Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં કોરોનાના નવા 456 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 3548એ પહોંચી

ગુજરાતના (Gujarat)  છેલ્લા સપ્તાહથી કોરોનાના(Corona)  કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં 03 જૂલાઇના રોજ કોરોનાના નવા 456 કેસ નોંધાયા છે. જેના પગલે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3548 થઈ છે.

ગુજરાતમાં કોરોનાના નવા 456 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 3548એ પહોંચી
Gujarat Corona Update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2022 | 7:48 PM

ગુજરાતના (Gujarat)  છેલ્લા સપ્તાહથી કોરોનાના(Corona)  કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં 03 જૂલાઇના રોજ કોરોનાના નવા 456 કેસ નોંધાયા છે. જેના પગલે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3548 થઈ છે. તેમજ અમદાવાદ(Ahmedabad) શહેરમાં આજે કોરોનાના સૌથી વધુ 203 કેસ નોંધાયા છે. સુરતમાં 86, વડોદરામાં 38, ભાવનગરમાં 13, કચ્છમાં 13, મહેસાણામાં 13, નવસારી 13, વલસાડ 12, સુરત 11, ગાાંધીનગર કોપોરેશન 10, પાટણ 05, અમદાવાદ જિલ્લામાં 04, આણંદમાં 04, ભરૂચમાં 04, ગાંધીનગર 4, દેવભૂમી દ્વારકા 03, પોરબંદર 03, વડોદરા 03, અરવલ્લીમાં 02, ભાવનગરમાં 02, મોરબીમાં 02, રાજકોટમાં 02, સુરેન્દ્રનગરમાં 02, અમરેલીમાં 01, ગીર સોમનાથમાં 01, જામનગર કોપોરેશનમાં 01, તેમજ પંચમહાલમાં 01 કેસ નોંધાયા છે.

રાજ્ય સરકારની ચિંતા પણ વધારો

જેના લીધે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. આ તરફ રાજ્યના આરોગ્ય પ્રધાન પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપીસેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઇકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટ રૂમમાં લોકોનો જમાવડો ટાળવો

ગુજરાતમાં કોરોનાના વધતા કેસને લઈ હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટ રૂમમાં લોકોનો જમાવડો ટાળવો જોઈએ. કોર્ટ રૂમમાં વકીલ, ફરિયાદી કે આરોપી સિવાયના લોકોએ હાજર રહેવાની જરૂર જ નથી. ગુજરાત સરકાર કોરોના નિયમોનો પાલન કરાવે છે ત્યારે લોકોએ પણ વધારે સાવચેતી રાખવાની જરૂર છે.

કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 06-04-2025
આકડાના પાન તમારી આટલી સમસ્યાઓ કરે છે દૂર, જાણી ને ચોંકી જશો
Indian Country Liquor : ભારતમાં બનતા દેશી દારૂ, જાણી લો નામ

સુરતમાં પણ  કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા

અમદાવાદ બાદ સુરતમાં પણ  કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા છે. હાલમાં જે રીતે રોજે રોજે કોરોનાના કેસોમાં વધારો થઇ રહયો છે તેના પરથી ચોથી લહેરનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં વર્તમાન પરિસ્થિતિ એટલે કે કોરોના સંક્ર્મણ પીકઅપ મોડમાં આવી જતા નવી સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયું છે.  નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં ફરીથી વોર્ડ,ઓપીડી અને સારવારના સાધનો સહીત જરૂરી વ્યવસ્થાઓ સાથે તેને પણ  એક્ટિવ કરી દેવામાં આવી છે.

g clip-path="url(#clip0_868_265)">