ગુજરાતના એડવોકેટ જનરલે કેન્દ્રીય ગૃહ મંત્રીને “યુગ પુરુષ” કેમ ગણાવ્યા…જુઓ Video

ગુજરાત બાર કાઉન્સિલના વિક્રમી શપથવિધિ સમારોહમાં, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને "યુગ પુરુષ" ગણાવ્યા. અડાલજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 17,000થી વધુ વકીલો હાજર હતા.

ગુજરાતના એડવોકેટ જનરલે કેન્દ્રીય ગૃહ મંત્રીને યુગ પુરુષ કેમ ગણાવ્યા...જુઓ Video
| Edited By: | Updated on: Mar 09, 2025 | 3:58 PM

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત આયોજિત નવા વકીલોના શપથ ગ્રહણ સમારોહમાં ગુજરાતના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહને “યુગ પુરુષ ગણાવ્યા”.

અમદાવાદના અડાલજ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી 17 હજારથી વધુ વકીલો હાજર હતા જેમાંથી 11 હજારથી વધુ લોકો વકીલ તરીકેની શપથ લેવાના હતા પરંતુ તે પેહલા સ્વાગત પ્રવચન આપવા માટે જ્યારે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ પ્રવચનની શરૂઆત કરી ત્યારે તેમણે અમિત શાહનો પરિચય આપતા કહ્યું કે, અમિત ભાઈ આમતો વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા નથી પરંતુ તેઓ કાયદાની તમામ આંટીઘૂંટીને પી ગયેલા વ્યક્તિ છે.કમલ ત્રિવેદીના આ શબ્દો સાંભળતાની સાથે જ સ્ટેજ પર બેઠેલા તમામ વ્યક્તિઓના ચેહરા પર એક સ્મિત આવ્યું હતું.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટો કાર્યક્રમ અડાલજ ખાતે યોજાયો જેમાં 12 કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ના પ્રમુખ મનન મિશ્રા, ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતા ઉપરાંત સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશો,દેશભરની બાર કાઉન્સિલોના પ્રમુખ, ગુજરાત હાઇકોર્ટના સિનિયર વકીલો સહિતના લોકો આ કાર્યક્રમમાં હાજરી રહ્યા, મહત્વનું છે કે, આ કાર્યક્રમના આયોજન માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને જે જે પટેલ લાંબા સમયથી પરિશ્રમ કરી રહ્યા હતા અને આ કાર્યક્રમની શરૂઆતમાં જે જે પટેલ ટીવી9 સાથે વાત કરતા કહ્યું કે માત્ર વકીલો માટે જ નહીં પરંતુ રાજકીય પક્ષો માટે પણ સીધો સંદેશ આપશે કે તમામ વકીલો એક સાથે અને એક મંચ પર છે.

મહત્વનું છે એડવોકેટ જનરલે આ કાર્યક્રમનો શ્રેય જે જે પટેલને આપ્યો હતો અને હાજર તમામ લોકોએ આ કાર્યક્રમને વધાવ્યો પણ હતો