ગુજરાતમાં કોરોનાના નવા 116 કેસ નોંધાયા, એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો

|

Mar 03, 2022 | 12:23 AM

ગુજરાતમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં બે માર્ચના રોજ કોરોના નવા 116 કેસ નોંધાયા છે જેરે કોરોનાના લીધે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.

ગુજરાતમાં કોરોનાના નવા 116 કેસ નોંધાયા, એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો
Gujarat Corona Update (File Image)

Follow us on

ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona)  નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં બે માર્ચના રોજ કોરોના નવા 116 કેસ નોંધાયા છે જયારે  કોરોનાના લીધે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો (Death) છે. જ્યારે  રાજ્યમાં આજે 334 ર્દીઓ સાજા થયા છે.અમદાવાદ શહેરમાં 47, વડોદરા શહેરમાં 17, વડોદરામાં 09, આણંદ, બનાસકાંઠા, કચ્છ, સુરતમાં 4-4, દાહોદ, ગાંધીનગર શહેર, ખેડામાં 3-3, મહીસાગર, મહેસાણા, પાટણ, રાજકોટ શહેર, સુરેન્દ્રનગરમાં 2-2 કેસ નોંધાયા છે.

જ્યારે છોટાઉદેપુર, મોરબી, નવસારી, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, સુરત શહેર તાપીમાં 1-1 કેસ નોંધાયો છે. રાજ્યમાં આજે 15 જિલ્લા અને 3 મહાનગરમાં કોરોનાના નવા શૂન્ય કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ, અમરેલી, અરવલ્લી, ભરૂચ, ભાવનગર શહેર જિલ્લો, બોટાદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીરસોમનાથ, જામનગર શહેર જિલ્લો, જૂનાગઢ શહેર જિલ્લો, નર્મદા, પોરબંદર, વલસાડનો સમાવેશ થાય છે.રાજ્યમાં કોરોનાના ફક્ત 1428 એક્ટિવ કેસ  છે. રાજ્યમાં આજે ફક્ત વડોદરા શહેરમાં જ એક વ્યક્તિનું  મોત થયું છે.

કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને મહત્વની જાહેરાત કરાઈ

ઉલ્લેખનીય છે, રાજ્યમાં કોરોનાના કેસમાં રોજેરોજ ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા સોમવારે કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને મહત્વની જાહેરાત કરાઈ છે. રાજ્યમાં હવે લગ્ન પ્રસંગ અને સામાજીક પ્રસંગમાં લોકોની હાજરીની નિયત સંખ્યાની મર્યાદા દૂર કરવામાં આવી છે. સાથે ગૃહ વિભાગે લગાવેલા નિયંત્રણો દૂર કરી દીધા છે. એટલું જ નહીં આ નિયંત્રણો 31મી માર્ચ સુધી જાહેર અને સામાજીક તથા રાજકીય કાર્યક્રમમાં નિયત કરાયેલી સંખ્યાની મર્યાદા દૂર કરવામાં આવી છે. જાહેરસ્થળો પર માસ્ક અને સામાજિક અંતર ફરજીયાતનો નિયમ યથાવત રાખવામાં આવ્યો છે. સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ 2 માર્ચથી કોવિડ વેક્સિન લીધાનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર રજૂ કરી પ્રવેશ મેળવી શકશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું આવશ્યક રહેશે નહી

જેમાં કોવિડ એપ્રોપ્રિએટ બિહેવીયર અન્વયે ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ, જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ અને સેનીટાઇઝેશન-વારંવાર હાથ ધોવાના નિયમો યથાવત રહેશે. તેમજ બંધ જગ્યાએ યોગ્ય વેન્ટીલેશન રાખવાનું રહેશે. જ્યારે સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ હવે તા. ર માર્ચ-ર૦ર૨ થી કોવિડ વેક્સિન લીધાનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર રજુ કરી પ્રવેશ મેળવી શકશે. વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું આવશ્યક રહેશે નહી. તેમજ ભારત સરકાર દ્વારા જારી કરાયેલી કોવિડ સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સનો તા. ૩૧ માર્ચ ર૦રર સુધી રાજ્યમાં અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Kutch : નવ દરિયાઈ રાજ્યો અને ચાર કેન્દ્ર શાસિત પ્રદેશોને આવરતી સાગર પરિક્રમાનો ગુજરાતથી થશે પ્રારંભ

આ પણ વાંચો :  રાજકોટના જાણીતા ઉદ્યોગકાર મહેન્દ્ર ફળદુ આત્મહત્યા કેસ, ઓઝોન બિલ્ડરના માલિક દિપક પટેેલે મીડિયા સામે મોંઢુ છુપાવ્યું

 

Published On - 7:47 pm, Wed, 2 March 22

Next Article