ગુજરાતના વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) પૂર્વે જ રાજકીય પક્ષોની ગતિ તેજ થઈ છે. જેમાં ગુજરાતમાં ભાજપના(BJP) શાસનમાં છેલ્લા કેટલાય વર્ષોથી કોંગ્રેસ પાર્ટી (Congress) અર્બન વિસ્તારોની(Urban) બેઠકો ઉપરની પકડ ગુમાવતી જઇ રહી છે.. ત્યારે 2022 માં શહેરી વિસ્તારોમાં પાર્ટીને લેવી રીતે મજબૂત કરવી અને 2017 નાં પરિણામો જોતાં એન્ટીઇન્કમ્બન્સી ફેક્ટરને ધ્યાને લઈને શહેરી વિસ્તારને સંગઠનની દ્રષ્ટિએ વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં મિંશન 2022 અંતર્ગત ગુજરાત કોંગ્રેસ દ્વારા નવ સંકલ્પ શહેરી ચિંતિન શિબિરનું આયોજન કરાયું છે કે પાર્ટીને શહેરોમાં મજબૂત કરીને સન્માનજનક પરિસ્થિતિમાં લાવી શકાય.કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની અઘ્યક્ષતામાં મળેલી બેઠકમાં આગામી આંદોલનાત્મક કાર્યક્રમો અને રણનીતિ અંગે ચર્ચા કરવા 8 મહાનગર પાલિકાઓના સિલેકટેડ લોકોને આજે બોલાવવામાં આવ્યા છે. તેમજ આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા નગરપાલિકાઓ જે સેમી અર્બન કહેવાય છે તેના હોદ્દેદારોને પણ ઝોનવાઇઝ બોલાવવામાં આવશે
ગુજરાતમાં હાલમાં કોંગ્રેસ દ્વારા સંગઠનની 90 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. જેના સંગઠનની રચના બાદ આંદોલનની ભૂમિકા ત્યારબાદ ચૂંટણીની તૈયારી થશે. જેમાં રાહુલ ગાંધીએ વિવિધ સમાજો સાથે કેવી રીતે ડાયલોગ કરવો તે અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. બીજી તરફ કોંગ્રેસ ધારાસભ્ય ગ્યાસુદીન શેખ દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે.. શહેરી વિસ્તારના લોકોની માનસને સમજવું જરૂરી છે. મિટિંગો અને બેઠાકોથી કઈ નહીં થાય વોર્ડ લેવલથી લોકોની વચ્ચે જવાની જરૂર છે. કોઈક ભૂલ હોય તો જ આપણે સત્તાથી બહાર છીએ. આપણે રાજકોટ વડોદરા, અને સુરતમાં જીતી શકતા નથી. જ્યારે અમદાવાદમાં કેટલીક સીટો જીતી રહ્યા છે. રાજ્યના હાલમાં આઠ મહાનગર પાલિકાની 43 બેઠકમાંથી માત્ર 6 બેઠક કોંગ્રેસ પાસે છે.
શહેરી વિસ્તારમાં કોંગ્રસને મજબુત કરી ગાંધીનગરની ગાદી પર પહોંચવા માટે ગુજરાત કોંગ્રેસે કમર કસી છે. પરંતુ હરહંમેશ માટે કોંગ્રેસ શહેરી વિસ્તારમાં નબળી રહી છે. શહેરી વિસ્તારમાં આઠ મહાનગર અને સેમી અર્બન વિસ્તારમાં કોંગ્રસને મજબુત કરવા કવાયત હાથ ધરાઇ રહી છે..
Published On - 4:35 pm, Fri, 27 May 22