13 જુનના મહત્વના સમાચાર : વિનાશક વાવાઝોડા બિપરજોયથી બચાવવા આઠ જિલ્લામાંથી 37,794 લોકોનું કરાવ્યું સ્થળાંતર

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2023 | 12:05 AM

બિપોરજોય વાવાઝોડાના તમામ અપડેટસ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

13 જુનના મહત્વના સમાચાર : વિનાશક વાવાઝોડા બિપરજોયથી બચાવવા આઠ જિલ્લામાંથી 37,794 લોકોનું કરાવ્યું સ્થળાંતર

આજે 13 જુન મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. સાથે જ વાંચો બિપોરજોય વાવાઝોડાના તમામ અપડેટસ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 13 Jun 2023 11:44 PM (IST)

    Gujarat News Live: ટેકનિકલ ખામીને કારણે મુંબઈ લોકલ સેવા ખોરવાઈ, 90 ટ્રેનો રદ, 220 મોડી

    મંગળવારે (13 જૂન) મુંબઈ લોકલ ટ્રેન સેવા ખરાબ રીતે ખોરવાઈ ગઈ હતી. પશ્ચિમ રેલવેના મલાડ સ્ટેશન પાસે ટેકનિકલ ખામીને કારણે બપોરથી સાંજના 5 વાગ્યા સુધી 90થી વધુ ટ્રેનો રદ કરવી પડી હતી અને 220 ટ્રેનો મોડી ચાલી હતી. જેના કારણે મુંબઈની પશ્ચિમ રેલવેના મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મલાડ સ્ટેશન પાસે સિગ્નલ સિસ્ટમમાં ખામીને કારણે આ સમસ્યા સર્જાઈ હતી. સાંજે લોકો પોતાના ઘરે જવા નીકળ્યા ત્યાં સુધીમાં પ્લેટફોર્મ પર ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી.

  • 13 Jun 2023 11:00 PM (IST)

    Gujarat News Live Cyclone Biparjoy : દરિયામાં વાવાઝોડું 7 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે

    વાવાઝોડું બિપરજોય દરિયામાં પ્રતિ કલાકે 7 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે. એક તબક્કે ગુજરાતની દરિયાઈ સરહદેથી દૂર હટ્યા બાદ વાવાઝોડુ બિપરજોય ગુજરાત કોસ્ટ વિસ્તારથી ફરી થોડુ નજીક આવ્યું છે. ભારતીય હવામાન વિભાગના છેલ્લા અહેવાલ અનુસાર, વાવાઝોડું બિપરજોય પોરબંદરથી 310 કિમી, દ્વારકાથી 290 કિમી, જખૌથી 310 કિમી, નલિયાથી 330 કિમી દૂર છે. જ્યારે પાકિસ્તાનના કરાંચીથી 410 કિમી દૂર છે વાવાઝોડું.

  • 13 Jun 2023 10:39 PM (IST)

    Gujarat News Live : ખેડૂતોનું આંદોલન સમાપ્ત, તમામ રસ્તાઓ ખોલવા ખેડૂતનેતાઓ થયા સંમત

    સૂર્યમુખીના MSPને લઈને શરૂ થયેલ ખેડૂતોના આંદોલનનો મોડી સાંજે અંત આવ્યો છે. આ અંગે માહિતી આપતા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે, આંદોલન સમાપ્ત થઈ ગયું છે અને હવે તમામ રસ્તાઓ ખોલવામાં આવશે. અમારો પાક MSP પર ખરીદવામાં આવે તે માટે અમે વિરોધ કરી રહ્યા હતા. અમે સમગ્ર દેશમાં MSP પર લડતા રહીશું. MSP અંગે ભારત સરકાર જે દર ધરાવે છે તે આપવો પડશે.

  • 13 Jun 2023 10:37 PM (IST)

    Gujarat News Live : રશિયાએ યુક્રેનના ક્રિવી રિહમાં કર્યો મિસાઈલ હુમલો, 11ના મોત

    યુક્રેનિયન શહેર ક્રિવી રિહમાં રહેણાંક મકાન અને એક વેરહાઉસ પર રશિયન મિસાઈલ હુમલામાં ઓછામાં ઓછા 11 લોકો માર્યા ગયા છે. અને અન્ય 28 લોકો ઘાયલ થયા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીના વતન ક્રીવી રીહ પર હુમલો ત્યારે થયો છે જ્યારે યુક્રેનની સૈન્ય રશિયન આક્રમણના 15 મહિનાથી વધુ સમય પછી પ્રતિઆક્રમણના પ્રારંભિક તબક્કામાં છે.

  • 13 Jun 2023 10:22 PM (IST)

    Gujarat News Live Cyclone Biparjoy : આઠ જિલ્લામાં જીવનરક્ષક દવા, આધુનિક સાધનો, જનરેટરથી સજજ 239 એમ્બ્યુલન્સ સાથે આરોગ્યતંત્ર તૈયાર

    આરોગ્ય વિભાગની સજ્જતા અંગે જરૂરી દવાઓ તથા અન્ય સામગ્રીના જથ્થાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં 521 જેટલા પી.એચ.સી., સી.એચ.સી., હોસ્પિટલને આરોગ્ય-રક્ષક દવા, સાધનો, જનરેટરથી સજ્જ કરવામાં આવ્યા છે. પૂર સંભવિત વિસ્તારોમાં 157 (108) એમ્બ્યુલન્સ સેવાઓ સહિત કુલ 239 એમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ છે. કચ્છમાં સંભવિત વિકટ સ્થિતીમાં આરોગ્ય સુવિધા જાળવી રાખવા 4 સી.ડી.એચ.ઓ - 15 મેડીકલ ઓફિસર-સંયુકત પશુપાલન નિયામક ફરજરત કરવામાં આવ્યા છે.
  • 13 Jun 2023 10:16 PM (IST)

    Gujarat News Live Cyclone Biparjoy : માર્ગ પરની આડશો દૂર કરવા, વીજપુરવઠાની પુનઃસ્થાપન માટે માર્ગ મકાન-ઊર્જા વિભાગની 712 ટીમ તૈયાર

    ગુજરાતમાં વિનાશક વાવાઝોડા બિપરજોયની તારાજીમાંથી લોકોને બચાવવા માટે એન.ડી.આર.એફ.ની 15 તથા એસ.ડી.આર.એફ.ની 12 ટીમો તહેનાત કરાઈ છે. માર્ગને થનારા સંભવિત નુકસાનને પહોચી વળવા માટે, માર્ગ અને મકાન વિભાગની 115 ટીમ અને ઊર્જા વિભાગની 597 ટીમ સતર્ક કરાઈ છે. જે સંભવિત આપત્તિમાં માર્ગ પરની આડશો, દુરસ્તીકામ તથા વીજપુરવઠાની વિપરિત અસરો સામે પુનઃસ્થાપન માટે સજ્જ છે. 167 જે.સી.બી, 230 ડમ્પર સહિત 924 મશીનરી અને વાહનો સાથે માર્ગ-મકાન વિભાગ સજ્જ થયુ છે. કચ્છમાં એસ.ઇ. ને ખાસ ફરજ સોંપાઇ છે.

  • 13 Jun 2023 10:11 PM (IST)

    Gujarat News Live Cyclone Biparjoy : વિનાશક વાવાઝોડા બિપરજોયથી બચાવવા આઠ જિલ્લામાંથી 37,794 લોકોનું કરાવ્યું સ્થળાંતર

    ગુજરાત સરકારે વિનાશક વાવાઝોડા બિપરજોય સામે ઝીરો ટોલરન્સની નીતિને ધ્યાને લઈને, આઠ જિલ્લામાંથી 37,794 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. 869 મીઠા અગરના 6229 અગરિયાઓને પણ અન્યત્ર શિફ્ટ કરવામાં આવ્યા છે.

  • 13 Jun 2023 09:56 PM (IST)

    Gujarat News Live Cyclone Biparjoy : CM એકનાથ શિંદેનો સાંસદ પુત્ર અચાનક દિલ્હી જવા રવાના, ભાજપ-શિવસેના વચ્ચે કંઈક મોટું થવા જઈ રહ્યું છે ?

    આજે મંગળવારે એકનાથ શિંદેની શિવસેનાની એક જાહેરાતમાં, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કરતાં વધુ લોકપ્રિય હોવાનું કહેવાય છે. જેના કારણે શિવસેનાના ભાજપ સાથેના ગઠબંધનમાં ખટાશના સમાચાર મળી રહ્યા છે. આ સમાચારો વચ્ચે અચાનક સીએમ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે દિલ્હી ગયા છે. તેમના દિલ્હી જવા પાછળનું કારણ શિંદે જૂથ દ્વારા આપવામાં આવ્યું નથી. તેઓ દિલ્હી ગયા છે ત્યારે આ બાબતને લઈને મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં તરેહ તરેહની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

  • 13 Jun 2023 09:34 PM (IST)

    Gujarat News Live Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડાની અસર, દ્વારકાના દરિયાકાંઠે ઉછળ્યાં 15 ફૂટ ઊંચા મોજા

    બિપરજોય વાવાઝોડુ દ્વારકાથી હજુ ઘણું દૂર હોવા છતા તેની અસર દરિયાકિનારે જોવા મળી રહી છે. દિવસભર ભારે પવનની સાથે વરસાદ વરસતો રહ્યો છે. તો બીજી બાજૂ દરિયાની ભરતી સમયે 15 ફૂટ ઉચા મોજા ઉછળ્યા હતા. દરિયામાં કરન્ટ જોવા મળતા, લોકોને દરિયા કિનારા પર જવા પર કલમ 144 લાગુ કરવામાં આવી છે. દરિયાકાંઠા પર પોલીસની સાથે એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. 16 તારીખ સુધી દરિયા કિનારાના લોકોને સાવચેત રહેવા અપીલ પણ કરવામાં આવી છે.

  • 13 Jun 2023 09:10 PM (IST)

    Gujarat News Live Cyclone Biparjoy : બિપરજોયને કારણે આવતીકાલ બુધવારે નહી યોજાય ગુજરાત કેબિનેટની બેઠક

    ગુજરાત ઉપર ત્રાટકનારા સંભવિત વાવાઝોડા બિપરજોયને કારણે, દર બુધવારે યોજાતી સાપ્તાહિક કેબિનેટ બેઠક રદ કરવામાં આવી છે. ગુજરાતના તમામ પ્રધાનોને વાવાઝોડા બિપરજોયને લઈને સોંપેલ કામગીરી કરવા અને જિલ્લામાં જ રહેવા માટે તાકીદ કરવામાં આવી છે.

  • 13 Jun 2023 07:30 PM (IST)

    Gujarat News Live : ગો ફર્સ્ટે કરી જાહેરાત, 16 જૂન સુધી તમામ ફ્લાઈટ્સ રદ રહેશે

    એરલાઇન GoFirst એ એક નોટિસ જાહેર કરીને માહિતી આપી છે કે તેમની તમામ ફ્લાઇટ્સ આગામી 16 જૂન સુધી રદ કરવામાં આવી છે. કંપનીએ તેનું કારણ ઓપરેશનલ રિજન તરીકે આપ્યું છે.

  • 13 Jun 2023 07:24 PM (IST)

    Gujarat News Live : રાજ્યમાં યોગ દિવસની ઉજવણી થઈ શકે છે રદ

    દર વર્ષે 21 જૂને યોજવામાં આવે છે વિશ્વ યોગ દિવસ. બીપરજોયના સંકટ વચ્ચે, યોગ દિવસની ઉજવણીઓ રદ કરવાના મૂડમાં છે સરકાર. જો કે આ અંગેનો આખરી નિર્ણય આવતીકાલે લેવાઈ શકે છે સત્તાવાર નિર્ણય.

  • 13 Jun 2023 07:05 PM (IST)

    Gujarat News Live Cyclone Biparjoy : અબડાસા તાલુકાનો પિંગ્લેશ્વર બીચ સહેલાણીઓ માટે કરાયો બંધ

    અબડાસા તાલુકાનો પિંગ્લેશ્વર બીચ સહેલાણીઓ બંધ કરી દેવાયો છે. સંભવિત ચક્રવાત બિપરજોયની સંભાવનાને પગલે બીચ બંધ કરાયો છે. DYSP અને PSI દ્વારા બીચ પર મુલાકાત લઈને બંધ કરાયો છે બીચ

  • 13 Jun 2023 06:51 PM (IST)

    Gujarat News Live Cyclone Biparjoy : કચ્છમાથી 9000 લોકોનુ કરાયું સ્થળાંતર, જખૌ બંદરે સામાન્ય માણસો માટે ફરમાવાઈ પ્રવેશબંધી

    વાવાઝોડા બિપરજોયને લઈને તંત્રે કચ્છમાંથી 9000 લોકોનુ સ્થળાંતર કરાવ્યું છે. જ્યારે વિવિધ હોસ્પિટલમા 1874 બેડ ઉપલબ્ધ કરાવ્યાં છે. સ્થિતિને પહોચી વળવા માટે 270 એમ્બ્યુલન્સ કચ્છમા ઉપલબ્ધ કરાવાઈ છે. સેલ્ટર શરૂ કર્યુ છે, જેમાં 48000 ફુડ પેકેટ તૈયાર કરીને મોકલવામાં આવ્યા છે. દુધસાગર ડેરી પાસેથી દુધ પાઉડર મંગાવી સેલ્ટર હોમ ખાતે પહોચાડાશે. કચ્છમા 131 સગર્ભા મહિલાઓને સલામત ખસેડાઇ છે. કચ્છમા એક કેન્દ્રીય પ્રધાન અને ગુજરાતના બે પ્રધાનો હાજર રહીને તંત્રને જરુરી દિશાનિર્દેશ આપી રહ્યાં છે. કચ્છમાથી કુલ 21,000 લોકોનુ સ્થળાંતર કરાશે. કચ્છના જખૌ સહિત 18 દરિયાઇ વિસ્તારમા 1900 બોટો સુરક્ષીત રખાઇ છે. કચ્છના જખૌ બંદર પર સામાન્ય માણસો માટે પ્રવેશબંધી ફરમાવાઈ છે.

  • 13 Jun 2023 05:31 PM (IST)

    જિલ્લા અને તાલુકા મથકો ખાતે કંટ્રોલરુમ શરુ કરાયા, કયા નંબરને ડાયલ કરવાથી મળશે ઝડપી મદદ, જાણો પૂરી યાદી

    બિપરજોય વાવાઝોડાને પગલે રાજ્ય સરકાર દ્વારા તમામ સજ્જતા હાથ દરી લેવામાં આવી છે. ગુજરાત રાજ્યના દરેક જિલ્લા અને તાલુકાઓ સાથે સંકલન સહિત ઈમરજન્સીની સ્થિતીમાં પહોંચી વળવા માટે સ્ટેટ કંટ્રોલરુમ કાર્યરત કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા મુશ્કેલીના સમયમાં ત્વરીત રાહત અને મદદ પહોંચાડી શકાય એ માટે કંટ્રોલરુમ અગાઉથી જ શરુ કરીને દરેક જિલ્લાઓ સાથે સંકલન શરુ કરવામાં આવ્યુ હતુ. ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારના જિલ્લાઓ અને તાલુકાઓ સાથે સીધુ જોડાણ રાખવા સાથે નજર રાખવાની શરુઆત કરવામાં આવી હતી. સજ્જતા માટેની જરુરિયાતોને રજૂ કરવા માટે સ્ટેટ કંટ્રોલ રુમ સંકલનમાં રહ્યુ હતુ.

  • 13 Jun 2023 05:27 PM (IST)

    ગુજરાત પર વાવાઝોડાની પરિસ્થિતિ વચ્ચે બહાદૂર જવાનો અડીખમ, સેનાની 3 બટાલિયન સ્ટેન્ડ બાય

    Kutch: બિપોરજોય વાવાઝોડું (Cyclone Biparjoy) કચ્છના જખૌમાં ત્રાટકવાનું હોવાથી અહીં સુરક્ષા-વ્યવસ્થામાં કોઈ કચાસ ન રહી જાય તેનું પૂરતું ધ્યાન રખાઈ રહ્યું છે. કચ્છમાં મિલિટ્રી કેમ્પ સેનાની 3 બટાલિયન સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. સેનાની આ બટાલિયનો કોઈપણ પ્રકારના રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડવા માટે સજ્જ છે. રાહત અને બચાવકાર્યની સામગ્રી સાથે સેનાના જવાનો વાવાઝોડા સામે પહોંચી વળવા તૈયાર છે.

  • 13 Jun 2023 03:48 PM (IST)

    વાવાઝોડાને લઈને રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે વીડિયો કોન્ફરન્સ યોજી, જિલ્લા વહીવટી તંત્રને જરૂરી સૂચનો કર્યા

    Jamnagar :  ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે બિપરજોય વાવાઝોડાને (Cyclone Biparjoy) લઈ જે જિલ્લાઓમાં વાવાઝોડાની વધુ અસર થવાની છે ત્યાંના વહીવટી તંત્ર સાથે વિડીયો કોન્ફરન્સ બેઠક યોજી હતી. આ વિડીયો કોન્ફરન્સમાં જામનગર જિલ્લા વહીવટી તંત્રને મુખ્ય સચિવ રાજકુમારે જરૂરી સૂચનો કર્યા હતા. તેમજ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી હતી.

  • 13 Jun 2023 02:26 PM (IST)

    મણિપુર, પંજાબ અને દિલ્હીમાં અનુભવાયા ભૂકંપના આંચકા

    મંગળવારે બપોરે 1.30 વાગ્યાની આસપાસ ભારત અને પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં ભૂકંપ (Earthquake)ના આંચકા અનુભવાયા હતા. ભારતની રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસના NCR વિસ્તારોમાં પણ ભૂકંપ ના આંચકા અનુભવાયા હતા. આ આંચકા લાંબા સમયથી અનુભવાઈ રહ્યા છે. જો કે, અત્યાર સુધી ભારત કે પાકિસ્તાનના કોઈપણ વિસ્તારમાંથી ભૂકંપના કારણે કોઈપણ પ્રકારના નુકસાનની કોઈ માહિતી નથી.

  • 13 Jun 2023 02:25 PM (IST)

    ચોમાસાને લઈને ખરાબ સમાચાર, હવામાન વિભાગનો આ અહેવાલ ચિંતાજનક

    Weather Update:  ભારતમાં ચોમાસાએ દસ્તક આપી છે, પરંતુ દેશના ઘણા ભાગો આ સમયે ગરમીના મોજાનો સામનો કરી રહ્યા છે. લોકોને ચોમાસાથી ઘણી આશા છે કે તે તેમને કાળઝાળ ગરમીમાંથી રાહત આપશે. પરંતુ હવામાન વિભાગે ચોમાસાને લઈને ખરાબ સમાચાર આપ્યા છે. ભારતીય હવામાન વિભાગ અને ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ વેધરએ આગાહી કરી છે કે જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં ભારતના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે આ મોટો ફટકો છે. રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

  • 13 Jun 2023 02:17 PM (IST)

    પોરબંદરમાં બિપરજોય વાવાઝોડાંની અસર વર્તાઈ, ભારે પવનને કારણે મકાન થયું ધરાશાયી

    હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદી માહોલ છે. તંત્રએ વાવાઝોડા અને વરસાદને લઇ લોકોને એલર્ટ રહેવાની સૂચના આપી છે. પવનને લીધે પોરબંદરમાં વરસાદને કારણે ખારવાવાડ વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું હતું. આ મકાન ધરાશાયી થતાં 50 વર્ષીય એક વ્યક્તિનું મૃત્યું થયું, જ્યારે ત્રણ લોકોને ફાયરબ્રિગેડે રેસક્યુ કરીને બહાર કાઢ્યા હતા.

  • 13 Jun 2023 01:28 PM (IST)

    સાયક્લોન બાયપોરજોયને લઈને જામનગર પણ એલર્ટ મોડ પર, પ્રશાસને 100 વર્ષ જૂનું રેલવે સ્ટેશન તોડ્યું

    સાયક્લોન બાયપોરજોયને લઈને જામનગર પણ એલર્ટ મોડ પર છે. લગભગ 100 વર્ષ જૂનું રેલવે સ્ટેશન તોડી પાડવામાં આવ્યું છે. સાવચેતીના પગલા તરીકે જૂના રેલવે સ્ટેશનને તોડી પાડવા માટે બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે આવતીકાલે અને પરમ દિવસે શહેરમાં 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાશે.

  • 13 Jun 2023 01:27 PM (IST)

    કેન્દ્રએ ફૂડ અને મેડિકલ કીટના 1 લાખ પેકેટ તૈયાર કર્યા, પ્રશાસને જામનગરમાં 100 વર્ષ જૂનું રેલવે સ્ટેશન તોડ્યું

    ચક્રવાત બિપરજોયને જોતા સાવચેતીના પગલારૂપે કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાંથી 6730 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અગરિયાના 4509 લોકોને અને અન્ય દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 2221 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. આ તમામને 187 શેલ્ટર હોમમાં રાખવામાં આવશે. તમામ કેન્દ્રો પર ફૂડ પેકેટ, મેડિકલ કીટ સહિત એક લાખ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે.

  • 13 Jun 2023 01:21 PM (IST)

    Cyclone Biparjoyને લઈ અમિત શાહનું નિવેદન, વાવાઝોડા સામે લડવા માટે તંત્ર તૈયાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ મજબુત બનાવાયુ

    અમિત શાહે કહ્યું વાવાઝોડામાં સંકટ સામે લડવા માટે તૈયાર છીએ, આપણે આવી અનેક સમસ્યાઓનો અગાઉ સામનો કર્યો છે. આ સાથે જ ઘણા બધા લોકોના સુઝાવ પણ મળી રહ્યા છે તેના પર પણ વિચાર કરી રહ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ મજબૂત બનાવવામાં આવ્યું છે

  • 13 Jun 2023 12:31 PM (IST)

    Biparjoy Cyclone: વાવાઝોડાના સંકટ સામે તંત્ર સજ્જ – મનસુખ માંડવિયા

    Biparjoy Cyclone : રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાના તોળાઈ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતીનો કયાસ કાઢવા માટે તંત્ર સજ્જ છે. વાવાઝોડાના સંકટને પહોંચી વળવા રાજય અને કેન્દ્ર સરકાર સજ્જ હોવાનો કેન્દ્રીય આરોગ્ય પ્રધાને દાવો કર્યો છે. મનસુખ માંડવિયાએ કચ્છમાં નિવેદન આપ્યું છે કે સ્થિતિને પહોંચી વળવા રાજય સરકારના આયોજનને સહકાર આપીશું.

    સૌથી વધુ નુકસાન થતા કચ્છના બંદરો પર તમામ તૈયારીઓ કરી દેવાઈ છે. તમામ શીપને પોર્ટ પર લાંગરી દેવાઈ છે અને ક્રૂ-મેમ્બરોને સાવચેતીના ભાગરૂપે સૂચના આપી દીધી છે. જરૂર પડશે તો આર્મી એરફોર્સની મદદ લેવામાં આવશે. બંદરની આસપાસના વિસ્તારો ખાલી કરવામાં આવ્યા છે. ઈમરજન્સીને પહોંચી વળવા દવાનો જથ્થો સ્ટોકમાં હોવાનો મનસુખ માંડવીયાએ માહિતી આપી હતી.

    બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

  • 13 Jun 2023 12:09 PM (IST)

    પ્રતિ કલાક 10 કિમીની ઝડપે ગુજરાત તરફ વધી રહ્યુ છે Cyclone Biparjoy, પોરબંદરથી 290 કિમી દૂર

    પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં બિપોરજોય વાવાઝોડું આગેકૂચ કરી રહ્યુ છે. વાવાઝોડું પ્રતિ કલાક 10 કિમીની ઝડપે ગુજરાત તરફ વધતું જઇ રહ્યુ છે. વાવાઝોડું પોરબંદરથી 290 કિમી દૂર છે. જેના પગલે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તો આવતી કાલ રાતથી સાયકલોન વધુ આક્રમક બનવાની સંભાવના છે. 15 જૂને માંડવીથી કરાચી વચ્ચે આ વાવાઝોડું ટકરાશે. જખૌથી 125થી 135 પ્રતિ કલાકની ગતિથી તે પસાર થશે.

  • 13 Jun 2023 11:45 AM (IST)

    Biparjoy Cyclone: છેલ્લા 2 કલાકમાં સૌરાષ્ટ્રના 17 તાલુકાઓમાં વરસ્યો જોરદાર વરસાદ

    Biparjoy Cyclone : ચોમાસાના આગમન પહેલા જ સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લામાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. માત્ર 2 કલાકમાં જ સૌરાષ્ટ્રના 17 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ દ્વારકાના ખંભાળિયામાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. રાજકોટના ઉપલેટામાં 2 ઇંચ, જામજોધપુર, મેંદરડા, વંથલ અને ગીર ગઢડામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો. જૂનાગઢ અને કલ્યાણપુરમાં પણ માત્ર બે કલાકમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો. સૌરાષ્ટ્રના માળીયા હાટીના, કેશોદ, પોરબંદર, રાણાવાવ, ભાણવડમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે.

  • 13 Jun 2023 11:13 AM (IST)

    Biparjoy Cyclone: વાવાઝોડાને પગલે કચ્છનું તંત્ર એક્શન મોડમાં, અત્યાર સુધી 6730 લોકોનું સલામત સ્થળે કરાયુ સ્થળાંતર

    Biparjoy Cyclone: બિપરજોય વાવાઝોડાને પગલે દ્વારકાનું તંત્ર એક્શન મોડમાં છે. કચ્છમાં અત્યાર સુધી 6730 લોકોનું સલામત સ્થળાંતર કરવામાં આવ્યુ છે. જેમાંથી 4509 અગરીયા અને 2221 દરિયા કિનારા નજીકના લોકોનું સ્થળાતર કરાયુ છે. 120 સ્થળો પર સ્થળાંતર કરવામાં આવ્યુ છે. સ્થળાંતર કરવામાં આવેલા તમામ લોકોને 187 સેલ્ટર હોમમા સલામત રાખવામાં આવશે. આજે બપોર બાદ અન્ય વિસ્તારોમાં સ્થળાંતર શરુ કરવામાં આવી છે. તંત્ર દ્વારા બસની વ્યવસ્થા કરી તમામ સંભવત અસરગ્રસ્ત લોકોને સલામત ખસેડવામાં આવશે. કચ્છમાં 15000થી વધુ લોકોનું સ્થળાંતર કરવાનો અંદાજ છે. તમામ સેન્ટર પર ફુડ પેકેટ,મેડીકલ કીટ સહિતની વ્યવસ્થા 1 લાખ ફુડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે.

  • 13 Jun 2023 10:46 AM (IST)

    દેવભૂમિ દ્વારકાના દરિયામાં ભારતીય કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન, ઓઇલ રીંગના 50 કર્મચારીઓને કરાયા એરલિફ્ટ

    Devbhumi Dwarka : એક તરફ ગુજરાતમાં Cyclone Biparjoyનું સંકટ તોળાઇ રહ્યુ છે. દરિયાકાંઠા અને આસપાસના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યુ છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચન કરવામાં આવ્યુ છે. ત્યાં બીજી તરફ દેવભૂમિ દ્વારકાના દરિયામાં ભારતીય કોસ્ટગાર્ડનું (Indian Coast Guard) દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન (Rescue operation) કર્યુ છે. મધદરિયે ફસાયેલા ઓઇલ રીગમાં કામ કરતા કર્મચારીઓને બચાવવામાં આવ્યા છે. ઓઇલ રીંગના 50 કર્મચારીઓને એરલિફ્ટ કરવામાં આવ્યા છે. 50 કર્મચારીઓને રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ કર્મચારીઓ ‘ઓઇલ ડ્રિલિંગ શીપ કી’ સિંગાપોરના હતા.

  • 13 Jun 2023 09:51 AM (IST)

    બિપોરજોય વાવાઝોડાને લઈને ગૃહપ્રધાન અમિત શાહની આજે ઉચ્ચસ્તરીય બેઠક

    બિપોરજોય વાવાઝોડાને પહોંચી વળવા બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ત્યારે આજે ગૃહપ્રધાન અમિત શાહ આ મુદ્દે બેઠક કરશે. બપોરે 3 કલાકે વીડિયો કોન્ફરન્સથી યોજશે બેઠક . ત્યારે આ બેઠકમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ, 6 જિલ્લાના અધિકારીઓ જોડાશે. 6 જિલ્લાના ધારાસભ્યો પણ બેઠકમાં સામેલ થશે.

    બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

  • 13 Jun 2023 09:38 AM (IST)

    કચ્છમાં અત્યાર સુધી 6730 લોકોનુ સલામત સ્થળાંતર કરાયુ

    બિપરજોય વાવાઝોડાને કારણે સાવચેતીની ભાગરૂપે કચ્છમાં અત્યાર સુધી 6730 લોકોનું સલામત સ્થળાંતર કરાયુ છે. 4509 અગરીયા અને 2221 દરિયા કિનારા નજીકના લોકોનું સ્થળાતર કરાવવામાં આવ્યું છે. તમામને 187 સેલ્ટર હોમમાં સલામત રખાશે. તમામ સેન્ટર પર ફુડ પેકેટ, મેડીકલ કીટ સહિતની વ્યવસ્થા કરવામાં આવી અને 1 લાખ ફુડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે.

  • 13 Jun 2023 09:17 AM (IST)

    Cyclone Biparjoy: 200થી વધુ 108 એમ્બ્યુલન્સ સૌરાષ્ટ્રના દરિયા કાંઠા વિસ્તારોમાં મુકાઇ, સ્ટાફને સતર્ક રહેવા કરાયા આદેશ

    ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાના તોળાઇ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતિનો કયાસ કાઢવા માટે તંત્ર સજ્જ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને સમગ્ર સ્થિતિ અંગે ચર્ચા હતી. પીએમ મોદીએ કેન્દ્ર તરફથી તમામ મદદ આપવાની ખાતરી આપી છે. બીજી તરફ ગુજરાતમાં 108 ઇમરજન્સી સેવા દરિયાકાંઠા વિસ્તારો માટે ખાસ સજ્જ કરવામાં આવી છે. 200થી વધુ 108 એમ્બ્યુલન્સ સૌરાષ્ટ્રના દરિયા કાંઠા વિસ્તારોમાં મુકાઇ છે.

  • 13 Jun 2023 08:52 AM (IST)

    Cyclone Biparjoyના પગલે જામનગરમાં 100 વર્ષ જૂનું રેલવે સ્ટેશન તોડી પડાયુ

    Jamnagar : જામનગરમાં બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર સજજ છે. આશરે 100 વર્ષ જૂના જુના રેલવે સ્ટેશનને તોડી પાડવામાં આવ્યુ છે. તંત્ર દ્વારા સાવચેતી ભાગ રૂપે બુલડોઝર ફેરવી આ જર્જરીત હાલતમાં રહેલા જુના રેલવે સ્ટેશનને તોડી પાડવામાં આવ્યુ છે. જામનગરમાં વાવાઝોડાને લઈને જિલ્લા તંત્ર એક્શન મોડમાં છે. JMCના કમિશનરે વાવાઝોડાને લઈને પ્રતિકિયા આપી છે. જામનગર શહેરમાં વાવાઝોડાની અસર થવાની શક્યતા છે. તારીખ 14 અને 15 જૂનના રોજ શહેરમાં 80 વધુ KMPSની ઝડપે પવન ફૂંકાશે.

  • 13 Jun 2023 08:47 AM (IST)

    ભાવનગર જિલ્લામાં બિપારજોય વાવાઝોડા અંતર્ગત જિલ્લાના કંટ્રોલરૂમના નંબર જાહેર કરાયા

    જિલ્લા કલેક્ટર ભાવનગર દ્વારા તમામ જનતાને અનુરોધ કરવામાં આવે છે કે બિપરજોય વાવાઝોડા અંતર્ગત જિલ્લાના કંટ્રોલરૂમ નંબર-૦૨૭૮-૨૫૨૧૫૫૪, ૦૨૭૮-૨૫૨૧૫૫૫ અને જિલ્લા કંટ્રોલરૂમના ટોલ ફ્રી નંબર ૧૦૭૭ નંબર જાહેર કરવામાં આવ્યા છે.

    આ ઉપરાંત તાલુકાના કન્ટ્રોલ રૂમના નંબરો

    1. ભાવનગર શહેર 0278-2430245 0278-2424816 9879206320
    2. ઘોઘા 0278-2882323
    3. સિહોર 02846-222009
    4. ઉમરાળા 02843-235230 9173820720
    5. વલ્લભીપુર 02841-222435
    6. પાલીતાણા 02848-243326
    7. ગારિયાઘાર 02843-252922
    8. મહુવા 02844-223042 7862046147
    9.  જેસર 02845-281400
    10. તળાજા 02842-222042 રહેશે.
  • 13 Jun 2023 08:28 AM (IST)

    Cyclone Biparjoy: હાઈ એલર્ટ પર ગુજરાત, હેલ્પલાઇન નંબર જાહેર

    Cyclone Biparjoy : રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાના તોળાઇ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતીનો કયાસ કાઢવા માટે તંત્ર સજ્જ છે. બિપરજોય વાવાઝોડા સામે ભાજપ સંગઠન પણ સજ્જ છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ હોદ્દેદારો સાથે બેઠક કરી છે.

    પ્રદેશ ભાજપે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર

    1. 079-232 76 943
    2. 079-232 76 944
  • 13 Jun 2023 07:22 AM (IST)

    ચક્રવાત બિપરજોયની અસર જોધપુર અને ઉદયપુરમાં પણ જોવા મળશે

    ચક્રવાત બિપરજોયની અસર જોધપુર અને ઉદયપુરમાં પણ જોવા મળશે. ભારે પવન સાથે વાવાઝોડા અને વરસાદની શક્યતા છે. લોકોને હવામાન વિભાગની ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. ચક્રવાતની અસર 15 અને 16 જૂને જોવા મળશે.

  • 13 Jun 2023 06:42 AM (IST)

    Cyclone Biparjoy: સિંહોની સલામતી માટે વન વિભાગનો સ્ટાફ હાઈએલર્ટ પર, સિંહોના વસવાટ વાળા વિસ્તારમાં 500 જેટલા વનકર્મીઓ દ્વારા પેટ્રોલિંગ

    બિપરજોય વાવાઝોડાને પગલે હવે વન વિભાગનો સ્ટાફ હાઈએલર્ટ મોડ પર છે. સિંહોના વસવાટ વાળા વિસ્તારમાં 500 જેટલા વનકર્મીઓ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે. જેના માટે 21 જેટલા કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવ્યા છે. ડીએફઓ, આરએફઓ સહિત 500 જેટલા વનકર્મીઓ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. અમરેલી, જાફરાબાદ, રાજુલા, જસાધાર, તુલસીશ્યામમાં સિંહો પર વનવિભાગ સતત નજર રાખી રહ્યું છે.

  • 13 Jun 2023 06:16 AM (IST)

    Cyclone Biparjoy Updates: PM મોદીએ CM ભુપેન્દ્ર પટેલ સાથે કરી ટેલીફોનીક વાતચીત

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ટેલીફોનીક વાતચીત કરીને રાજ્યમાં સંભવિત વાવાઝોડાની સ્થિતિમાં કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ યોગ્ય મદદ માટે ખાતરી આપી છે. સીએમએ ટ્વીટ કરીને માહિતી આપી છે.

  • 13 Jun 2023 05:51 AM (IST)

    પૂર્વ મધ્યને અડીને આવેલા ઉત્તર પૂર્વીય અરબી સમુદ્ર પર અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડું "બિપરજોય" યથાવત

    પૂર્વ મધ્યને અડીને આવેલા ઉત્તર પૂર્વીય અરબી સમુદ્ર પર અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડું "બિપરજોય" યથાવત છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા માટે ચક્રવાત ચેતવણી રૂપ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડું "બિપરજોય" કાસ્ટસેન્ટ્રલ અને નજીકના ઉત્તરપૂર્વીય અરબી સમુદ્ર પર છેલ્લા 6 કલાક દરમિયાન 8 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે.

Published On - Jun 13,2023 5:50 AM

Follow Us:
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
g clip-path="url(#clip0_868_265)">