Gandhinagar : રાજ્યમાં ચોમાસાની સિઝનમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં 173 મી.મી. એટલે કે 7 ઈંચ જેટલો, કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં 166 મી.મી., દેવભૂમિદ્વારકાના કલ્યાણપુર, જૂનાગઢ જિલ્લાના માળિયા, ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં 163 મી.મી. અને દેવભૂમિદ્વારકાના ખંભાળિયા તાલુકામાં 158 મી.મી. એમ મળી કુલ ચાર તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ વરસ્યા હોવાના અહેવાલો છે.
માંગરોળમાં 7 ઈંચ, અંજાર, કલ્યાણપુર, માળિયા, તાલાલા અને ખંભાળિયામાં 6 ઈંચથી વધુ વરસાદ
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 2 સપ્ટેમ્બર 2021ને સવારે 6.00 કલાક સુધીમાં ઉના તાલુકામાં 124 મી.મી., પોરબંદરમાં 123 મી.મી., રાણાવાવમાં 108 મી.મી., જોડિયામાં 102 મી.મી., ગીર ગઢડામાં 101 મી.મી. અને વેરાવળમાં 100 મી.મી. મળી કુલ 6 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.
રાજ્યના 69 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ, રાજ્યનો મોસમનો કુલ સરેરાશ વરસાદ 48.65 ટકા નોંધાયો
આ ઉપરાંત ગોંડલ, ચોટીલા, મુન્દ્રા, ગાંધીધામ, ઉંમરગામ, વઢવાણ, જામકંડોરણા અને લાલપુર મળી કુલ 8 તાલુકાઓમાં 3 ઈંચથી વધુ જ્યારે સુત્રાપાડા, ભાણવડ, સાયલા, ટંકારા, કોડિનાર, કુતિયાણા, કેશોદ, બાયડ, કાલાવાડ, મૂળી, કાલોલ, લોધિકા, ધ્રોલ, કોટડાસાંગાણી, માણાવદર, જામનગર, માંડવી, વાપી, ભૂજ, પડધરી, વાડિયા મળી કુલ 22 તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય 27 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ સિઝનમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 48.65 ટકા નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં 44.99 ટકા, ઉત્તર ગુજરાતમાં 37.78 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 43.47 ટકા, સૌરાષ્ટ્રમાં 47.45 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 56.41 ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે.
આ પણ વાંચો : Breaking News: અભિનેતા અને બિગ બોસ વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન, માત્ર 40 વર્ષની ઉંમરે કહ્યું અલવિદા
Published On - 12:09 pm, Thu, 2 September 21