Gir Somnath : સોમનાથ કપર્દી વિનાયક મંદિર ખાતે ગણપતિ અથર્વશીર્ષ પાઠ મહાઅનુષ્ઠાનનો પાંચમો મણકો યોજાયો

રાજ્યભરની તમામ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા ક્રમશઃ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પરિસરમાં બિરાજમાન પ્રાચીન કપર્દિ વિનાયક મંદિરના સાનિધ્યમાં પ્રત્યેક માસની બંને પક્ષની ચતુર્થી પર શ્રી ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરવામાં આવે છે.

Gir Somnath : સોમનાથ કપર્દી વિનાયક મંદિર ખાતે ગણપતિ અથર્વશીર્ષ પાઠ મહાઅનુષ્ઠાનનો પાંચમો મણકો યોજાયો
Somnath
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2023 | 8:25 AM

Gir Somnath : સોમનાથ (Somnath) જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં શ્રી ગણેશ આરાધનાનું અનુષ્ઠાન સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં રાજ્યભરની તમામ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા ક્રમશઃ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર પરિસરમાં બિરાજમાન પ્રાચીન શ્રી કપર્દિ વિનાયક મંદિરના સાનિધ્યમાં પ્રત્યેક માસની બંને પક્ષની ચતુર્થી પર શ્રી ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરવામાં આવે છે.

આ પણ વાંચો Gir Somnath : સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રીઓની સુવિધામાં વધારો, સોમનાથથી ગોલોકધામ દર કલાકે બસ સેવાનો પ્રારંભ

ઋષિ કુમારો દ્વારા 11,000થી વધુ શ્રી ગણપતિ અથર્વશીર્ષનો પાઠ

આ મહાઅનુષ્ઠાનનો પાંચમો મણકો 4 ઓગસ્ટે સંપન્ન થયો હતો. જેમાં કે.બી.જોષી સંસ્કૃત કોલેજ ભરવાડા, વી.ટી.ચોક્સી સૂર્યપુર સંસ્કૃત મહાવિદ્યાલય, આમલીરણ (સુરત), શાંડિલ્ય ઋષિ વેદ સંસ્કૃત મહાવિદ્યાલય, અડાજણ (સુરત) અને સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારો દ્વારા 11,000થી વધુ શ્રી ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરવામાં આવ્યા હતા.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
Somnath

Somnath

સોમનાથ સંસ્કૃત પાઠશાળા ઉપરાંત રાજ્યની 10 પાઠશાળાઓ સોમનાથ પધારી

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આધ્યતમિક્તાની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ સમગ્ર પ્રભાસ તીર્થમાં આધ્યાત્મીક ભાવનાના સુદ્રઢ કરવાનું કાર્ય કરી રહ્યું છે. જેના ભાગરૂપે ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટ પ્રભાસ તીર્થમાં અત્યાર સુધીનું સૌથી મોટું ગણપતિ અર્ચનનું મહાઅનુષ્ઠાન ચલાવી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં ટ્રસ્ટની સોમનાથ સંસ્કૃત પાઠશાળા ઉપરાંત રાજ્યની 10 પાઠશાળાઓ સોમનાથ પધારી ચૂકી છે.

Somnath

Somnath

અનુષ્ઠાન માટે ત્રણેય પાઠશાળાના ઋષિકુમારો અને ગુરુજનોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિર્મિત ભક્તિમય પ્રસાદ કીટ ભેટ આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

(With Input , Yogesh Joshi, Gir Somnath) 

ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">