AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar : ગુજરાત સરકારે ગૃહમાં અદાણી પાવર પાસેથી ઉંચા ભાવે વીજ ખરીદી અંગે આપ્યો આ ખુલાસો

Gandhinagar : ગુજરાત સરકારે ગૃહમાં અદાણી પાવર પાસેથી ઉંચા ભાવે વીજ ખરીદી અંગે ખૂલાસો આપ્યો હતો. સરકારે જણાવ્યુ કે વીજ કરાર થયા છતા સરકારે અદાણી પાવર પાસેથી ઉંચા ભાવે વીજળી ખરીદી. પ્રતિ યુનિટ 2.89 અને 2.35 એ વીજ કરારની વીજળી 8.83 સુધીમાં ભાવ અપાયા.

Gandhinagar : ગુજરાત સરકારે ગૃહમાં અદાણી પાવર પાસેથી ઉંચા ભાવે વીજ ખરીદી અંગે આપ્યો આ ખુલાસો
Narendra Rathod
| Edited By: | Updated on: Mar 04, 2023 | 11:42 PM
Share

અદાણીને લઇ સમગ્ર દેશમાં હોબાળો મચેલો છે ત્યારે ગુજરાત સરકાર અને અદાણીને લઈ વધુ એક વિવાદ સામે આવ્યો છે. વિધાનસભા પ્રશ્નોતરીમાં સરકારે સ્વીકાર કર્યો છે કે અદાણી સાથે વીજ ખરીદીના કરાર પ્રતિ યુનિટ 2.89 અને 2.35 રૂપિયાના થયા હોવા છતાં રાજ્ય સરકારે છેલ્લા 2 વર્ષમાં 8.85 રૂપિયા સુધીના ઊંચા ભાવે વીજળી ખરીદી કરી છે. સાથે જ સરકારે ખુલાસો પણ કર્યો છે કે કેન્દ્ર સરકારની મધ્યસ્થી અને આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસાના ઊંચા ભાવના કારણે અદાણી પાસેથી ઊંચા ભાવે વીજળી ખરીદી કરી છે.

વીજ ખરીદીના ભાવ નક્કી થયા હોવા છતાં ગુજરાત સરકારે ઊંચા ભાવે અદાણી પાવર પાસેથી વીજળી ખરીદી હોવાનું ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં સામે આવ્યું છે. આમ આદમી પાર્ટીના જામ જોધપુર ના ધારાસભ્ય હેમંત આહિરે કરેલ પ્રશ્નમાં સરકારે સ્પષ્ટતા કરી છે કે સરકારે 2007 માં અદાણી પાવર સાથે થયેલા બીડ-1 માં રૂપિયા 2.89 અને બીડ-2 માં રૂપિયા 2.35 પ્રતિ યુનિટ વીજ ખરીદીના કરારો 25 વર્ષ માટે કરવામાં આવ્યા હતા.

જો કે છેલ્લા બે વર્ષમાં કરાર મુજબ વીજળી ખરીદવાને બદલે રાજ્ય સરકારે વધારે રકમ આપી વીજળીની ખરીદી કરી છે. 2021 માં રાજ્ય સરકારે અદાણી પાવર પાસેથી 5584 મિલિયન યુનિટ વીજ ખરીદી પ્રતિ યુનિટ એનર્જી ચાર્જ રૂ 2.83 થી રૂ 5.40 સુધી એનર્જી ચાર્જ ચૂકવી કરી હતી. જ્યારે વર્ષ 2022 માં 6007 મિલિયન યુનિટ વીજળી ની ખરીદી રૂ 5.57 થી રૂ 8.85 ચૂકવી કરી હતી. રાજ્ય સરકારે વર્ષ 2021 મા અદાણી પાવર પાસે 672 કરોડની જ્યારે વર્ષ 2022મા અદાણી પાવર પાસે રૂ 1247 કરોડ ની વીજળી ખરીદી હતી.

આ પણ વાંચો: Gandhinagar: રાજ્ય ઉપર કુલ 3,20,812 કરોડનું દેવુ, વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈનો લેખિતમાં સ્વીકાર

ઊંચા ભાવે ખરીદી બાદ બચાવ

રાજ્ય સરકારે ઉંચા ભાવે અદાણી પાવર પાસે વીજળી ખરીદી કર્યા બાદ બચાવ કર્યો છે. સરકારે લેખિત જવાબ આપતા જણાવ્યું કે વીજ પ્રોજેક્ટ આયાતી કોલસા આધારિત હોઇ, વર્ષ 2011 પછી ઈન્ડોનેશિયા માંથી મેળવવામાં આવતા કોલસાના ભાવમાં અનિર્ધારીત વધારો થવાના કારણે અદાણી પાવર કંપની દ્વારા પૂર્ણપણે વીજ ઉત્પાદન કરવામાં આવતું ન હતું.

જેને ધ્યાને લઇ રાજ્ય સરકારે હાઈ પાવર કમિટીની રચના કરી તેની ભલામણોને આધારે વીજ ખરીદીના દરોમાં વધારો મંજુર કરવામાં આવેલ અને ડિસેમ્બર 2018 મા રાજ્ય સરકારે સપ્લિમેન્ટ કરાર કર્યા હતા. ત્યારબાદ 17-10-21 થી 5-11-21 દરમિયાન આંતરરાષ્ટ્રીય ભાવના વધારાના કારણે રૂ 4.50 પ્રતિ યુનિટ ફિક્સ ચાર્જ તથા કેપેસિટી ચાર્જ ના દરે વીજળી ખરીદવાનો નિર્ણય થયો હતો.

Follow Us
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
વરસાદી આગાહીઓ પર વિજ્ઞાન જાથાનો સવાલ, વિરોધની ચીમકી
વરસાદી આગાહીઓ પર વિજ્ઞાન જાથાનો સવાલ, વિરોધની ચીમકી
g clip-path="url(#clip0_868_265)">