ગુજરાતમાં(Gujarat) કોરોનાના (Corona) કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં 09 ઓકટોબરના રોજ કોરોનાના નવા 88 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.08 ટકા થયો છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 716 થઈ છે. જ્યારે કોરોનાથી 78 દર્દીઓ સાજા થયા છે. જ્યારે કોરોનાના નવા કેસની સંખ્યાની વાત કરીએ તો સુરતમાં 26, અમદાવાદમાં 21,(Ahmedabad) વડોદરામાં 07, વડોદરા જિલ્લામાં 06, રાજકોટમાં 04, રાજકોટમાં 03, સુરત જિલ્લામાં 03, વલસાડમાં 03, બનાસકાંઠા 02, ગાંધીનગરમાં 02, કચ્છમાં 02, નવસારીમાં 02, પાટણમાં 02, સાબરકાંઠામાં 02, અમરેલીમાં 01, ભાવનગરમાં 01, અને મહેસાણામાં 01 કેસ નોંધાયો છે.ગુજરાતના છેલ્લા એક મહિનામાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. તેમજ કોરોના વેકસીનેશનની કામગીરી પણ પુર ઝડપે ચાલી રહી છે.જ્યારે ગુજરાતના અન્ય જિલ્લામાં આજે એક પણ કોરોના કેસ નોંધાયો નથી. જેના કારણે તંત્ર એ આજે રાહતનો શ્વાસ લીધો હતો. કોરોના મહામારીમાંથી ભારતને બહાર લાવવા માટે તંત્રના તમામ અધિકારીઓ અને કર્માચારીઓએ અગત્યનો ભાગ ભજવ્યો છે.
કોરોનાના કેસમાં વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.
આજથી લગભગ 15-16 દિવસ બાદ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. લોકો તેની તૈયારીઓમાં વ્યસ્ત છે. તહેવારોના આનંદ સાથે કોરોનાના નિયમોનું પાલન કરવુ પણ એટલુ જ જરુરી છે. નહીં તો કોરોના કેસ વધી પણ શકે છે. મહામારીના 2 વર્ષ બાદ કોઈ પણ પ્રકારના પ્રતિબંધ વગર આ તહેવાર ઉજવવામાં આવશે. એવા સમયે બેદકારી ભવિષ્યમાં ભારે પણ પડી શકે છે.
Published On - 8:34 pm, Sun, 9 October 22