ગુજરાત કોરોનાના કેસમાં સતત ઘટાડો, નવા 144 કેસ નોંધાયા,એક્ટિવ કેસની સંખ્યા 1096

|

Sep 21, 2022 | 9:39 PM

ગુજરાતમાં (Gujarat) કોરોનાના(Corona)નવા કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં 21 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 144 કેસ નોંધાયા છે. જેમાં કોરોનાના એક્ટિવ કેસ 1096 થયા છે.

ગુજરાત કોરોનાના કેસમાં સતત ઘટાડો, નવા 144 કેસ નોંધાયા,એક્ટિવ કેસની સંખ્યા 1096
Gujarat Corona Update

Follow us on

ગુજરાતમાં (Gujarat) કોરોનાના(Corona)નવા કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં 21 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 144 કેસ નોંધાયા છે. જેમાં કોરોનાના એક્ટિવ કેસ 1096 થયા છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.05 ટકા થયો છે. જ્યારે કોરોનાથી આજે 159 દર્દીઓ સાજા થયા છે. જ્યારે કોરોનાથી આજે એક પણ મૃત્યુ થયું નથી. કોરોનાના નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 37,(Ahmedabad) સુરતમાં 36, વડોદરામાં 15, ગાંધીનગરમાં 08, બનાસકાંઠામાં 04, રાજકોટમાં 04, ગાંધીનગરમાં 03, કચ્છમાં 03, નવસારીમાં 03, પંચમહાલમાં 03, સાબરકાંઠામાં 03, સુરત જિલ્લામાં 03, વલસાડમાં 03, અમરેલીમાં 02, ભરૂચમાં 02, નર્મદામાં 02, રાજકોટ જિલ્લામાં 02, વડોદરા જિલ્લામાં 02, અમદાવાદ જિલ્લામાં 01, આણંદમાં 01, ભાવનગર જિલ્લામાં 01, ભાવનગરમાં 01, છોટા ઉદેપુરમાં 01, ગીર સોમનાથમાં 01, જામનગરમાં 01, મહેસાણામાં 01 અને તાપીમાં 01 કેસ નોંધાયો છે.

શાળાઓમાં બાળકો માટે માસ્ક ફરજિયાત

કોરોનાના કેસ વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતામાં પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

નવરાત્રી અને અન્ય તહેવારોમાં સાચવજો

ગણેશ ઉત્સવનો તહેવાર પૂરો થતા હવે નવરાત્રીની તાડામાર તૈયારીઓ શરુ થઈ ગઈ છે. તે બધા વચ્ચે નવરાત્રીના આયોજનમાં ભીડ જમા થઈ શકે છે. જેના કારણે કોરોના સંક્રમણમાં પણ વધારો થઈ શકે છે. તેથી તહેવારો દરમિયાન કોરોના નિયમોનું પાલન કરી, સાવચેત રહેવાની જરુર છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

નિયમોનું પાલન કરો

કોરોનાથી બચવા કોરોના નિયમોનું પાલન કરવું પણ એટલું જરુરી છે. તેની મદદથી જ ભારત કોરોના મહામારીમાંથી બહાર નીકળવામાં સફળ થયું છે. સરકારે લોકોને વેક્સીન લેવા માટે પણ વિંનતી કરી છે. જેથી કોરોનાને ઝડપથી નાબૂદ કરી શકાય. તેના માટે આખા ગુજરાતમાં વેક્સીનેશન સેન્ટર આજદિન સુધી કાર્યરત છે.

 

Published On - 9:37 pm, Wed, 21 September 22

Next Article