AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gir Somnath : સોમનાથ કપર્દી વિનાયક મંદિર ખાતે ગણપતિ અથર્વશીર્ષ પાઠ મહાઅનુષ્ઠાનનો પાંચમો મણકો યોજાયો

રાજ્યભરની તમામ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા ક્રમશઃ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પરિસરમાં બિરાજમાન પ્રાચીન કપર્દિ વિનાયક મંદિરના સાનિધ્યમાં પ્રત્યેક માસની બંને પક્ષની ચતુર્થી પર શ્રી ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરવામાં આવે છે.

Gir Somnath : સોમનાથ કપર્દી વિનાયક મંદિર ખાતે ગણપતિ અથર્વશીર્ષ પાઠ મહાઅનુષ્ઠાનનો પાંચમો મણકો યોજાયો
Somnath
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2023 | 8:25 AM
Share

Gir Somnath : સોમનાથ (Somnath) જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં શ્રી ગણેશ આરાધનાનું અનુષ્ઠાન સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં રાજ્યભરની તમામ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા ક્રમશઃ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર પરિસરમાં બિરાજમાન પ્રાચીન શ્રી કપર્દિ વિનાયક મંદિરના સાનિધ્યમાં પ્રત્યેક માસની બંને પક્ષની ચતુર્થી પર શ્રી ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરવામાં આવે છે.

આ પણ વાંચો Gir Somnath : સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રીઓની સુવિધામાં વધારો, સોમનાથથી ગોલોકધામ દર કલાકે બસ સેવાનો પ્રારંભ

ઋષિ કુમારો દ્વારા 11,000થી વધુ શ્રી ગણપતિ અથર્વશીર્ષનો પાઠ

આ મહાઅનુષ્ઠાનનો પાંચમો મણકો 4 ઓગસ્ટે સંપન્ન થયો હતો. જેમાં કે.બી.જોષી સંસ્કૃત કોલેજ ભરવાડા, વી.ટી.ચોક્સી સૂર્યપુર સંસ્કૃત મહાવિદ્યાલય, આમલીરણ (સુરત), શાંડિલ્ય ઋષિ વેદ સંસ્કૃત મહાવિદ્યાલય, અડાજણ (સુરત) અને સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારો દ્વારા 11,000થી વધુ શ્રી ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરવામાં આવ્યા હતા.

Somnath

Somnath

સોમનાથ સંસ્કૃત પાઠશાળા ઉપરાંત રાજ્યની 10 પાઠશાળાઓ સોમનાથ પધારી

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આધ્યતમિક્તાની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ સમગ્ર પ્રભાસ તીર્થમાં આધ્યાત્મીક ભાવનાના સુદ્રઢ કરવાનું કાર્ય કરી રહ્યું છે. જેના ભાગરૂપે ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટ પ્રભાસ તીર્થમાં અત્યાર સુધીનું સૌથી મોટું ગણપતિ અર્ચનનું મહાઅનુષ્ઠાન ચલાવી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં ટ્રસ્ટની સોમનાથ સંસ્કૃત પાઠશાળા ઉપરાંત રાજ્યની 10 પાઠશાળાઓ સોમનાથ પધારી ચૂકી છે.

Somnath

Somnath

અનુષ્ઠાન માટે ત્રણેય પાઠશાળાના ઋષિકુમારો અને ગુરુજનોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિર્મિત ભક્તિમય પ્રસાદ કીટ ભેટ આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

(With Input , Yogesh Joshi, Gir Somnath) 

ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">