Gandhinagar: જોખમી ઔદ્યોગિક કચરા સામે પ્રચંડ લોક વિરોધની વચ્ચે ચાણસ્મા ખાતે યોજાનાર લોક સુનાવણી મોકૂફ

Gandhinagar: ઓદ્યોગિક કચરાની ડમ્પિંગ સાઈટ પાટણના ચાણસ્મામાં સૂચિત કરાતા તેનો પ્રચંડ લોકવિરોધ થઈ રહ્યો છે. આ ડમ્પિંગ સાઈટ માટેની પર્યાવરણીય મંજૂરી અંગેની લોકસુનાવણી 30 જુને થવાની હતી. જે મોકુફ રાખવામાં આવી છે.

Gandhinagar: જોખમી ઔદ્યોગિક કચરા સામે પ્રચંડ લોક વિરોધની વચ્ચે ચાણસ્મા ખાતે યોજાનાર લોક સુનાવણી મોકૂફ
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Jun 28, 2023 | 12:21 AM

દેશમાં સૌથી વધારે જોખમી ઔદ્યોગિક કચરો (Hazardous Chemical Waste) ગુજરાતમાં ઉત્પન્ન થાય છે. આ પ્રકારના ઉદ્યોગોમાંથી નીકળતા અતિ જોખમી કચરાનો નિકાલ કરવા માટે ટી. એસ. ડી. એફ. (Hazardous Waste Treatment, Storage and Disposal Facility) સાઇટ બનાવવામાં આવે છે જ્યાં આ ઝેરી કચરાનો સંગ્રહ અને નિકાલ કરવામાં આવે છે. આવી જ એક ડમ્પિંગ સાઇટ પાટણ જિલ્લાના ચાણસ્મા પાસે ઝિલિયા-વાસણા ગામે સૂચિત કરવામાં આવી. આ પ્લાન્ટ દ્વારા 7,82,181 મેટ્રિક ટન ઝેરી કચરો જમીનમાં ઉતારવા મેસર્સ નોર્થ ગુજરાત એન્વાયરો પ્રોજેક્ટ નામની ખાનગી કંપની દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. આ માટે પર્યાવરણીય મંજૂરી મેળવવા માટેની લોક સુનાવણી તારીખ 30 જૂન 2023ના રોજ ઝિલિયા-વાસણા મુકામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા યોજવાનું ઠરાવવામાં આવ્યું હતું.

મેસર્સ નોર્થ ગુજરાત એન્વાયરો પ્રોજેક્ટથી 55 ગામ સહિત ચાણસ્માના 10 લાખ લોકો અસરગ્રસ્ત થશે

આ પ્રોજેક્ટથી 55 ગામો અને ચાણસ્મા નગર મળી કુલ આશરે 10 લાખથી પણ વધુ લોકો અસરગ્રસ્ત થવાનો કંપનીનો પોતાનો રિપોર્ટ હતો. આ તમામ લોકોને સમય જતાં નાછૂટકે હિજરત કરવાનો વારો આવે કેમ કે આ ઝેરી કચરાથી પ્રદુષિત થયેલા પાણી અને જમીનને કારણે આ વિસ્તારમાં રહેવું અશક્ય બની જાય. અહીં વસવાટ કરતાં લોકોને આ ઝેરની અસરને કારણે કેન્સર અને તેવા જ અન્ય અસાધ્ય રોગોના ભોગ બનવું પડશે. આ વિસ્તારની ખેતી તો નષ્ટ થાય જ પણ સાથે સાથે પશુધન પણ મોતને ભેટે કેમ કે જમીન અને ભૂગર્ભજળ બધુ જ આ ઝેરથી પ્રભાવિત થાય. એ ઉપરાંત ભારત સરકારના વાઇલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ દ્વારા સંરક્ષિત પક્ષીઓ, સરિસૃપો તથા પ્રાણીઓ પણ મોતને ભેટે.

પ્રોજેક્ટ સામે ચાણસ્મા સહિત આજુબાજુના ગામોમાં પ્રચંડ લોકવિરોધ

આ બાબતે ખાસ કરીને ચાણસ્માના લોકો તો જાગૃત હતાં જ કેમ કે અગાઉ 15-4-2019 અને 11-6-2019ના રોજ આ લોક સુનાવણી પ્રસ્તાવિત થઈને યોજાય પહેલા જ મૂલતવી રાખવામાં આવી ચૂકી હતી. ગુજરાત લોક સમિતિ ગુજરાતમાં ઠેર ઠેર પર્યાવરણ અને લોકોને નુકસાન પહોંચાડનાર પ્રોજેકટો બાબતે લોક શિક્ષણ અને લોક જાગૃતિ તેમજ લોક સંઘર્ષનું કામ કરતી આવી છે. ચાણસ્મા અને આજુબાજુના ગામોમાં પણ આ પ્રકારનું કામ કરી પ્રચંડ લોક વિરોધ ઊભો કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકો આ માટે કમર કસી સંઘર્ષ કરવા તૈયાર હતાં. જાણ દઇશું પણ જમીન નહીં ના સૂત્રો સાથે ગામેગામ એક પ્રચંડ લોક જુવાળ ઊભો થયો. આ વિસ્તારની શિક્ષણ સંસ્થાઓ, ડેરીઓ, મંડળીઓ, ધાર્મિક સંસ્થાઓ, વિવિધ ટ્રસ્ટો દ્વારા વિરોધ પ્રગટ કરતાં પત્રો મોકલવામાં આવ્યા. ગ્રામજનો કલેક્ટરશ્રી, મામલતદારશ્રી અને અન્ય તમામ લાગતાં વલગત સરકારી ખાતાઓમાં આવેદનપત્ર આઓઈ આવ્યા.

Broccoli : બ્રોકોલી છે પોષક તત્વોનો ખજાનો, જાણો અઠવાડિયામાં કેટલી વાર ખાવું?
કેવી રીતે ખબર પડે કે તમારૂ લીવર ખરાબ થઇ રહ્યું છે ?
આજનું રાશિફળ તારીખ : 21-09-2024
તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ

આ પણ વાંચો : Ahmedabad: ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટના સર્જનોની સિદ્ધિ, ખભાના હાડકાના કેન્સરના સૌથી મોટા મોડલની 3D પ્રિન્ટ બનાવી સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

30 જૂને યોજાનારી લોક સુનાવણી હાલ પૂરતી મોકુફ

ગામની બહાર વસતા સ્થાનિકોએ પોતાના વિડીયો બનાવી આ લોક સુનાવણીમાં જઈ પ્રોજેક્ટનો વિરોધ કરવા એ દિવસે સૌએ ગામ પહોંચવાની અપીલ શરૂ કરી. આટલા બધા ભયંકર વિરોધની વચ્ચે આ લોક સુનાવણી યોજાઇ હોત તો પણ પ્રોજેક્ટને મંજૂરી મળવી શક્ય નહોતી. આ બધુ ધ્યાનમાં લેતા તારીખ 27-6-2023ના રોજ પાટણ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ પ્રદીપસિંહ રાઠોડની સહીથી કલેકર કચેરી દ્વારા પત્ર પાઠવી જણાવવામાં આવ્યું કે, સ્થાનિક લોકો તથા વિવિધ સંગઠનો દ્વારા આપવામાં આવેલ રજૂઆતો અને હકીકતલક્ષી અહેવાલ ધ્યાને લેતાં 30-6-23 ના રોજ યોજાનારી લોક સુનાવણી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. આમ હાલ પૂરતો લોકશક્તિ અને લોકશાહીનો વિજય થયો છે.

આગામી દિવસોમાં આ લોક જુવાળ જાગતો રાખવાની સ્થાનિક લોકોની તૈયારી છે. જો કંપની ફરી વખત લોક સુનાવણી લઈને આવશે તો આનાથી પણ પ્રચંડ વિરોધનો સામનો તેણે કરવાનો રહેશે તે માટે સૌ પ્રતિબદ્ધ છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદનો વિવાદ પહોંચ્યો ગુજરાત
તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદનો વિવાદ પહોંચ્યો ગુજરાત
છોટાઉદેપુરના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની થઈ હત્યા
છોટાઉદેપુરના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની થઈ હત્યા
મધ્ય પ્રદેશમાં પકડાયેલ દવાની તપાસનો તાર વડોદરામાં
મધ્ય પ્રદેશમાં પકડાયેલ દવાની તપાસનો તાર વડોદરામાં
સુરતમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ- જુઓ-Video
સુરતમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ- જુઓ-Video
આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આ 5 રાશિના જાતકો ગુસ્સા પર રાખે નિયંત્રણ, નહીં તો બનતુ કામ બગડશે
આ 5 રાશિના જાતકો ગુસ્સા પર રાખે નિયંત્રણ, નહીં તો બનતુ કામ બગડશે
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
g clip-path="url(#clip0_868_265)">