08 માર્ચના મહત્વના સમાચાર : 08 માર્ચના મહત્વના સમાચાર : અમદાવાદમાં T20 વર્લ્ડકપનો મહામુકાબલો, ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ટક્કર, લાખો ક્રિકેટ રસિકો નિહાળશે મેચ, સ્ટેડિયમ આસપાસ 3 હજાર પોલીસ જવાનો તૈનાત

આજે 08 માર્ચના રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

08 માર્ચના મહત્વના સમાચાર : 08 માર્ચના મહત્વના સમાચાર : અમદાવાદમાં T20 વર્લ્ડકપનો મહામુકાબલો, ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે  ટક્કર, લાખો ક્રિકેટ રસિકો નિહાળશે મેચ, સ્ટેડિયમ આસપાસ 3 હજાર પોલીસ જવાનો તૈનાત
| Edited By: | Updated on: Mar 08, 2026 | 10:59 AM

LIVE NEWS & UPDATES

  • 08 Mar 2026 11:30 AM (IST)

    મોરબીનો સિરામિક ઉદ્યોગ શટડાઉન થવાની સ્થિતિમાં

    પ્રોપેન અને નેચરલ ગેસની અછતને કારણે મોરબીનો સિરામિક ઉદ્યોગ ધીમે ધીમે શટડાઉન થવાની સ્થિતિમાં પહોંચી રહ્યો છે અને તેની સીધી અસર સૌરાષ્ટ્ર-કચ્છના ટ્રાન્સપોર્ટ વ્યવસાય પર જોવા મળી રહી છે. ગલ્ફ દેશોમાંથી આવતો પ્રોપેન ગેસનો સપ્લાય અટકી ગયો છે, જેના કારણે પ્રોપેન ગેસ પર ચાલતા સિરામિક એકમો બંધ થવા લાગ્યા છે, જ્યારે નેચરલ ગેસ વાપરતા એકમો પણ આવનારા દિવસોમાં શટડાઉન તરફ વધી રહ્યા છે. મોરબીના સિરામિક ઉદ્યોગમાં ટાઇલ્સ અને કાચા માલની હેરફેર માટે મોટા પ્રમાણમાં ટ્રકોનો ઉપયોગ થાય છે, તેથી ફેક્ટરીઓ બંધ થતાં ટ્રાન્સપોર્ટ વ્યવસાય લગભગ ઠપ થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. મોટા ભાગના ટ્રક પર બેંક લોન ચાલુ હોવાથી ટ્રક માલિકો મુશ્કેલીમાં મુકાયા છે, જ્યારે ડ્રાઈવર, ક્લીનર, મેન્ટેનન્સ કામદારો અને ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા લાખો લોકોની રોજગારી પર સંકટ ઊભું થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. જો સ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો સમગ્ર વિસ્તારમાં ગંભીર આર્થિક અસર જોવા મળી શકે છે.

  • 08 Mar 2026 11:15 AM (IST)

    જામનગરઃ ધ્રોલ જી.એમ. પટેલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીનો આપઘાત

    જામનગરઃ ધ્રોલ જી.એમ. પટેલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ધોરણ-11 સાયન્સમાં અભ્યાસ કરતી હિરલ નામની વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા અનેક સવાલ ઉઠ્યા છે. દ્રારકા ખંભાળિયાની વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. ધ્રોલ પોલીસે મૃતદેહને જામનગર પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે.  જો કે વિદ્યાર્થિનીના આપઘાત પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી.


  • 08 Mar 2026 11:00 AM (IST)

    ટીમ ઈન્ડિયા આજે ફરી એકવાર ઈતિહાસ રચશે- હર્ષ સંઘવી

    ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે જ્યારે મહામુકબલો રમાશે, ત્યારે દેશભરમાંથી આવતા ક્રિકેટ ચાહકોને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ
    આવકાર આપ્યો છે. તેમણે કહ્યું છે કે તેમને ભારતીય ટીમ પર  ભરોસો છે. અને આજે ફરી એકવાર ભારતીય ટીમ ઇતિહાસ રચશે.

  • 08 Mar 2026 10:33 AM (IST)

    આશુતોષ મહારાજ પર જીવલેણ હુમલો

    આશુતોષ મહારાજ પર જીવલેણ હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. તિક્ષ્ણ હથિયારો વડે આશુતોષ મહારાજ પર હુમલો કરાયો, જેમા તેમને માથાના ભાગે ઈજા આવી છે. રિવા એક્સપ્રેસથી પ્રયાગરાજ જતી વખતે આ હુમલો કરાયો હતો.  હુમલાખોરે ચાકુથી નાક કાપ કાપવાની કોશિશ કરી હતી. છેવટે મહા મુસીબતે આશુતોષ મહારાજે ટ્રેનના ટોઈલેટમાં છુપાઈને જીવ બચાવ્યો હતો. આ એ જ આશુતોષ મહારાજ છે જેમણે શંકરાચાર્ચ અવિમુક્તેશ્વારનંદ વિરુદ્ધ પોક્સો હેઠળ કિશોરોના યૌન શોષણની ફરિયાદ નોંધાવી હતી.

  • 08 Mar 2026 10:30 AM (IST)

    જેતપુરના ગરીબ અને સ્લમ વિસ્તારના બાળકો માટે આ મહિલા બન્યા દેવદૂત

    રાજકોટના જેતપુરમાં ગરીબ અને સ્લમ વિસ્તારમાં રહેતા બાળકો માટે એક મહિલા જે દેવદૂત બનીને આવ્યા. શાસ્ત્રોમાં કહેવાય છે કે વિદ્યાદાન મોટું દાન છે.. અને આ જ વાતને સાર્થક કરવા માટે જેતપુરમાં પ્રીતિ અગ્રવાલે 10 વર્ષ અગાઉ જરૂરિયાતમંદ બાળકોને મફતમાં ટ્યુશન આપવાનું શરૂ કર્યું.. કોલકત્તામાં જન્મેલા પ્રીતિ અગ્રવાલને પહેલાથી જ સમાજ માટે અને જરૂરિયાતમંદ લોકો માટે કંઈક કરવાની ભાવના હતી.. પરંતું વર્ષ 2016માં 1 જાન્યુઆરીએ તેમને આ વિચારને સાર્થક કરવાનો નિર્ણય લીધો.. અને જરૂરિયાત મંદ બાળકોને નિ:શુલ્ક શિક્ષણ આપવાનો સંકલ્પ કર્યો… જે બાદ પ્રીતિ અગ્રવાલે તેમના પતિ અને પરિવારના સહકારથી જરૂરિયાતમંદ બાળકોના વાલીઓને મળીને પોતાના ઘરમાં જ 13 બાળકો સાથે મફત ટ્યુશન શરૂ કર્યું… 10 વર્ષ બાદ આજે તેઓ જેતપુરમાં 4 સેન્ટર પર અંદાજે 80 જેટલા જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ આપે છે.. અને ઘરથી શરૂ થયેલો આ પ્રયાસ આજે માય ઈન્ડિયા એડ્યુકેર સંસ્થાના નામથી ઓળખાવા લાગ્યો છે… અહીં આવતા બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.. સાથે જરૂરી સ્ટેશનરીની કીટ પણ પુરી પડાય છે.. ત્યારે પ્રીતિ અગ્રાવાલના વિદ્યાર્થીઓ પણ તેમના વખાણ કરતાં અને આભાર માનતાં થાકતાં નથી…

  • 08 Mar 2026 10:00 AM (IST)

    જુનાગઢ: પિતા-પુત્રનું અપહરણ કરી ઢોર માર મરાયો

    જુનાગઢના તોરણીયા ગામે રહેતા પિતા અને પુત્રનું અપહરણ કરી તેમને ઢોર માર મારવામાં આવ્યો હોવાનો આરોપ છે. મળતી માહિતી મુજબ યુવતી સાથે મિત્રતા હોવાને કારણે આ સમગ્ર બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. યુવતીના પતિ અને તેના સાથીદારોએ ફરિયાદીના ઘરે જઈ પિતા-પુત્રનું અપહરણ કરી તેમને વિસાવદર તાલુકાના રાજપરા ગામ પાસે આવેલા ફાર્મહાઉસમાં લઈ જઈ લાકડીઓ વડે માર માર્યો હોવાનો આરોપ છે. આ બનાવ બાદ પિતા-પુત્ર મહામહેનતે છૂટીને પોતાના ગામ પરત ફર્યા હતા અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આરોપીઓ સાથે તોરણીયા ગામે બનાવનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે. હાલ પોલીસ આરોપીઓને કોર્ટમાં રજુ કરવાની તજવીજ હાથ ધરી રહી છે.

  • 08 Mar 2026 09:30 AM (IST)

    ભરૂચ: અંકલેશ્વરના પાનોલીની કંપનીમાં ભીષણ આગ

    ભરૂચ: અંકલેશ્વરના પાનોલીની કંપનીમાં ભીષણ આગ લાગી છે. ક્રિશી રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડમાં આગની ઘટના સામે આવી છે. આગની જ્વાળા અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા છે. 80 કામદારોને તાત્કાલિક ફેક્ટરીની બહાર કઢાયા છે. 3 કામદારોને ધુમાડાની અસર થઈ છે. ઇજાગ્રસ્ત 3 કામદારોને હોસ્પિટલ ખસેડાયા છે. 15થી વધુ ફાયર ફાઇટરો આગ પર કાબૂ મેળવવા કામગીરીમાં જોડાયા છે. ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરાયો છે.  કંપની વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આગ લાગવાના કારણ અંગે તપાસ હાથ ધરાઈ છે.  ફાયર બ્રિગેડ દ્વારા સતત કૂલિંગ કામગીરી ચાલુ છે.

  • 08 Mar 2026 09:00 AM (IST)

    સુરેન્દ્રનગર: કેનાલમાં નાહવા પડેલા બે કિશોર ડૂબ્યા

    સુરેન્દ્રનગર: કેનાલમાં નાહવા પડેલા બે કિશોર ડૂબ્યા હતા. જે પૈકી એકનું મોત અને અન્ય કિશોરની શોધખોળ યથાવત છે. લીંબડી તાલુકાના છાલિયા તળાવ પાસેની ઘટના છે. ફાયર ફાઇટર ટીમ દ્વારા એક કિશોરને બહાર કાઢવામાં આવ્યો છે. હોસ્પિટલમાં ડોક્ટરે એક કિશોરને મૃત જાહેર કર્યો છે. બીજા કિશોરની શોધખોળ માટે ફાયર ફાઇટર ટીમ કામગીરીમાં લાગી છે. સુરેન્દ્રનગર મનપાની ફાયર ટીમ દ્વારા કેનાલમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે. એકનો મૃતદેહ મળ્યો, અન્યની શોધખોળ ચાલુ છે.

  • 08 Mar 2026 08:26 AM (IST)

    વાવ થરાદ: ધરણીધરના માવસરી ગામની ગૌશાળાને લઈને રાજકારણ ગરમાયું

    વાવ થરાદ: ધરણીધરના માવસરી ગામની ગૌશાળાને લઈને રાજકારણ ગરમાયું છે. ગૌશાળાના વહીવટમાં ઉચાપતના આક્ષેપ સાથે ભાજપ કોંગ્રેસ આમને સામને આવ્યા. એક કરોડ ચોવીસ લાખના વહીવટ પર વિવાદ ઉગ્ર બન્યો છે. ગાયો માટે મળતી સરકારી સહાયના વહીવટ પર કોંગ્રેસે આક્ષેપ કર્યા છે. માવસરી ગામના સરપંચના પતિ અને ભાજપ પ્રમુખ પ્રકાશ વ્યાસ પર કોંગ્રેસનો આરોપ છે કે ગાયોના નામે નાણાં વહીવટમાં ગડબડ કરાઈ. કિસાન કોંગ્રેસ ચેરમેન ઠાકરસી રબારીએ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કરતા વાવ થરાદનું રાજકારણ ગરમાયુ છે.

  • 08 Mar 2026 07:57 AM (IST)

    T20 વર્લ્ડ કપની ફાઈનલ પહેલા સ્ટેડિયમમાં લોખંડી બંદોબસ્ત

    અમદાવાદમાં આવતીકાલે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાનારી ટી-20 વર્લ્ડકપની ફાઇનલને લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને શહેરમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. અમદાવાદ પોલીસ કમિશનરે સ્ટેડિયમની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. સ્ટેડિયમમાં BDDS અને NDRFની ટીમ તૈનાત રહેશે. 8-DCP, 14-ACP, 27 પીઆઈ, 91 પીએસઆઈ સહિત 1 હજાર 800 પોલીસકર્મી બંદોબસ્તમા તૈનાત રહેશે. ટ્રાફિક સંચાલન માટે 744 અધિકારી અને કર્મીઓ તૈનાત રહેશે. પોલીસકર્મી, TRB અને હોમગાર્ડ સહિત 700 જવાનો ટ્રાફિક નિયમન કરશે. ફાઈનલ મેચ પહેલા સમગ્ર સ્ટેડિયમમાં લોખંડી સુરક્ષા કવચ તૈયાર છે. સ્ટેડિયમમાં એન્ટી-ડ્રોન સિસ્ટમ તૈનાત રહેશે. આ અંગે પોલીસ કમિશનરે કહ્યું કે પ્રથમવાર ગેટ નંબર એક પર હોલ્ડિંગ એરિયા રાખવામાં આવ્યો છે અને1 લાખ 10 હજારથી વધુ લોકો આવવાની શક્યતાઓ છે. પોલીસ કમિશરે પ્રેક્ષકોને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અપીલ કરી.

  • 08 Mar 2026 07:53 AM (IST)

    ટી-20 વર્લ્ડકપ ફાઈનલ પહેલા ભારત-ન્યૂઝીલેન્ડના કેપ્ટન વચ્ચે ‘વાકયુદ્ધ’

    ટી-20 વર્લ્ડકપ ફાઈનલ પહેલા ભારત-ન્યૂઝીલેન્ડના કેપ્ટન વચ્ચે ‘વાકયુદ્ધ’ છેડાયુ છે. ન્યુઝીલેન્ડના કેપ્ટન સેન્ટનરના પડકાર બાદ સૂર્યકુમાર યાદવે પણ પલટવાર કરતા કહ્યુ કે સેન્ટનર ચતુર કેપ્ટન છે, પરંતુ અમારી ટીમ પડકારને પહોંચી વળવા સક્ષમ છે. ભારતીય પ્રેક્ષકોને શાંત રાખવાના સેન્ટનરના નિવેદન પર સૂર્યકુમારે જવાબ આપ્યો કે દરેક એક જ લાઈન બોલે છે પણ તેમણે કંઈક નવું કરવુ જોઈએ. અમે લોકો સારી બેટિંગ માટે પ્રયાસ કરીશુ. વિકેટની ડિમાન્ડ મુજબ અમે રમીશું. ભારત અને ન્યુઝિલેન્ડની ટીમે મોદી સ્ટેડિયમમાં નેટ પ્રેક્ટિસ કરી હતી. પહેલા ન્યુઝિલેન્ડ અને ત્યારબાદ ભારતીય ક્રિકેટ ટીમે સ્ટેડિયમમાં નેટ પ્રેક્ટિસ કરી.

  • 08 Mar 2026 07:51 AM (IST)

    CMનાં હસ્તે કોફી ટેબલ બૂકનું અનાવરણ

    CMનાં હસ્તે કોફી ટેબલ બૂકનું અનાવરણ કરવામાં આવ્યુ. ‘ગુજરાત બિયોન્ડ ગ્રોથ’ કોફી ટેબલ બૂકનું અનાવરણ કરાયુ. કોફી ટેબલ બુકમાં ઉદ્યોગ સાહસિકોના અનુભવોનું ભાથુ છે. જેઓએ  ઉદ્યોગથી આગળ વધી સમાજની સેવા કરી. વેપાર અને વ્યવસાયની સાથે સામાજિક જવાબદારી પણ નિભાવી. દેશની પ્રગતિ સાથે સમાજમાં પણ યોગદાન આપ્યુ. આ બુકના અનાવરણ પ્રસંગે CMના હસ્તે  સ્મૃતિ ચિન્હ એનાયત કરાયા. ધમધમતા ઉદ્યોગો અને ધમસમતી સેવાની વાત બુકમાં કરાઈ છે. કોફી ટેબલ બુકમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પર ભાર મુકાયો છે. CSRની પ્રવૃતિ વર્ણવતી કોફી ટેબલ બૂકનું અનાવરણ થયુ.

આજે 08 માર્ચના રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજે અમદાવાદમાં ટી20 વર્લ્ડ કપવો મહામુકાબલો યોજાવાનો છે ત્યારે વર્લ્ડ કપને લગતી તમામ અપડેટ્સ તેમજ  આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:44 am, Sun, 8 March 26