ગાંધીનગરમાં (gandhinagar) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra patel) અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. સવારે 10 કલાકે યોજાશે રાજ્ય સરકારની બેઠક યોજાશે. જેમાં પશુમાં પ્રસરતા લમ્પી વાયરસ (Lumpy virus) મુદ્દે બેઠકમાં ચર્ચા થશે. આ ઉપરાંત 15મી ઓગસ્ટની ઉજવણી, પ્રધાનમંત્રી મોદીના (PM Modi) પ્રવાસ અને મંકીપોક્સના વધતા સંક્રમણ અંગે પણ બેઠકમાં (Gujarat Cabinet meeting) ચર્ચા કરવામાં આવશે.
લમ્પી વાયરસના વધતા કેસે સરકારની (Gujarat govt) પણ ચિંતા વધારી છે અને રાજ્ય સરકાર રોગચાળાને નાથવા એક્શનમાં આવી છે.લમ્પી વાયરસને લઈને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે.જેમાં લમ્પી સંક્રમણ પર ઝડપી નિયતંત્ર અને વેક્સિનેશનની (vaccination) કામગીરીની સમીક્ષા કરવામાં આવશે.મહત્વનું છે કે સરકારે લમ્પી સંક્રમણ પર ઝડપી નિયંત્રણ અને સારવારના સૂચનો માટે કામધેનું યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર નરેશ કેલાવાલાના અદ્યક્ષસ્થાને પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે.આ કમિટીના માર્ગદર્શનના આધારે જ રાજ્ય સરકાર પશુઓની સલામતી માટે કાર્ય કરશે.
પશુપાલન વિભાગના આંકડા પ્રમાણે 20 જિલ્લાના 2189 ગામોમાં લમ્પી વાયરસનું સંક્રમણ ફેલાઈ ચૂક્યું છે.આ વાયરસથી અત્યાર સુધીમાં 57 હજાર 677 પશુઓ અસરગ્રસ્ત થયા છે.તો લમ્પીના કારણે 1,639 પશુઓનાં મૃત્યુ થયા છે.લમ્પી વાયરસનો સૌથી વધુ કહેર કચ્છ જિલ્લામાં જોવા મળ્યો છે.કચ્છ જિલ્લામાં 38 હજાર 141 પશુઓ અસરગ્રસ્ત થયા છે. જ્યારે 1190 પશુઓ મોતને ભેટ્યા છે.લમ્પી વાયરસને રોકવા માટે રાજ્યમાં કુલ 11 લાખ 68 હજાર 605 પશુઓનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે.તો રસીકરણ બાદ 41 હજારથી વધુ પશુઓ સાજા થયા છે.જ્યારે 14,973 પશુઓ હજુ પણ સંક્રમિત છે.
Published On - 8:48 am, Wed, 3 August 22