AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GUJARAT : કોરોનાનો મોટો વિસ્ફોટ, નવા 3350 કેસ સાથે એક્ટીવ કેસ વધીને 11 હજાર નજીક , ઓમિક્રોનના 50 નવા કેસ

Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 11 હજાર નજીક એટલે કે 10,994 પર પહોચ્યો છે.

GUJARAT : કોરોનાનો મોટો વિસ્ફોટ, નવા 3350  કેસ સાથે એક્ટીવ કેસ વધીને 11 હજાર નજીક , ઓમિક્રોનના 50 નવા કેસ
Gujarat Corona Update 5 January 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 10:09 PM
Share

GANDHINAGAR : ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોનો વિસ્ફોટ યથાવત છે. ગઈકાલે 4 ડિસેમ્બરે રાજ્યમાં કોરોના વાયરસના નવા 2265 કેસો નોંધાયા હતા, તો આજે 5 જાન્યુઆરીએ 3350 નવા કેસ નોધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 1637 નવા કેસ નોંધાયા છે. તો આ સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 11 હજાર નજીક એટલે કે 10,994 પર પહોચ્યો છે.

આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 1637 નવા કેસ નોંધાયા, તો સુરત શહેરમાં 630, વડોદરા શહેરમાં 150 કેસ, રાજકોટ શહેરમાં 141 અને આણંદમાં 114 કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં અમરેલીમાં કોરોનાને કારણે એક દર્દીનું મૃત્યુ થતા રાજ્યમાં મૃત્યુઅંક વધીને 10,126 થયો છે.

રાજ્યમાં 24 ડિસેમ્બરે કોરોના વાયરસના નવા 98 કેસ નોધાયા હતા, જયારે આજે 11માં દિવસે 5 જાન્યુઆરીએ 3350 કેસ નોંધાયા છે. એટલે કે માત્ર 11 દિવસમાં 33 ગણા જેટલા કેસો વધ્યા છે. નવા કેસ વધવાની સાથે એક્ટીવ કેસમાં પણ વધારો થયો છે. ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના એક્ટીવ કેસ 7881 હતા, જે આજે વધીને 10,994 થયા છે.

રાજ્યમાં આજે ઓમિક્રોનના 50 નવા કેસ રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસો સાથે આજે ઓમિક્રોન વેરીએન્ટના નવા 50 કેસો નોંધાયા છે. જેની વિગત આ મૂજબ છે :

રાજ્યમાં ઓમિક્રોનના કુલ 204 કેસ 

રાજ્યમાં આજે નોંધાયેલા ઓમિક્રોન વેરીએન્ટના નવા 50 કેસ સાથે આવા કેસની કુલ સંખ્યા 204 થઇ છે, જેમાંથી આજે 16 સહીત અત્યાર સુધીમાં 112 લોકો સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરીએન્ટ સંક્રમિત એક પણ કોરોના દર્દીનું મૃત્યુ થયું નથી.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">