AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar: પાટીદાર સમાજના અભિવાદન કાર્યક્રમમાં CM અને ભાજપના મોટા નેતાઓની હાજરી

ગાંધીનગર ખાતે તાજેતરમાં જ પાટીદાર સમાજ દ્વારા અભિવાદન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના અન્ય નેતાઓ જોવા મળ્યા.

Gandhinagar: પાટીદાર સમાજના અભિવાદન કાર્યક્રમમાં CM અને ભાજપના મોટા નેતાઓની હાજરી
Gandhinagar CM Bhupendra Patel and senior BJP leaders attended Patidar Samaj's greetings program
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2021 | 7:35 AM
Share

મુખ્યમંત્રી પદ સંભાળ્યા બાદ ભૂપેન્દ્ર પટેલે ઘણા મંદિરમાં આશીર્વાદ લીધા હતા. તેમજ ઘણા મોટા નેતાઓને પણ મળ્યા હતા. CM બન્યા બાદ તેઓએ તાજેતરમાં પાટીદાર સમાજ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં પણ ભાગ લીધો.

ગાંધીનગર ખાતે તાજેતરમાં જ પાટીદાર સમાજ દ્વારા અભિવાદન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોવા મળ્યા. CM ભૂપેન્દ્ર પટેલે આ અંગે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ પણ શેર કરી છે, અને તેમાં લખ્યું છે કે ‘સમાજની સૌ જનતાનો અપાર સ્નેહ અને લાગણી પ્રગટ કરવા બદલ આભાર વ્યક્ત કરું છું.’

આ કાર્યકરમમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ,પૂર્વ મંત્રી, ધારાસભ્યો,પાટીદાર સમાજના રાજકીય, સામાજીક અને ધાર્મિક આગેવાનો અને મોટી સંખ્યામાં સમાજના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.

એક તરફ ગાંધીનગર મનપાની ચૂંટણી પણ માથે છે. તેમજ મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલની પાટીદાર આગેવાનો સાથે બેઠકો પણ તેજ બની છે. આવામાં ગાંધીનગર ખાતે યોજાયેલો આ કાર્યક્રમ માનપાની ચૂંટણીમાં કેટલો અસર કરે છે એટલો સમું જ બતાવશે. જોવું રહ્યું કે આ બેઠકો અને ભૂપેન્દ્ર પટેલનું નામ ભાજપને પાટીદાર મતોને લઈને કેટલું ફળે છે.

જાહેર છે કે પાટીદાર નેતાને ફરી ભાજપે કમાન સોંપી છે. ત્યારે મિશન 2022 માટે ફરી એકવાર પાટીદાર પર મદાર રાખવામાં આવ્યો છે. કડવા પાટીદાર સમાજનાં છે ભૂપેન્દ્ર પટેલ અને ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી છે ધારાસભ્ય. AMCના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ આનંદીબહેન પટેલના માનીતા છે. ભૂપેન્દ્ર પટેલ. 2017માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા અને ઘાટલોડિયામાં સૌથી વધુ લીડ સાથે તેમણે જીત મેળવી હતી. અને હવે CM પદ પર બિરાજમાન છે. ત્યારે જોવું એ રહ્યું કે પાટીદાર સમાજના મતોને જાળવી રાખવામાં ભાજપનું આ પગલું કેટલું સફળ રહે છે.

આ પણ વાંચો: AMC એક્શનમાં: સપ્ટેમ્બર મહિનામાં રખડતા ઢોર મામલે 80 FIR, 202 નોટિસ અને આટલા લાખનો દંડ, જાણો

આ પણ વાંચો: Ahmedabad: કેવી રીતે થયો સોમલલિત કોલેજના વિદ્યાર્થીઓનો ડેટા લીક? 200 વિદ્યાર્થીઓને ABVP નો મેસેજ આવતા વિવાદ

દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
g clip-path="url(#clip0_868_265)">