PM MODIની કોવિડ-19 સંદર્ભે યોજાયેલી વિડીયો કોન્ફરન્સ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા

રાજ્યમાં હાલ 195 RTPCR લેબોરેટરીમાં રોજના 1 લાખ 40 હજારથી વધુ ટેસ્ટિંગ અને દર મહિને 3000 થી વધુ જિનોમ સિક્વન્સ ટેસ્ટની સુવિધા વિકસાવવામાં આવેલી છે.

PM MODIની કોવિડ-19 સંદર્ભે યોજાયેલી વિડીયો કોન્ફરન્સ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા
CM Bhupendra Patel was present at the video conference meeting of PM MODI regarding Covid-19
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2022 | 7:00 PM

Gandhinagar: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ (PM MODI) દેશમાં કોવિડ-19 ની (Covid-19) સ્થિતી સંદર્ભે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે યોજેલી વિડીયો કોન્ફરન્સ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ગાંધીનગરથી સહભાગી થયા હતા. વડાપ્રધાને કોરોના કાળમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સાથે મળીને જે કાર્ય કર્યુ તેણે કોરોના સામેની લડાઇમાં મુખ્ય ભૂમિકા નિભાવી છે તેવો મત દર્શાવ્યો હતો.

તેમણે આ સંદર્ભમાં બધા જ મુખ્યમંત્રીઓ, રાજ્ય સરકારો અને અધિકારીઓ તથા કોરોના વોરિયર્સની પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત આ વિડીયો કોન્ફરન્સમાં આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય રાજ્ય નિમિષાબહેન સુથાર પણ સહભાગી થયા હતા.

ગુજરાતે કોવિડ મહામારીના અટકાવ અને નિયંત્રણ માટે મહત્વના પાંચ સ્તંભોના આધારે રણનીતિ અને પગલાં લીધા છે. આ સ્થંભોમાં નેતૃત્વ અને નીતિઓ, આરોગ્ય તંત્રને સજ્જ અને સુદ્રઢ કરવું, સર્વેલન્સ અને અટકાવ, હોસ્પિટલ અને સારવાર તથા જનજાગૃતિ અને લોક સહયોગ પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

રાજ્યમાં 1 લાખથી વધુ મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફ તથા 33 હજારથી વધુ સ્ટાફનો ઉમેરો કરવામાં આવ્યો છે. રાજ્યમાં હાલ 195 RTPCR લેબોરેટરીમાં રોજના 1 લાખ 40 હજારથી વધુ ટેસ્ટિંગ અને દર મહિને 3000 થી વધુ જિનોમ સિક્વન્સ ટેસ્ટની સુવિધા વિકસાવવામાં આવેલી છે. લોકોના સર્વેક્ષણ માટે ટેસ્ટ-ટ્રેક અને ટ્રીટની સ્ટ્રેટેજી માટે 15 હજારથી વધુ મેડીકલ ટીમ દ્વારા રોજના પાંચ લાખથી વધુ લોકોના સર્વેલન્સની કેપેસિટી બિલ્ટ અપ કરાઇ છે. કોવિડ-19 વેક્સિનેશન અંતર્ગત 18 વર્ષથી ઉપરની વયના વ્યક્તિઓનો 99.7 ટકાને પ્રથમ ડોઝ, 97.6 ટકાને બીજો ડોઝ આપી દેવાયો છે.

એટલું જ નહિ, 15 થી 17 વર્ષની વયજૂથમાં પ્રથમ ડોઝ અન્વયે 86 ટકા તેમજ બીજા ડોઝ અંતર્ગત 84.5 ટકા સિદ્ધિ મેળવવામાં આવી છે. ગુજરાતને શ્રેષ્ઠ રસીકરણ અભિયાનનો વિજેતા એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે. આ સમીક્ષા બેઠકમાં કોરોનાના ત્રણેય વેવમાં રાજ્ય સરકારે આરોગ્ય સલામતિ માટે લીધેલા પગલાંઓ તથા આયુર્વેદ ઊકાળા, ઓક્સિજન પ્લાન્ટ, હોસ્પિટલોમાં ઓક્સિજન બેડ, ICU બેડ વગેરેની વિસ્તૃત વિગતો પણ આપવામાં આવી હતી.

મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, ડી.જી.પી આશિષ ભાટિયા, અધિક મુખ્ય સચિવ રાજકુમાર,મનોજ અગ્રવાલ તેમજ વરિષ્ઠ સચિવો આ વિડીયો કોન્ફરન્સ બેઠકમાં જોડાયા હતા.

આ પણ વાંચો :Surat : સુરત હાઇવે પર ટ્રાફિક અને અકસ્માત નિવારણ માટે બેઠક યોજાઇ, ટ્રાફિક નિયમન માટે પ્રેઝન્ટેશન કરાયું

આ પણ વાંચો :KGF Chapter 3 : સુપરસ્ટાર યશે તેની અપકમિંગ ફિલ્મ વિશે કહી આ વાત

Latest News Updates

આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
g clip-path="url(#clip0_868_265)">