત્ર 25 ટકા જેટલું  જ પાણી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રાજ્યના ડેમની સ્થિતિ પર નજર કરીએ તો, 207 ડેમમાંથી માત્ર ત્રણ જ ડેમ સંપૂર્ણ ભરાયેલા છે. રાજ્યના 7 ડેમમાં 90 ટકાથી વધુ પાણીનો જથ્થો છે. રાજ્યના 185 ડેમમાં 70 ટકાથી ઓછું પાણી પાણી છે. જ્યારે ઉત્તર ગુજરાતના 15 અને કચ્છના 20 ડેમોમાં પાણીની સ્થિતિ તળિયા ઝાટક છે.

આ ઉપરાંત સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ના અધિકારી દ્વારા જણાવાયુ છે કે, સરદાર સરોવર જળાશયમાં હાલ ૧,૫૨,૫૪૪ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૪૫.૬૬ ટકા છે.

સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, રાજયના ૨૦૬ જળાશયોમાં ૨,૮૨,૪૮૯ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૫૦.૬૮ ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-૦૭ જળાશય, એલર્ટ ૫ર કુલ-૦૮ જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર-૦૬ જળાશય છે.

આ દરમ્યાન દુષ્કાળના ડાકલા વચ્ચે ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. તેવા સમયે ગુજરાતના ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે. સરકારે કહ્યું દીધું કે, હાલ રાજ્યમાં સિંચાઈનું નવું પાણી નહિ છોડવામાં આવે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, હાલ નર્મદાનું પાણી આપવાનું ચાલુ છે. પીવાના પાણીની વ્યવસ્થા આપણી અગ્રીમતા છે.

સિંચાઈ માટે પાણી છોડવા અંગે એક નિવેદનમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં સિંચાઈનું નવું પાણી હાલ નહિ છોડવામાં આવે. નર્મદાનું પાણી હાલ અપાય છે, તે વિતરણ ચાલુ છે. સિંચાઈનું નવું પાણી હાલ નહિ છોડવામાં આવે. પીવાના પાણીનો પુરતો જથ્થો છે. પીવાના પાણીની વ્યવસ્થા કરવી આપણી અગ્રીમતા છે.

આ પણ વાંચો : Banaskantha : પોલીસે થરાદના ડુંવા ગામેથી નકલી નોટો સાથે બે આરોપીની ધરપકડ કરી

આ પણ વાંચો : Syndicate Bank Scam: 209 કરોડના સિન્ડિકેટ બેંક કૌભાંડમાં CBIએ ચાર્જશીટ કરી દાખલ, જાણો સમગ્ર મામલો

Published On - 6:49 pm, Sat, 28 August 21

Next Article