આદિજાતિ વિકાસ પ્રધાન નરેશ પટેલની અધ્યક્ષતામાં આદિજાતિ પ્રમાણ પત્ર મામલે મહત્વની બેઠક યોજાઈ

આ બેઠકમાં આદિજાતિ પ્રમાણ પત્ર મામલે ચર્ચા થઈ. સાથે જ પ્રમાણ પત્ર માટે 1 સપ્તાહમાં કમિટી બનાવવા નિર્ણય લેવાયો. સરકાર અને સમાજ બન્નેમાં કમિટીની રચના થશે અને આજની બેઠકમાં આવેલા સૂચનો પર ચર્ચા થશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 4:43 PM

GANDHINAGAR : ગાંધીનગરમાં સર્કિટ હાઉસ ખાતે કેબિનેટ પ્રધાન નરેશ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠક પૂર્ણ થઈ છે. બેઠકમાં આદિજાતિ પ્રમાણ પત્ર મામલે ચર્ચા થઈ. સાથે જ પ્રમાણ પત્ર માટે 1 સપ્તાહમાં કમિટી બનાવવા નિર્ણય લેવાયો. સરકાર અને સમાજ બન્નેમાં કમિટીની રચના થશે અને આજની બેઠકમાં આવેલા સૂચનો પર ચર્ચા થશે. બેઠકમાં સાચા આદિવાસી કોણ આ અંગે કેટલાક સૂચનો સરકારે સ્વીકાર્યા છે. સાથે જ છેલ્લું નોટિફિકેશન રદ નહીં થાય તેવી પણ સરકારે સ્પષ્ટતા કરી છે. આ મુદ્દે TV9એ આદિજાતિ વિકાસ પ્રધાન નરેશ પટેલ સાથે વાતચીત કરી હતી. તેમણે પણ કહ્યું કે, સાચા આદિવાસીને અન્યાય ન થાય તે માટે બેઠકમાં ચર્ચા કરાઈ છે.

આ બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ પણ હાજર રહ્યાં હતા. આદિવાસીઓને આદિજાતિ પ્રમાણપત્ર અંગે અશ્વિન કોટવાલે રોષ ઠાલવતા કહ્યું હતું કે સરકારે આદિવાસીઓને આદિજાતિના દાખલા માટે 7/12 નો ઉતારો અને પેઢીનામું ફરજિયાત કર્યું છે, આના માટે સ્ટેમ્પ સહીતના ખર્ચા પણ થાય છે, જે આ ગરીબ આદિવાસીઓને પોસાય તેમ નથી. જે પહેલેથી સાચા આદિવાસી છે તેમને આ બધા પપ્રમાણો રજૂ કરવાની જરૂર શું કામ પડે.

કોણ સાચા આદિવાસી અને કોણ ખોટા એ અંગે પ્રશ્ન પૂછવામાં આવતા ધારાસભ્ય અશ્વિન કોટવાલે કહ્યું કે સરકારના નવા આદિજાતિ વિકાસ પ્રધાન નરેશ પટેલને આ અંગે ઘણું જ્ઞાન છે અને એમણે આ મુદ્દે ઘણો અભ્યાસ પણ કર્યો છે. સાથે જ તેમણે કહ્યું કે નરેશ પટેલ પણ આ મુદ્દે સતત રજૂઆતો કરતા આવ્યાં છે. ધારાસભ્ય અશ્વિન કોટવાલે કહ્યું કે આદિજાતિ વિકાસ પ્રધાન નરેશ પટેલે કહ્યું છે કે તેમના વિભાગના અધિકારીઓને આ અંગે કાર્યવાહી કરવા જણાવશે.

આ પણ વાંચો : ગુજરાતમાં સેવા સેતુ કાર્યક્રમનો 16 લાખથી વધુ લોકોએ લાભ લીધો, પાંચ જાન્યુઆરી સુધી કાર્યક્રમ ચાલુ રહેશે

આ પણ વાંચો : નવસારી : બીલીમોરા નગરપાલિકામાં હદ વિસ્તરણનો વિવાદ વકર્યો, 6 ગામના લોકોના વિરોધ પ્રદર્શનો

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">