અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાયા, કમલમ ખાતે સીઆર પાટીલના હસ્તે કેસરિયો ધારણ કર્યો
અશ્વિન કોટવાલ 2500થી વધુ આગેવાનો અને સમર્થકો સાથે ભાજપ કાર્યાલય કમલમ પહોંચ્યા હતા. જ્યાં ઢોલ વગાડતં વગાડતાં કમલમમાં પ્રવએશ કર્યો હતો. આ પ્રસંગે સાબરકાંઠાના સાંસદ, ધારાસભ્યો અને સ્થાનિક ભાજપના પદાધિકારીઓ પણ કમલમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાની ખેડબ્રહ્મા અનામત બેઠકના કોંગ્રેસ (Congress) ના ધારાસભ્ય અશ્વિન કોટવાલે (Ashvin kotwal) ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી ભાજપ (BJP) માં જોડાઈ ગયા છે. કમલમ ખાતે સમર્થકો સાથે આવી પહોંચેલા કોટવાલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરી વીધિવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. અશ્વિન કોટવાલ 2500થી વધુ આગેવાનો અને સમર્થકો સાથે ભાજપ કાર્યાલય કમલમ પહોંચ્યા હતા. જ્યાં ઢોલ વગાડતં વગાડતાં કમલમમાં પ્રવએશ કર્યો હતો. આ પ્રસંગે સાબરકાંઠાના સાંસદ, ધારાસભ્યો અને સ્થાનિક ભાજપના પદાધિકારીઓ પણ કમલમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
વિધાનસભાની ચૂંટણી પહેલાં ઉત્તર ગુજરાતના આદિવાસી પંથકમાં કોંગ્રેસને એક મોટો ફટકો પડ્યો છે. સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા અનામત બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે વિધાનસભાના અધ્યક્ષ ડૉ.નીમા આચાર્યને રાજીનામું સોંપી દીધું હતું.
યુવા અને લડાયક મિજાજના નેતા અશ્વિન કોટવાલનો ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર પંથકમાં દબદબો છે. અશ્વિન કોટવાલ બે ટર્મથી જંગી લીડથી ભાજપના રમીલા બારાને હરાવીને ચૂંટણીમાં જીત મેળવતા હતા. અશ્વિન કોટવાલે 2012માં 50 હજાર થી વધુ મતે વિધાનસભાની સામાન્ય ચુંટણી જીતી હતી. અશ્વિન કોટવાલ આમ તો સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યપ્રધાન અમરસિંહ ચૌધરીના નિકટ હતા. અમરસિંહ અને પોતાના પિતા લક્ષ્મણ કોટવાલના માર્ગદર્શન હેઠળ તેઓએ રાજકીય સૂઝબુઝના પાઠ શિખ્યા હતા. રાજકીય શરુઆત કોટવાલે 2005માં સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં ચુંટણી લડીને કરી હતી.
આ પહેલા તેમના પિતા જિલ્લા પંચાયતના સભ્ય અને સમિતિના ચેરમેન પદે હતા. અશ્વિન કોટવાલ જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા પદે આક્રમકતા અને લોકોના પ્રશ્નોને ઉકેલવા માટેની કૂનેહતા દર્શાવતા કોંગ્રેસે તેમને ખેડબ્રહ્મા બેઠકના ધારાસભ્યના ઉમેદવાર તરીકે 2007માં પસંદ કર્યા હતા.વર્ષ 2017માં પણ તેમણે ફરી થી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ખેડબ્રહ્મા બેઠક ને જીતી લીધી હતી. આમ સળંગ ત્રણવાર ધારાસભ્ય પદે ચુંટાયેલા અશ્વિન કોટવાલ હવે ભાજપના કેસરીયા ધારણ કરશે. અશ્વિન કોટવાલ વિધાનસભામાં વિપક્ષના નેતાનું પદ ન મળતા કોંગ્રેસથી નારાજ થયા હતા.
Tv9 Gujarati https://t.co/vtPg5bYhbo
— Tv9 Gujarati (@tv9gujarati) May 3, 2022
દિગ્ગજ આદીવાસી નેતા તેમજ સમાજ પર મજબૂત પકડ હોવા છતાં કેટલાક કોંગ્રેસી નેતાઓ તેમને કટ ટુ સાઈઝ કરવા માટે છેલ્લા દોઢ દાયકા થી પ્રયાસ કરી રહ્યા હતા. જેમની સામે કોટવાલે પક્ષમાં રહીને પક્ષના નેતાઓ સામે લડત આપવી પડી રહી હતી. 2012માં પણ તેમની ટીકીટ કાપવા માટે અથાગ પ્રયાસો પક્ષના જ નેતાઓએ કરી હોવાની રજૂઆત તેમણે મોવડી મંડળને કરી હતી. પરંતુ ટીકીટ મેળવીને 50 હજાર મતે જીત મેળવી હતી. કોંગ્રેસના દિગ્ગજ નેતા મધુસૂદન મિસ્ત્રી સાથે તેમની અણબન જગજાહેર છે અને તે બનેની લડાઈની આગમાં ઘી હોમવાનુ કાર્ય પણ કોંગ્રેસના જ કેટલાક કાર્યકરો અને આગેવાનો કરતા હોવાની રજૂઆત પણ તેઓ કરી ચુક્યા છે. સિનિયર હોવા છતાં વિપક્ષી નેતાની રેસમાંથી તેમને બહાર ગણવામાં આવતા તેમની નારાજગી વધી હતી અને તેનુ સમાધાન થઇ શક્યુ નહોતુ.