રાજ્યની 3 નગરપાલિકાઓ અને 1 મહાનગરપાલિકા માટે પાણી પુરવઠા યોજનાના 42.73 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી

આગામી 30 વર્ષની વસ્તીની પાણીની જરૂરિયાતના અંદાજોના આધારે રજૂ દરખાસ્તોને મંજૂરી, નલ સે જલ' અન્વયે 57 નગરપાલિકાઓ માટે અત્યાર સુધીમાં રૂ. 766 કરોડ પાણી પુરવઠાના કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ફાળવાયા

રાજ્યની 3 નગરપાલિકાઓ અને 1 મહાનગરપાલિકા માટે પાણી પુરવઠા યોજનાના 42.73 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી
Chief Minister Bhupendra Patel (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2022 | 6:39 PM

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ((Chief Minister Bhupendra Patel) એ રાજ્યના નગરોના નાગરિકોને પીવાનું પાણી પર્યાપ્ત માત્રામાં મળી રહે તેવા જનહિત અભિગમથી 3 નગરપાલિકા (Municipalitie) ઓ અને 1 મહાનગરપાલિકા (Municipal Corporation) માટે કુલ 42.73 કરોડ રૂપિયાના પાણી પુરવઠા યોજનાના કામો માટે એક જ દિવસમાં સિદ્ધાંતિક મંજૂરી આપી છે.

મુખ્યમંત્રીએ આ નગરોમાં આગામી 30 વર્ષ એટલે કે 2051-52ની વસ્તીની પાણી માટેની જરૂરિયાતના અંદાજોના આધારે શહેરી વિકાસ વિભાગે રજૂ કરેલી આ યોજનાઓની દરખાસ્તને સૈધાંતિક મંજૂરી આપી છે. ભુપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વિભાગ મારફતે મળેલી આ નગરપાલિકાઓની વિવિધ પાણી પુરવઠા કામોની દરખાસ્તને મંજૂરી આપતા હવે આ નગરપાલિકાઓમાં ફિલ્ટર પ્લાન્ટ, ભૂગર્ભ સંપ, ગ્રેવીટી મેઇન, રાઈઝિંગ મેઇન, પંપીંગ મશીનરી, પંપ રુમ અને નળ કનેક્શન વગેરે પાણી પુરવઠાના વિવિધ કામો સંબંધિત નગરપાલિકાઓ હાથ ધરશે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં મુખ્યમંત્રીએ જે 3 નગરપાલિકાઓ અને 1 મહાનગરપાલિકા માટે સમગ્રતયા રૂ. 42.73 કરોડ પાણી પુરવઠા યોજનાના કામો માટે ફાળવવાની મંજૂરી આપી છે તેમાં ઝાલોદ ને 14.16 કરોડ, ચલાલા માટે 3.40 કરોડ, માણસાને 4.32 અને જૂનાગઢ મહાનગરપાલિકાના ઝોન 3 માટે 2085 કરોડની રકમનો સમાવેશ થાય છે.

ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત

નગરો- મહાનગરોમાં વસતા નાગરિકોને નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી પુરવઠો મળી રહે તેવી પ્રતિબદ્ધતા સાથે નલ સે જલ અંતર્ગત રાજ્યની આ 3 નગરપાલિકાઓ સહિત કુલ 57 નગરપાલિકાઓ માટે અત્યાર સુધીમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંર્તગત 766 કરોડ રૂપિયા પાણી પુરવઠાના જુદા જુદા કામો માટે રાજ્ય સરકારે નગરપાલિકાઓ માટે મંજૂર કર્યા છે.

આજે મુખ્યમંત્રીએ 60 MLD ક્ષમતાના ફિલ્ટરેશન પ્લાન્ટની મુલાકાત લીધી હતી

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાધનપુર  ખાતે પાણી પુરવઠા વિભાગની રાધનપુર ગૃપ યોજના અંતર્ગત તૈયાર કરવામાં આવી રહેલા 60 એમ.એલ.ડી ક્ષમતાના ફિલ્ટરેશન પ્લાન્ટની મુલાકાત લીધી હતી. નર્મદા કેનાલ આધારિત બી.કે.3(પી-2) જૂથ યોજના અંતર્ગત તૈયાર કરવામાં આવી રહેલા ડબલ્યુ.ટી.પી., આર.સી.સી. સંપ સહિતની વ્યવસ્થાની કામગીરીની પ્રગતિ અંગે સમિક્ષા કરી પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યમંત્રી રાણકીવાવ અને મેઘમાયા મંદિરની પણ મુલાકાત લીધી

યુનેસ્કોએ જાહેર કરેલી વર્લ્ડ હેરિટેઝ  સાઇટમાં સ્થાન પામેલી વિશ્વ વિરાસત ગુજરાતની  પાટણની રાણ કી  વાવની મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે  મુલાકાત લીધી હતી. તેમણે આ રાણકી વાવ ના ઐતિહાસિક ભવ્ય વારસાની પ્રશંસા કરતા વિઝીટર બુકમાં લખ્યુ કે, આજે ઐતિહાસિક નજરાણું પાટણની રાણીની વાવને નિહાળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. મુખ્યમંત્રીએ પાટણ જિલ્લાની મુલાકાત દરમ્યાન નિર્માણાધિન વીર મેઘમાયા સ્મારકના પણ દર્શન કર્યા હતા. ગુજરાતની ઐતિહાસિક પુરાતન રાજધાની પાટણની પ્રજા, પશુ, પંખી અને પ્રકૃતિના જતન માટે પોતાના પ્રાણની આહૂતિ આપનાર મહાન શહીદ વીર મેઘમાયા મંદિર સ્મારકની આ મુલાકાત થી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કૃતજ્ઞતા અનુભવી હતી. ગુજરાતના ઈતિહાસમાં અજર અમર થયેલા સામાજિક સમરસતાના પ્રતિક મહાન શહીદ વીર મેઘમાયાના ભવ્ય બલિદાનને ઉજાગર કરવા માટે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીનાં આ ડ્રીમ પ્રોજેક્ટ અન્વયે આ ભવ્ય મંદિર અને અદ્યતન સ્મારક નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.

આ પણ વાંચોઃ રાજકોટ પોલીસ સામે વધુ એક આક્ષેપ, ક્રાઇમ બ્રાન્ચના PSI જેબલિયાનું નિવેદન લેવાયું

આ પણ વાંચોઃ Ahmedabad : ઓફલાઇન શાળા શરૂ થતા પૂર્વે દુકાનોમાં યુનિફોર્મની ખરીદી માટે વાલીઓની ભીડ

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">