Good News : સુરતમાં બીજી લહેરમાં પહેલીવાર આઇસીયુ, વેન્ટિલેટર પર એકપણ દર્દી નહિ

સુરતીઓ માટે સારા સમાચાર છે કે કોરોનના હવે શહેરમાં ફક્ત 1 જ કેસો નોંધાયા છે. અને આઈસીયુ અને વેન્ટિલેટર પર એકપણ દર્દી દાખલ નથી.

Good News : સુરતમાં બીજી લહેરમાં પહેલીવાર આઇસીયુ, વેન્ટિલેટર પર એકપણ દર્દી નહિ
Good News: For the first time in a second wave, not a single patient on ICU, ventilator
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 8:29 AM

કોરોનાની(corona )બીજી લહેર હવે શાંત થઇ ગઈ છે. વિવિધ હોસ્પિટલ તરફથી મળી રહેલા આંકડા તો એ જ સાબિત કરી રહ્યા છે.કારણ કે હોસ્પિટલોમાં હવે કોરોના ના ગંભીર દર્દીઓની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય એટલી જ છે. સોમવારે સુરતમાં કોરોનાના ફક્ત બે જ કેસો સામે આવ્યા છે. જેમાં સુરત શહેરમાં એક અને જીલ્લ્લામાં એક કેસ નોંધાયા છે.

પાછલા ચાર દિવસથી સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના ફક્ત બે જ કેસો સામે આવી રહ્યા છે. આ બધાની વચ્ચે સારી વાત(good news) તો એ પણ છે કે આ વખતે આઇસીયુ અને વેન્ટિલેટર પર કોરોનાનો એક પણ દર્દી નથી. એટલે કે આ આંકડો શૂન્ય થઇ ગયો છે.ત્યાં જ જો મૃત્યુઆંકણી વાત કરીએ તો નવા કેસો ઘટવા ની સાથે સાથે મૃત્યુનો સિલસિલો પણ અટકી ગયો છે. પાછળ 16 દિવસથી સુરતમાં કોરોનાથી એકપણ મૃત્યુ થયું નથી. છેલ્લી વાર 17 જુલાઈના રોજ એકનું મોત થયું હતું તે પછી એક પણ મૃત્યુ નોંધાયું નથી. એટલે કે આ આંકડો પણ શૂન્ય થઇ ગયો છે.

નોંધનીય છે કે હાલમાં સુરત સિવિલ હોસ્પિટલમાં(surat civil hospital )કોરોનાના 10 પોઝિટિવ દર્દીઓ દાખલ છે. આઈસીયુ અને વેન્ટિલેટર પર એકપણ દર્દી દાખલ નથી. ત્યાં  જ બાયપે  અને ઓક્સિજન પર 3-3 દર્દીઓ દાખલ છે. બીજી બાજુ સ્મીમેર હોસ્પિટલમાં પણ આઇસીયુ, વેન્ટિલેટર અને બાયપેપ  પર એક પણ દર્દી દાખલ નથી. જયારે ઓક્સિજન પર ફક્ત 2 જ દર્દી દાખલ છે. સ્મીમેરમાં હાલ એક્ટિવ દર્દીઓની સંખ્યા ફક્ત 4 જ છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

સારા સમાચાર : સુરતમાં એક અને ગ્રામ્ય વિસ્તારમાંથી પણ 1 એટલે કે ફક્ત 2 જ કેસો સામે આવ્યા છે. અત્યારસુધી 1,42,495 કેસો નોંધાઈ ચુક્યા છે. જયારે અત્યારસુધી 2114 દર્દીઓના મોત થઇ ચુક્યા છે. પહેલીવાર સુરતમાં ફક્ત એક જ કેસ સામે આવ્યો છે. આ પહેલા 16 માર્ચ,2020ના રોજ કોરોના નો પહેલો કેસ નોંધાયો હતો એટલું જ નહિ આ પહેલા 22 ફેબ્રુઆરી,2021ના રોજ આઇસીયુ  અને વેન્ટિલેટર પર એક પણ દર્દીનુ હતો ત્યારે સિવિલમાં ફક્ત 35 દર્દીઓ જ દાખલ હતા. જોકે ચિતા હવે એ વાતની છે કે લોકો કોરોનને ભૂલીને ફરી ત્રીજી લહેરને આમંત્રણ આપતા હોય એવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે.

Latest News Updates

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">