ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) નવા કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 19 ઓગષ્ટના રોજ 374 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3000ની નીચે પહોંચ્યા છે. જેમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 2935 થઈ છે. જયારે કોરોના રિકવરી રેટ 98.80 ટકા થયો છે. જયારે આજે કોરોનાથી 451 દર્દીઓ સાજા થયા છે. જયારે કોરોનાના નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદમાં(Ahmedabad) 144, વડોદરામાં 51, મહેસાણામાં 21, વડોદરા જિલ્લામાં 20, રાજકોટ જિલ્લામાં 19, રાજકોટમાં 14, સુરતમાં 12, વલસાડમાં 11, સાબરકાંઠામાં 10, ગાંધીનગરમાં 07, ભાવનગરમાં 06, ડાંગમાં 05, સુરત જિલ્લામાં 05, ભરૂચમાં 04, મોરબીમાં 04, નવસારીમાં 04, અમદાવાદ જિલ્લામાં 03, અમરેલીમાં 03, આણંદમાં 03, કચ્છમાં 03, પંચમહાલમાં 03, તાપીમાં 03, બનાસકાંઠામાં 02, પાટણમાં 02, અરવલ્લીમાં 01, છોટા ઉદેપુરમાં 01, ખેડામાં 01, મહિસાગરમાં 01, પોરબંદરમાં 01 અને સુરેન્દ્રનગરમાં 01 કેસ નોંધાયો છે.
ગુજરાતમાં દરેક જીલ્લામાં ચોમાસાનો માહોલ યથાવત છે. ત્યારે રોગચારાનો ખતરો પણ તોળાય રહ્યો છે. ઋતુગત બીમારીઓ, સ્વાઈ ફલૂ, ગાયોમાં લમ્પી વાયરય, મંકી પોક્સ મહામારી વચ્ચે લોકોએ વધારે સાવધાન રહેવાની જરુર છે. અને આ બધી બીમારીઓથી બચવા માટે વધારે સાવધાન રહેવાની જરુર છે.
કોરોનાના કેસમાં વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.
આ મહિનાથી રાજ્યમાં થોડા થોડા દિવસના અંતરે તહેવારો આવી રહ્યા છે. તે બધા વચ્ચે મેળવડાઓ પણ વધશે અને સંક્રમણ વધવાની શક્યતા પણ છે. તેવામાં લોકોએ એક બીજાથી થોડુ અંતર રાખવુ જોઈએ અને કોરોનાથી બચવા માટેના તમામ પગલા ભરવા જોઈએ. ગયા વર્ષે પણ તહેવારોમાં થતા મેળાવડા અને ચૂંટણીઓમાં થતી ભીડને કારણે કોરોના કેસ વધ્યા હતા. તે ઘટના ફરી ન બને તે માટે સાવચેતી રાખવી જરુરી છે.
Published On - 8:21 pm, Fri, 19 August 22