ગીર સોમનાથના ઉનામાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસે કાર્યવાહી કરી છે. ઉનામાં પથ્થરમારો કરનારા 76 લોકો સામે નામ જોગ ગુનો નોંધી પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે.તમામ 76 આરોપીઓ સામે રાયોટીંગ અને વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમની વિવિધ કલમો 323, 337,427,143,147,148, હેઠળ ગુનો નોંધાયો છે. એટલું જ નહીં પોલીસ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની પણ તજવીજ હાથ ધરશે. તો બીજી તરફ અજાણ્યા 200થી વધુ શખ્સો સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે.
મહત્વનું છે કે ઉનામાં રામનવમીના દિવસે કાજલ હિન્દુસ્તાનીના ભડકાઉ ભાષણને લઇ વિવાદ વકર્યો હતો અને ઉના સજ્જડ બંધ રહ્યું હતું.જે બાદ પોલીસે બંને પક્ષ વચ્ચે શાંતિ સલામતિની બેઠક કરી વિવાદ થાળે પડ્યો હતો.પરંતુ ત્યારબાદ ફરી પથ્થરમારો થતાં ઉનામાં માહોલ તંગ બન્યો હતો.તો બીજી તરફ ઉશ્કેરણીજનક ભાષણના આરોપમાં કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.
જ્યારે શનિવારે મોડી સાંજે કુંભારવાડા, કોર્ટ વિસ્તાર, ભોયવાડા અને કોળી વાડા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા પથ્થર મારો કરીને તંગદિલી સર્જવાનો પ્રયાસ કર્યો છે. જેમાં ઉના પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું.
આ પણ વાંચો : Breaking News : રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધી પણ સોમવારે સુરત આવે તેવી શકયતા
કાજલના નિવેદનના સમગ્ર ઉનામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. શહેરમાં એક વેપારીની દુકાનમાં કામ કરતા કર્મચારી અને વેપારી વચ્ચે પણ કાજલના ભાષણ મુદ્દે પણ બોલાચાલી થઈ. વિધર્મી કર્મચારી વેપારી માલિક સાથે ગાળાગાળી કરી રસ્તા ઉપર ઉતરી આવ્યો અને તેણે વેપારીને ધમકી પણ આપી હતી. જેના વિરોધમાં ચેમ્બર ઓફ કોમર્સે ઉના બંધનું એલાન આપ્યું. બંધને પગલે મોટાભાગની મુખ્ય બજારો બંધ રહી હતી.
ઉના પોલીસે રામનવમીના સંચાલક અને કાજલ હિન્દુસ્તાની વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહીની ખાતરી આપતા સમગ્ર વિવાદ થાળે પડ્યો હતો. નોંધનીય છે કે કાજલ હિન્દુસ્તાની પોતાના વિવાદીત નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 11:23 pm, Sun, 2 April 23