ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ પહોંચ્યા દિલ્હી, AICCના ખજાનચી પવન બંસલ અને કેસી વેણુ ગોપાલ સાથે કરશે બેઠક

કોંગ્રેસના નવા પ્રમુખ સહિતના સિનિયર નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિહ ગોહિલ સહિતના સિનિયર નેતાઓ દિલ્હી ખાતે AICCના ખજાનચી પવન બંસલ અને કેસી વેણુ ગોપાલ સાથે બેઠક કરશે.

ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ પહોંચ્યા દિલ્હી, AICCના ખજાનચી પવન બંસલ અને કેસી વેણુ ગોપાલ સાથે કરશે બેઠક
Gujarat Congress senior leaders
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2023 | 9:20 AM

Gandhinagar: કોંગ્રેસે (Congress) તાજેતરમાં જ ગુજરાતની કમાન શક્તિસિંહ ગોહિલની (Shaktisinh Gohil) સોંપી છે, ત્યારે કોંગ્રેસના નવા પ્રમુખ સહિતના સિનિયર નેતાઓ દિલ્હી (Delhi) પહોંચ્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા સહિતના સિનિયર નેતાઓ દિલ્હી ખાતે AICCના ખજાનચી પવન બંસલ અને કેસી વેણુ ગોપાલ સાથે બેઠક કરશે.

આ બેઠક કોંગ્રસ માટે મહત્વની ગણવામાં આવી રહી છે. ગુજરાત કોંગ્રેસની કમાન સંભાળ્યા બાદ શક્તિસિંહ ગોહિલ પહેલીવાર દિલ્હી ખાતે બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા છે. આ બેઠકમાં ગુજરાતમાં કોંગ્રેસની રહેલી સ્થાવર સંપતિ અંગે ચર્ચા થશે. આ ઉપરાંત બેઠકમાં કોંગ્રેસની માલિકીની જમીન પર ભવિષ્યના આયોજન લઈ ડેવલપમેન્ટ કરવા અંગે ચર્ચા કરવામાં આવી છે.

કોંગ્રેસના નવા કાર્યાલય બનાવવા અંગે થઈ શકે છે નિર્ણય

ગુજરાત કોંગ્રેસના નેતાઓ પવન બંસલ અને કેસી વેણુ ગોપાલ સાથેની બેઠકમાં જિલ્લા અને શહેરમાં કોંગ્રેસ સમિતિનું કાર્યાલય ન હોય ત્યાં નવું કાર્યાલય બનાવવા અંગે નિર્ણય લઈ શકે છે. આ ઉપરાંત બેઠકમાં કોંગ્રેસની માલિકીની જમીન પર ભવિષ્યના આયોજન લઈ ડેવલપમેન્ટ કરવા અંગે ગુજરાત કોંગ્રેસના 15થી વધારે નેતાઓ સાથે વિચાર વિમર્શ થશે. ઉલ્લેખનીય છે કે આ બેઠક માટે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા સહિતના સિનિયર નેતાઓ દિલ્હી પહોંચ્યા છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

આ પણ વાંચો Breaking News : ગુજરાતમાં 7 IAS અધિકારીના બદલીના આદેશ, રાજકુમાર બેનિવાલને GMB ના સીઇઓ બનાવાયા

આગામી લોકસભા અંગે પણ થશે ચર્ચા

આગામી લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રસની આ બેઠક મહત્વની ગણવામાં આવી રહી છે. કારણ કે તાજેતરમાં જ ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખની વરણી કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ ગુજરાત કોંગ્રસના પ્રમુખ પદ માટે કોઈ સ્થાયી પ્રમુખ મળ્યા ન હતા. ત્યારે શક્તિસિંહની ગુજરાતના રાજકારણમાં વાપસી કરાવવામાં આવી અને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપવામાં આવી છે. ત્યારે હવે દિલ્હી ખાતે મળનાર બેઠકમાં લોકસભાની ચૂંટણી અંગે કોંગ્રેસની આગામી રણનીતિ શું હશે, તે અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

(ઈનપુટ ક્રેડિટ- નરેન્દ્ર રાઠોડ)

ગાંધીનગર સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">