રાષ્ટ્રપતિની ચૂંટણીમાં(President Election) ક્રોસ વોટિંગના દાવા સામે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે (Jagdish Thakor) કહ્યું કે, કોંગ્રેસના તમામ ધારાસભ્યો અકબંધ છે. કોંગ્રેસના (Congress) ધારાસભ્યો યશવંત સિંહાને જ મત આપશે. મહત્વનું છે કે, રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈ રવિવારે જ કોંગ્રેસના તમામ ધારાસભ્યોને ગાંધીનગર બોલાવી લેવાયા છે.
ગાંધીનગર (Gandhinagar) સર્કિટ હાઉસમાં કોંગ્રેસના ધારાસભ્યોની(Congress MLA) બેઠક મળી હતી.જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને આગેવાનો ધારાસભ્યોને ચૂંટણીમાં મતદાન અંગે માર્ગદર્શન અપાયું હતુ. આ સાથે જ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસના કાર્યક્રમ અને ધારાસભ્યોની જવાબદારી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આજે 15મા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લગભગ 4800 સાંસદો અને ધારાસભ્યો મતદાન કરશે. આ ચૂંટણીમાં એક તરફ એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ છે તો બીજીતરફ વિપક્ષના સંયુક્ત ઉમેદવાર યશવંત સિન્હા છે. રાજકીય પાર્ટીના સમર્થન અને તેનાથી બનનાર આંકડાના ગણિતની વાત કરીએ તો NDA ના ઉમેદવારની જીત નક્કી જેવી છે.
દ્રોપદી મુર્મૂના સમર્થનમાં રાષ્ટ્રપતિ ચૂંટણી 2022માં 60 ટકાથી વધુ મત પડવાની આશા છે. મહત્વનું છે કે રાષ્ટ્રપતિ ચૂંટણી 2022 માટે 18 જુલાઈએ મતદાન થયા બાદ કાઉન્ટિંગ 21 જુલાઈએ થશે અને નવા રાષ્ટ્રપતિ 25 જુલાઈએ શપથ ગ્રહણ કરશે.
Published On - 9:05 am, Mon, 18 July 22