AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar : PM Modi એ મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે હાઇ -લેવલ બેઠક યોજી, સ્થિતિની કરી સમીક્ષા

PM Modi એ મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે હાઇ -લેવલ બેઠક યોજી છે. જેમાં તેમણે સ્થિતિની સમીક્ષા કરી છે. આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિતના નેતા હાજર છે.

Gandhinagar : PM Modi એ મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે હાઇ -લેવલ બેઠક યોજી, સ્થિતિની કરી સમીક્ષા
PM Modi Meeting
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2022 | 10:12 PM
Share

PM Modi એ મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે હાઇ -લેવલ બેઠક યોજી છે. જેમાં તેમણે સ્થિતિની સમીક્ષા કરી છે. આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિતના નેતા હાજર છે.

મોરબીમાં સર્જાયેલી કરૂણાંતિકા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવતીકાલે મોરબીની મુલાકાતે પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 નવેમ્બરના રોજ બપોરે મોરબીની મુલાકાત લેવા માટે રવાના થશે. નોંધનીય છે કે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી  તારીખ 29  ઓક્ટોબરથી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે છે ત્યારે આજે તેમણે કેવડિયા  ખાતે સંબોધન  કરતા કહ્યું હતું કે  મારું મન મોરબી પીડિતોની સાથે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસમાં ભાગ લીધો. એકતા દિવસ પર તેમણે જણાવ્યુ હતુ કે, મોરબીમાં કેબલ બ્રિજ તૂટી પડવાની ઘટના અંગે મને ખૂબ દુખ છે. હું અહીં એકતા નગરમાં છું પણ મારું મન મોરબીના પીડિતો સાથે જોડાયેલું છે. હું દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. વડાપ્રધાને જણાવ્યુ કે આજે રાષ્ટ્રીય એકતા દિવસ આપણને દુઃખની આ ઘડીમાં એક થવા અને આપણી ફરજના પથ પર રહેવા માટે શોક આપે છે.

મોરબી બ્રિજ દુર્ઘટનામાં હાલ તપાસનો ધમધમાટ તીવ્ર ગતિએ ચાલી રહ્યો છે. જેમાં પોલીસે પૂછપરછ બાદ ચાર લોકોની ધરપકડ અને પાંચની અટકાયત કરી છે. જેમાં મહત્વનું છે કે, પુલના કોન્ટ્રાકટર, મેનેજર, સિક્યુરિટી, ટિકિટ કાપનાર સહિતના 8 લોકોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હતી. મોરબી બ્રિજ દુર્ઘટના બાદ પોલીસે ગઇકાલે જ એસઆઇટીની રચના કરી હતી

આ મામલે પોલીસકર્મી પ્રકાશભાઇ દેકાવાડીયાએ મોરબી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આઇપીસી એક્ટ સેક્સન 304, 308 અને 114 કલમોના આધારે ફરિયાદ થઇ છે. આ ફરિયાદમાં 1) ઝુલતો પુલ મેન્ટેનન્સ કરનાર એજન્સી 2) મેનેજમેન્ટ કરનાર એજન્સી 3) તપાસમાં ખુલે તે. આ પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ મુજબ પુલના સમારકામ બાદ પુલની ક્વોલિટી ચેક કર્યા વગર અને યોગ્ય કાળજી રાખ્યા વગર નિષ્કાળજી અને બેદરકારીનો મામલો સામે આવ્યો છે. ત્યારે હવે આ કરૂણાંતિકા મામલે નવું શું સામે આવે છે તે તપાસનો વિષય બન્યો છે. જેમાં પુલના સમારકામ કરતી એજન્સી, સમારકામનો કોન્ટ્રાક્ટ આપેલી કંપની અને તંત્રની નિષ્કાળજી જવાબદાર હોવાનો ઉલ્લેખ કરાયો છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">