AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સારા સમાચાર: દિવાળી સુધીમાં 3 લાખ કોલેજિયનોને મળશે ટેબ્લેટ, સરકારે આપ્યો ઓર્ડર

કોલેજ કરતા વિદ્યાર્થીઓ માટે આખરે સારા સમાચાર આવી ગયા છે. વર્ષ 2019-20 અને 2020-21 માં ટેબ્લેટથી વંચિત રહી ગયેલા 3 લાખ વિદ્યાર્થીઓને દિવાળી સુધીમાં ટેબ્લેટ મળી જશે.

સારા સમાચાર: દિવાળી સુધીમાં 3 લાખ કોલેજિયનોને મળશે ટેબ્લેટ, સરકારે આપ્યો ઓર્ડર
3 lakh collegians to get namo tablet before Diwali by gujarat sarkar
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 5:30 PM
Share

કોલેજ કરતા વિદ્યાર્થીઓ માટે આખરે સારા સમાચાર આવી ગયા છે. ખરેખરમાં ગુજરાત સરકાર યોજના અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપે છે. જે માત્ર એક હજાર રૂપિયામાં આપવામાં આવે છે. પરંતુ કોરોનાના કારણે વર્ષ 2019-20 ના અમુક વિદ્યાર્થીઓ આનાથી વંચિત રહી ગયા હતા. તે વર્ષના 72 હજાર વિદ્યાર્થીઓને હવે ટેબ્લેટ આપવામાં આવશે. સરકારે 3 લાખ ટેબ્લેટનો ઓર્ડર આપ્યો છે. જે અંતર્ગત દિવાળી પહેલા આ ટેબ્લેટ વિદ્યાર્થીઓને આપવામાં આવશે.

ખરેખરમાં વર્ષ 2019-20 માં જાન્યુઆરી સુધી દોઢ લાખ બાળકોને ટેબ્લેટ આપવામાં આવ્યા હતા. પરંતુ કોરોનાના કારણે 72 હજાર જેટલા બાળકો આ લાભથી વંચિત રહી ગયા હતા. બાદમાં સરકાર દ્વારા અપાતા આ ટેબ્લેટ ચાઈનાના હોવાનો વિવાદ સર્જાયો હતો. અને સરકારે ઓર્ડર કેન્સલ કર્યો હતો. સાથે જ વર્ષ 2020-21 મો કોલેજ પ્રવેશ લેનારા 2 લાખ 25 હજાર જેટલા વિદ્યાર્થી પણ આ ટેબ્લેટથી વંચિત છે. ત્યારે દિવાળી સુધી આ બંને વર્ષના દરેક લાભાર્થીને ટેબ્લેટ મળવાની સંભાવના છે.

મળેલી માહિતી મુજબ દિવાળી પહેલા કોલેજના બાળકોમાં આ ટેબ્લેટનું વિતરણ કરી દેવામાં આવશે. સૌપ્રથમ 2019-20 ના વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામા આવશે. જાણવા મળ્યું છે કે આ વિદ્યાર્થીઓમાં સૌથી વધુ GTU ની ટેકનિકલ કોલેજોના વિદ્યાર્થીઓ છે. મહત્વનું છે કે લાભથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષને બદલે અભ્યાસના ત્રીજા વર્ષે વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળશે. જો કે કોરોના લોકડાઉનમાં ઓનલાઈન શિક્ષણ સમયે જેની વધારે જરૂર હતી એ ટેબ્લેટ બાળકોને છેક હવે મળશે.

તમને જણાવી દઈએ કે ધોરણ 10 અને 12 પછી કોલેજમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજનામાં નોંધણી કરાવનાર વિદ્યાર્થીને માત્ર એક હજાર રૂપિયામાં ટેબ્લેટ આપવામાં આવે છે. જો કે આ ટેબ્લેટ ચાઈના કંપનીના હોવાના કારણે તેના પર વિવાદ પણ થયો હતો. જો કે કહેવાઈ રહ્યું છે કે હવે સરકારે ભારતીય કંપનીને ઓર્ડર આપ્યો છે.

આ પણ વાંચો: Sabarkantha: બે કાંઠે વહી હાથમતી નદી, ઉપરવાસમાં વરસાદથી નદીમાં આવેલા નવા નીર જોવા ઉમટયા લોકો

આ પણ વાંચો: ‘લિફ્ટની સાથે સીડીઓ પણ છે’: સોલા સિવિલમાં બંધ લિફ્ટ પર આરોગ્ય પ્રધાનનો જવાબ, જુઓ જનતાની સમસ્યાના શું આપ્યા જવાબ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">