Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો, 185 નવા કેસ, 4 દર્દીઓના મૃત્યુ

|

Jun 20, 2021 | 7:48 PM

Gujarat Corona Update : રાજ્યમાં આજે 20 જૂનના રોજ 1,96,382 નાગરીકોનું રસીકરણ થયું અને અત્યાર સુધીમાં કુલ 2,20,68,302 ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો, 185 નવા કેસ, 4 દર્દીઓના મૃત્યુ
રચાનાત્મક તસ્વીર

Follow us on

Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના નવા કેસ, મૃત્યુ અને એક્ટીવ કેસમાં મોટો ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં આજે 20 જૂનના રોજ ઘણા દિવસો પછી 200 થી ઓછા કોરોનાના નવા કેસ નોધાયા અને અને 4 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં એક્ટીવ કેસ પણ ઘટીને 61૦9 થયા છે.

 

185 નવા કેસ, 4 દર્દીઓના મૃત્યુ
રાજ્યમાં આજે 20 જૂનના રોજ કોરોનાના નવા 185 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 4 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,22,334 થઇ છે અને મૃત્યુઆંક 10,૦32 થયો છે.

આજે રાજ્યના મહાનગરોમાં કોવીડ દર્દીઓના મૃત્યુના આંકડા જોઈએ તો અમદાવાદ શહેરમાં 1, જુનાગઢ જિલ્લામાં 1, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1 અને ભાવનગર જિલ્લામાં કોરોનાના કારણે 1 દર્દીનું મૃત્યુ થયું છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

અમદાવાદમાં 38 નવા કેસ
રાજ્યમાં આજે 20 જૂનના રોજ અમદાવાદ શહેરમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 38, સુરતમાં 27, વડોદરામાં 11, રાજકોટમાં 8, જુનાગઢમાં 4 , જામનગરમાં 3, ભાવનગરના 1 અને ગાંધીનગર શહેરમાં કોરોના વાયરસનો એક પણ નવો કેસ નોધાયો નથી. અન્ય કેસ રાજ્યના વિવિધ શહેર-જિલ્લાઓમાંથી છે. (Gujarat Corona Update)

651 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 6109 થયા
રાજ્યમાં આજે 20 જૂનના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 651 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,05,193 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 98.04 ટકા થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 6109 થયા છે, જેમાં 142 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 5967 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. (Gujarat Corona Update)

આજે 1,96,382 નાગરિકોનું રસીકરણ થયું
રાજ્યના રસીકરણ અભિયાનમાં આજે 20 જૂનના રોજ 1,96,382 નાગરિકોનું રસીકરણ થયું છે. આ સાથે જ કોરોના રસીકરણ અભિયાનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,20,68,302 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આજના દિવસે થયેલા રસીકરણની વિગત જોઈએ તો

1) 354 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ,
2) 2469 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ,
3) 45 થી વધુ ઉમરના 25,013 નાગરિકોને પ્રથમ ડોઝ,
4) 45 થી વધુ ઉમરના 23,851 નાગરિકોને બીજો ડોઝ,
5) 18-45 વર્ષ સુધીના 1,36,686 નાગરિકોને પ્રથમ ડોઝ,
6) 18-45 વર્ષ સુધીના 8279 નાગરિકોના બીજા ડોઝનું રસીકરણ થયું છે. (Gujarat Corona Update)

Next Article