AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar: મોદીએ કહ્યું વિશ્વમાં અત્યારે અન્ન સંકટ પેદા થયું છે, ત્યારે આપણે ત્યાં તો ભંડાર ભરેલા છે

મોદીએ ફરીથી કુપોષણના મુદ્દે વાત કરી હતી. તેમણે કહ્યું કે મા અન્નપુર્ણાય જ્યાં બીરાજમાન છે તે ગુજરાતમાં કુપોષણ (Malnutrition) કઈ રીતે હોઈ શકે. આપણે ત્યાં ભોજનની કોઈ કમી નથી પણ ભોજનના અજ્ઞાનના કારણે બાળકો કુપોષણનો ભોગ બને છે.

Gandhinagar: મોદીએ કહ્યું વિશ્વમાં અત્યારે અન્ન સંકટ પેદા થયું છે, ત્યારે આપણે ત્યાં તો ભંડાર ભરેલા છે
Modi virtually inaugurated the Annapurna Dham Trust hostel
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2022 | 1:15 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) એ ગાંધીનગરના (Gandhinagar) અડાલજમાં (Adalaj) શ્રી અન્નપૂર્ણધામ ટ્રસ્ટની છાત્રાલય ( Annapurnadham Trust Hostel)અને શિક્ષણ સંકુલનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે માતા અન્નપુર્ણાના આપ સૌ પર આશીર્વાદ રહે તેવી પ્રાર્થના કરું છે. તેમણે અન્નનું મહત્તવ સમજાવતાં કહ્યું કે અત્યારે વિશ્વ સામે એક નવી સમસ્યા ઉભી છે. અત્યારે અન્ન સંકટ ઉભું થયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બાયડન સાથે પણ આ મુદ્દે વાત થઈ છે. મે તેમને કહ્યું છે કે અમારી પાસે અનાજના ભંડાર ભરેલા છે. જો WTO તરફથી મંજૂરી આપવામાં આવે તો અને  કાલે જ અનાજ આપવા તૈયાર છીએ. આપણે ખેડૂતોએ માતા અન્નપુર્ણાના આશીર્વાદથી મોટા પ્રમાણમાં અનાજનું ઉત્પાદન કર્યું છે.

PM મોદીએ ફરીથી કુપોષણના મુદ્દે વાત કરી હતી. તેમણે કહ્યું કે મા અન્નપુર્ણાય જ્યાં બીરાજમાન છે તે ગુજરાતમાં કુપોષણ કઈ રીતે હોઈ શકે. આપણે ત્યાં ભોજનની કોઈ કમી નથી પણ ભોજનના અજ્ઞાનના કારણે બાળકો કુપોષણનો ભોગ બને છે. આ અજ્ઞાન દૂર કરીને આપણે સ્વસ્થ સમાજ બનાવવાનો છે. ભોજન એ આરોગ્યનું પહેલું પગથીયું છે. આથી પોષણ અભિયાન આખા દેશમાં ચલાવવાનું છે. ભોજનના અભાવને કાણે નહીં પણ ભોજનના અજ્ઞાનના કારણે કુપોષણ વધે છે. દેશમાં અનાજની કોઈ કમી નથી. કોરોના કાળમાં આપણે બે વર્ષ સુધી 80 કરોડ લોકોને મફતમાં અનાજ આપ્યું છે. આ વાત જાણીને આખું વિશ્વ અચંબામાં પડી ગયું છે.

તેમણે કહ્યું કે હવેનો સમય સ્કિલ ડેવલપમેન્ટનો છે. બાળકોને આ દિશામાં આગળ વધવા માટે આપણે શું કરી શકીએ તેના પર ધ્યાન આપવું મહત્ત્વનું છે. આપણે ઇન્ડ્સ્ટ્રી 4.ઓ માટેના સ્કીલ ડેવલપમેન્ટ કરૂવું જરુરી છે. આ માટે કામ કરવું પડશે. ગુજરાતીઓના સહજ સ્વાભાવમાં ઉદ્યોગ છે. આપણા દેશની પહેલી ફાર્મસી કોલેજ ગુજરાતે કરી હતી. આજે ફાર્મસીમાં ગુજરાતનો ડંકો વાગ્ચો છે. આ જ રીતે ઇન્ડસ્ટ્રી 4.ઓ માટે સ્કીલ ડેવલપમેન્ટ તૈયાર કરવાનું છે અને તેમાં પણ આપણે દેશનું રાહબર બનવાનું છે. આ સાથે મોદીએ પ્રાકૃતિક ખેતી તરફ વળવાની ફરીથી હાકલ કરી હતી.

આ પણ વાંચોઃ Gujarat Election 2022: હાર્દિક પટેલ હવે ચૂંટણી લડી શકશે, પાટીદાર આંદોલનના કેસમાં સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી

આ પણ વાંચોઃ  Navsari: દરિયાકાંઠા વિસ્તારોમાં દરિયાઈ પાણીનું સ્તર વધતા રહીશો ચિંતામાં, સરકાર તેમના રહેઠાણો, ખેતરોને બચાવવા યોગ્ય પગલા લે તેવી માગ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">