ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવા સરકાર કટીબદ્ધ : કૃષિ મંત્રી

કૃષિ મંત્રીએ કહ્યું કે,રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ખાતરની (Fertilizer)કરેલ માંગણીને પગલે ભારત સરકાર દ્વારા ખરીફ 2022 માટે કુલ 19.90 લાખ મે. ટન સબસિડાઈઝ રાસાયણિક ખાતરના જથ્થાની ફાળવણી મંજૂર કરવામાં આવી છે.

ખેડૂતોને પૂરતા પ્રમાણમાં  ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવા સરકાર કટીબદ્ધ : કૃષિ મંત્રી
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2022 | 6:42 PM

કૃષિ મંત્રી રાઘવજી પટેલે (Agriculture Minister Raghavji Patel)જણાવ્યું છે કે, રાજ્યના ખેડૂતોને (Farmers)પૂરતા પ્રમાણમાં ખાતરનો(Fertilizer) જથ્થો ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ખેડૂતો માટે રાજ્ય સરકારે અનેકવિધ ખેડૂત હિતલક્ષી નિર્ણયો કર્યાં છે. એટલું જ નહીં,આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના કાચા માલમાં વધારો થવા છતાંય ભાવ વધારોનો બોજ ખેડૂતો પર સીધો ન આવે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે સબસિડીની રકમમાં માતબર વધારો પણ કર્યો છે. જેના ભાગરૂપે વર્ષ 2022-23માં કેન્દ્ર સરકાર ખાતરની સબસિડી માટે રૂ. 2 લાખ કરોડ કરતાં વધુ રકમ ચૂકવશે.

કૃષિ મંત્રી પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંઘ તોમર તથા રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાનો ખેડૂતો વતી આભાર વ્યક્ત કરતાં ઉમેર્યું કે, ગત ખરીફ ઋતુમાં રાજ્યમાં સપ્લાય થયેલ 16.50 લાખ મેટ્રિક ટન ખાતર માટે ચૂકવવામાં આવેલ રૂ. 2181.80 કરોડની સબસિડીની સાપેક્ષમાં અઢી ગણી વધારે સબસિડીનો લાભ ખેડૂતોને મળશે.

કૃષિ મંત્રીએ ઉમેર્યું કે,આંતરરાષ્ટ્રીય બજારમાં યુરીયા, ડી.એ.પી અને એન.પી.કે ખાતર તેમજ ખાતરના કાચામાલમાં છેલ્લા કેટલાક સમયમાં ઘણો વધારો થવાથી ખાતરની પડતર કિંમતમાં પણ વધારો થયો છે. આમ છતાં આ ભાવવધારાનો બોજ સીધો ખેડૂતો ઉપરના આવે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ફોસ્ફેટિક અને પોટાશિક ફર્ટીલાઇઝરમાં સબસીડીની રકમમાં માતબર વધારો કર્યો છે.ખાતરના ભાવવધારાનો બોજ સીધો ખેડૂતો પર ના આવે તે માટે ભારત સરકાર દ્વારા યુરીયા ખાતરના ભાવમાં છેલ્લા કેટલાક વર્ષોથી કોઇ જ વધારો કરવામાં આવેલ નથી તે પણ એક નોંધપાત્ર બાબત છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

તેમણે ઉમેર્યું કે,ભારત સરકાર દ્વારા તાજેતરમાં જ ખરીફ-2022 માટે NBS (Nutrient Based Subsidy) પોલીસી જાહેર કરવામાં આવેલ છે. જેના પરિણામે ખરીફ: 2022માં અંદાજેલ જરૂરીયાત મુજબ સપ્લાય થનાર 19.95 લાખ મે.ટન ખાતર માટે અંદાજે રૂ.5278.37 કરોડની માતબર રકમની સબસીડી રાજ્યના ખેડૂતો વતી ચુકવવામાં આવશે,જ્યારે આગામી રવિ અને ઉનાળુ ઋતુ માટેની ચુકવાનાર ખાતર સબસીડી આ ઉપરાંતની રહેશે.

તાજેતરમાં ભારત સરકાર દ્વારા રાસાયણિક ખાતરો ઉપરની સબસીડીમાં વધારો કરવામાં આવેલ છે. વર્ષ 2022-23 માં ભારત સરકાર રાસાયણિક ખાતર પરની સબસીડી માટે રૂ. બે લાખ કરોડ કરતાં પણ વધુ રકમની ચૂકવણી કરશે. જે વડાપ્રધાનના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારની ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલતા દર્શાવે છે.

કૃષિ મંત્રીએ કહ્યું કે,રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ખાતરની કરેલ માંગણીને પગલે ભારત સરકાર દ્વારા ખરીફ 2022 માટે કુલ 19.90 લાખ મે. ટન સબસિડાઈઝ રાસાયણિક ખાતરના જથ્થાની ફાળવણી મંજૂર કરવામાં આવી છે. જે પૈકી યુરીયા 11.50 લાખ મે.ટન; ડી.એ.પી. 3.00 લાખ મે.ટન, એન.પી.કે. 3.00 લાખ મે. ટન તથા એમ.ઓ.પી. 0.55 લાખ મે. ટન જથ્થો મંજૂર કરવામાં આવ્યો છે.

ચાલુ વર્ષે એપ્રિલ માસમાં મુખ્ય સબસિડાઈઝ્ડ યુરીયા, ડી.એ.પી, એન.પી.કે અને એમ.ઓ.પી સહિતના રાસાયણીક ખાતરોની રાજ્યની અંદાજિત 2.70 લાખ મે.ટનની જરૂરીયાત સામે કુલ 2.86 લાખ મે.ટન ખાતરનો જથ્થો સપ્લાય કરાયો છે. રાજ્યમાં વિવિધ વિસ્તારમાં જરૂરીયાત મુજબ તમામ ખાતરના જથ્થાનું વિતરણ નિયમિતરૂપે કરવામાં આવી રહ્યું છે. રાજ્યના વિક્રેતાઓ પાસે હાલમાં 3.28 લાખ મે. ટન યુરિયા, 1.16 લાખ લાખ મે. ટન ડી.એ.પી., 76 હજાર મે. ટન એન.પી.કે તેમજ 16 હજાર મે.ટન એમ.ઓ.પી. ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે. જેથી આગામી સમયમાં ખેડૂતોને જરૂરીયાત મુજબ જથ્થો ઉપલબ્ધ થઈ શકશે.

તેમણે ઉમેર્યું કે,આગામી ખરીફ ઋતુમાં ખેડૂતોને સમયસર અને પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો સરળતાથી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઓફ સીઝન ખાતર સંગ્રહ યોજના હેઠળ અગાઉના વર્ષોની સાપેક્ષ બે માસમા નોંધપાત્ર 1.05 લાખ મે.ટન ખાતર સંગ્રહિત કરવામાં આવેલ છે.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">