ગુજરાત(Gujarat) ના કોરોના(Corona) ના કેસના સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેમાં રાજ્ય માટે સારા સમાચાર એ છે કે 460 દિવસ બાદ કોરોનાના 50 થી ઓછા કેસ નોંધાયા છે. જેમાં કોરોનાના 50 થી ઓછા કેસ સાત એપ્રિલ 2020 બાદ નોંધાયા છે.ઉલ્લેખનીય છે કે સાત એપ્રિલ 2020એ દેશભરમાં લોકડાઉન હતું. ત્યારે ગુજરાતમાં 19 કેસ નોંધાયા હતા. જો કે ગુજરાતમાં રવિવારે કોરોનાના 42 કેસ નોંધાયા હતા. જ્યારે એક પણ વ્યકિતનું મૃત્યુ થયું હતું.
18 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નહિ
આ ઉપરાંત રાજ્યમાં કોરોનાના કુલ કેસોની વાત કરીએ તો હાલ 931 સક્રિય કેસ છે જેમાંથી 9 લોકો વેન્ટિલેટર પર છે. તેમજ રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 98. 66 ટકા નોંધાયો છે.આ ઉપરાંત રાજ્યના જિલ્લાવાર આંકડા પર નજર કરીએ ગાંધીનગર મહાનગર પાલિકા અને અન્ય 18 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.
સુરતમાં 11, અમદાવાદમાં 7 નવા કેસ
રાજ્યમાં 11 જુલાઈના રોજ સુરત શહેરમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો સુરતમાં 11, અમદાવાદમાં 7, રાજકોટ અને વડોદરામાં 3-3, ભાવનગર અને જામનગરમાં 1-1, જયારે જુનાગઢ અને ગાંધીનગરમાં કોરોના વાયરસનો એક પણ નવો કેસ નોંધાયો નથી, અન્ય કેસો રાજ્યના વિવિધ શહેર-જિલ્લાઓમાંથી છે.
262 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 931 થયા
રાજ્યમાં 11 જુલાઈના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 262 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,13,238 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 98.66 ટકા થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 931 થયા છે, જેમાં 9 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 922 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.
જ્યારે ગુજરાતમાં 11 જુલાઈના રોજ 2,32,949 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ 18-44 ઉંમરવર્ગના 1,15,506 નાગરીકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,78,60,422 ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Surat : મંદિરના પરિસરમાં જ નીકળી ભગવાન જગન્નાથજીની રથયાત્રા, તસ્વીરોમાં કરો દર્શન
આ પણ વાંચો : સ્વાસ્થ્ય માટે દરરોજ એક મુઠ્ઠી ચણા છે ‘ઘણા’, આ પાંચ ફાયદા જાણીને તમે પણ થઇ જશો અચંબિત
Published On - 5:46 pm, Mon, 12 July 21