AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar: વિદ્યાસહાયકોએ સરકાર સામે બાંયો ચઢાવી, સચિવાલય બહાર વિદ્યાસહાયકોનું વિરોધ પ્રદર્શન

રાજ્ય સરકારે 60%થી વધુ જગ્યા માટે હાલ પુરતા પ્રવાસી શિક્ષકોની ભરતીને મંજૂરી આપી છે. ધોરણ 1થી 5ના વર્ગો માટે રાજ્યભરમાં કુલ 2043 પ્રવાસી શિક્ષકોની માંગણી થઈ હતી જેની સામે 1173 જગ્યા સરકારે મંજૂર કરી છે.

Gandhinagar: વિદ્યાસહાયકોએ સરકાર સામે બાંયો ચઢાવી, સચિવાલય બહાર વિદ્યાસહાયકોનું વિરોધ પ્રદર્શન
Vidhya Sahayak stage protest outside Gujarat Assembly
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2022 | 5:20 PM
Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) નજીક આવી રહી છે ત્યારે બીજી તરફ રાજ્યમાં સરકાર સામે વિરોધ (Protest) પ્રદર્શનો પણ વધી રહ્યા છે. ખેડૂતોની વીજળીની માગ, પાણીની માગ અને આદિવાસીઓના વિરોધ બાદ વિદ્યાસહાયકો પણ વિરોધમાં ઉતર્યા છે. વિદ્યાસહાયકોએ પણ સરકાર સામે બાંયો ચઢાવી છે. ગાંધીનગરમાં (Gandhinagar) સચિવાલય ગેટ નંબર 1 ખાતે મોટી સંખ્યામાં વિદ્યાસહાયકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. સચિવાલય ખાતે ગેટ નંબર એક પર રસ્તો બ્લોક કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ. છેલ્લા 15 દિવસથી અમે વિરોધ કરી રહ્યા છીએ પરંતુ કોઇ અમારી વાત સાંભળતુ નથી. આટલુ બોલતા બોલતા એક વિદ્યાસહાયક TV9 ગુજરાતી સમક્ષ રડી પડ્યા હતા.

રડતા રડતા જણાવ્યુ કે અમે કંટાળી ગયા છીએ કોઇક અમને ન્યાય અપાવો. તો આ સાથે જ વિરોધ કરનાર મહિલા અને પુરુષોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં હતી. રાજ્ય સરકાર દ્વારા 19 હજારની ભરતી સામે 3300 શિક્ષકોની ભરતીના આદેશ આપતા વિદ્યાસહાયકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 3300 વિદ્યાસહાયકની ભરતીમાં 1થી 5માં 1300 વિદ્યાસહાયકોની ભરતી થશે અને 6થી 8માં 2000 શિક્ષકની ભરતી પ્રક્રિયાની જાહેરાત ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી હતી.

બીજી તરફ કોવિડની પરિસ્થિતિ બાદ રાજ્ય સરકારના પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ કરવાના નિર્ણય અન્વયે પ્રાથમિક શાળાઓની ખાલી જગ્યાઓને લીધે વિદ્યાર્થીઓનુ શિક્ષણકાર્ય અટકે નહી તે હેતુથી સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં 10 હજાર જેટલા પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક નિયુક્તિ કરવાનો હુકમ કરવામા આવ્યો છે. વિદ્યાસહાયકો પ્રવાસી શિક્ષકોની ભરતીની જાહેરાત થતા રોષે ભરાયા છે.

મહત્વનું છે કે રાજ્ય સરકારે 60%થી વધુ જગ્યા માટે હાલ પુરતા પ્રવાસી શિક્ષકોની ભરતીને મંજૂરી આપી છે. ધોરણ 1થી 5ના વર્ગો માટે રાજ્યભરમાં કુલ 2043 પ્રવાસી શિક્ષકોની માંગણી થઈ હતી જેની સામે 1173 જગ્યા સરકારે મંજૂર કરી છે અને સામે પક્ષે ધોરણ 6 થી 8ના વર્ગો માટે કુલ 653 માંગણીની સામે 376 પ્રવાસી શિક્ષકોની ભરતી સરકારે મંજૂર કરી છે એટલે કે રાજ્યભરમાં કુલ 2696 જગ્યાની ભરતીની સામે સરકારે 1549 ખાલી જગ્યા માટે મંજૂરી આપી છે.

આ પણ વાંચો-

અંબાજી જતાં પહેલાં જાણો આ વાત, ગબ્બર દર્શન આજે બપોર બાદ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

આ પણ વાંચો-

Surat : માર્ચ મહિનામાં 1.15 લાખ મુસાફરોએ સુરત એરપોર્ટથી પરિવહન કર્યું, સુરત એરપોર્ટનો દેશનાં સૌથી વ્યસ્ત એરપોર્ટની યાદીમાં સમાવેશ થશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">