ગુજરાત પેટાચૂંટણી 2019: હાઈપ્રોફાઈલ બેઠક રાધનપુરના ગામડાઓ બેહાલ! કોણ બનશે તારણહાર?

|

Oct 15, 2019 | 10:03 AM

રાધનપુર બેઠકમાં જીત માટે તમામ પક્ષોએ પૂરજોશથી પ્રચાર કરી રહ્યા છે. બંને પક્ષોના કાર્યક્રમોમાં ભીડ પણ જોવા મળે છે. જો કે વિકાસની રાજનીતિમાં રાધનપુર ક્યાંય પાછળ રહી ગયું હોય તેવું લાગી રહ્યું છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 05-05-2024 આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ […]

ગુજરાત પેટાચૂંટણી 2019: હાઈપ્રોફાઈલ બેઠક રાધનપુરના ગામડાઓ બેહાલ! કોણ બનશે તારણહાર?
alpesh thakor

Follow us on

રાધનપુર બેઠકમાં જીત માટે તમામ પક્ષોએ પૂરજોશથી પ્રચાર કરી રહ્યા છે. બંને પક્ષોના કાર્યક્રમોમાં ભીડ પણ જોવા મળે છે. જો કે વિકાસની રાજનીતિમાં રાધનપુર ક્યાંય પાછળ રહી ગયું હોય તેવું લાગી રહ્યું છે.

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

ચૂંટણી વખતે તો ભાજપ, કોંગ્રેસ કે પછી અન્ય રાજકીય પક્ષ જીત બાદ પોતાના મતવિસ્તારની કાયાપલટના દાવાઓ કરે જ છે. પરંતુ દાવાઓ ત્યારે પોકડ લાગે છે. જ્યારે વાસ્તવિક ચિત્ર જોવામાં આવે છે. આમ તો રાધનપુર બેઠકએ વર્ષોથી હાઈ-પ્રોફાઈલ બેઠક રહી છે. એક સમયના મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા હોય કે, સતત ત્રણ ટર્મ સુધી કેબિનેટ પ્રધાન બનેલા શંકરચૌધરી…તમામને રાધનપુરની જનતાએ સ્વીકાર્યા અને જીતાડ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કહી શકાય કે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીને રાધનપુરની જનતાએ તક આપી હતી. જો કે રાધનપુરમાં રોડ-રસ્તા, પાણીથી લઈને પ્રાથમિક સુવિધા સુધીની કેટલાક વિસ્તારોમાં ખોટ જોવા મળી છે. ત્યારે રાધનપુર શહેરમાં જ જાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનને ઘોળીને પી ગયા હોય એ પ્રકારના દશ્યો પણ જોવા મળી રહ્યા છે. પાક વીમાનો મુદ્દો હોય કે બેરોજગારીનો મુદ્દો હોય, શિક્ષણનો મુદ્દો હોય કે પછી બનાસ નદીના પાણીનો મુદ્દો હોય અનેક પ્રશ્નો અહીં વર્ષોથી વણ ઉકેલ્યા રહ્યા છે. ગામડાઓમાં આજે પણ પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે જ્યાં ખેતીને નુકસાન થયું છે, ત્યાં આજે પણ કેટલાય ગામડાઓમાં પીવાના પાણીને લઈને પણ સમસ્યાઓ છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આજે પણ આવાસ યોજનાથી વંચિત રહી ગયેલા અનેક વિસ્તારો છે. જો કે કોંગ્રેસ આ દોષનો ટોપલો ભાજપ પર ઢોળે છે તો ભાજપ કોંગ્રેસના કામ કરવાની પદ્ધતિ અને આવડતના અભાવ ના કારણે વિકાસ ન થયો હોવાની વાત કરે છે. પરંતુ આ તમામ પરિસ્થિતિઓની વચ્ચે પ્રજાની હાલત ‘જેસે થે’ની પરિસ્થિતિમાં આવી જાય છે. ત્યારે જોવાનું એ છે કે આ વખતે ચૂંટણીના મેદાનમાં જીત મેળવ્યા બાદ પોતાના કરેલા વાયદાને કયા ઉમેદવારો કેટલા યાદ રાખશે અને કેટલા નિભાવશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:25 pm, Mon, 14 October 19

Next Article