AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આદિજાતિ વિકાસ પ્રધાન નરેશ પટેલની અધ્યક્ષતામાં આદિજાતિ પ્રમાણ પત્ર મામલે મહત્વની બેઠક યોજાઈ

આદિજાતિ વિકાસ પ્રધાન નરેશ પટેલની અધ્યક્ષતામાં આદિજાતિ પ્રમાણ પત્ર મામલે મહત્વની બેઠક યોજાઈ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 4:43 PM
Share

આ બેઠકમાં આદિજાતિ પ્રમાણ પત્ર મામલે ચર્ચા થઈ. સાથે જ પ્રમાણ પત્ર માટે 1 સપ્તાહમાં કમિટી બનાવવા નિર્ણય લેવાયો. સરકાર અને સમાજ બન્નેમાં કમિટીની રચના થશે અને આજની બેઠકમાં આવેલા સૂચનો પર ચર્ચા થશે.

GANDHINAGAR : ગાંધીનગરમાં સર્કિટ હાઉસ ખાતે કેબિનેટ પ્રધાન નરેશ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠક પૂર્ણ થઈ છે. બેઠકમાં આદિજાતિ પ્રમાણ પત્ર મામલે ચર્ચા થઈ. સાથે જ પ્રમાણ પત્ર માટે 1 સપ્તાહમાં કમિટી બનાવવા નિર્ણય લેવાયો. સરકાર અને સમાજ બન્નેમાં કમિટીની રચના થશે અને આજની બેઠકમાં આવેલા સૂચનો પર ચર્ચા થશે. બેઠકમાં સાચા આદિવાસી કોણ આ અંગે કેટલાક સૂચનો સરકારે સ્વીકાર્યા છે. સાથે જ છેલ્લું નોટિફિકેશન રદ નહીં થાય તેવી પણ સરકારે સ્પષ્ટતા કરી છે. આ મુદ્દે TV9એ આદિજાતિ વિકાસ પ્રધાન નરેશ પટેલ સાથે વાતચીત કરી હતી. તેમણે પણ કહ્યું કે, સાચા આદિવાસીને અન્યાય ન થાય તે માટે બેઠકમાં ચર્ચા કરાઈ છે.

આ બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ પણ હાજર રહ્યાં હતા. આદિવાસીઓને આદિજાતિ પ્રમાણપત્ર અંગે અશ્વિન કોટવાલે રોષ ઠાલવતા કહ્યું હતું કે સરકારે આદિવાસીઓને આદિજાતિના દાખલા માટે 7/12 નો ઉતારો અને પેઢીનામું ફરજિયાત કર્યું છે, આના માટે સ્ટેમ્પ સહીતના ખર્ચા પણ થાય છે, જે આ ગરીબ આદિવાસીઓને પોસાય તેમ નથી. જે પહેલેથી સાચા આદિવાસી છે તેમને આ બધા પપ્રમાણો રજૂ કરવાની જરૂર શું કામ પડે.

કોણ સાચા આદિવાસી અને કોણ ખોટા એ અંગે પ્રશ્ન પૂછવામાં આવતા ધારાસભ્ય અશ્વિન કોટવાલે કહ્યું કે સરકારના નવા આદિજાતિ વિકાસ પ્રધાન નરેશ પટેલને આ અંગે ઘણું જ્ઞાન છે અને એમણે આ મુદ્દે ઘણો અભ્યાસ પણ કર્યો છે. સાથે જ તેમણે કહ્યું કે નરેશ પટેલ પણ આ મુદ્દે સતત રજૂઆતો કરતા આવ્યાં છે. ધારાસભ્ય અશ્વિન કોટવાલે કહ્યું કે આદિજાતિ વિકાસ પ્રધાન નરેશ પટેલે કહ્યું છે કે તેમના વિભાગના અધિકારીઓને આ અંગે કાર્યવાહી કરવા જણાવશે.

આ પણ વાંચો : ગુજરાતમાં સેવા સેતુ કાર્યક્રમનો 16 લાખથી વધુ લોકોએ લાભ લીધો, પાંચ જાન્યુઆરી સુધી કાર્યક્રમ ચાલુ રહેશે

આ પણ વાંચો : નવસારી : બીલીમોરા નગરપાલિકામાં હદ વિસ્તરણનો વિવાદ વકર્યો, 6 ગામના લોકોના વિરોધ પ્રદર્શનો

g clip-path="url(#clip0_868_265)">