AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં રહેલો પૂર્વ પાકિસ્તાની યુવક પહેલીવાર કરશે મતદાન

સામાન્ય રીતે 18 વર્ષની ઉંમર થયા પછી દેશનો કોઈ પણ નાગરિક પહેલી વાર મતદાન કરતો હોય છે.પરંતુ અમદાવાદમાં એવા પણ વ્યક્તિ છે જે 38 વર્ષની ઉંમરે પહેલી વાર મતદાન કરશે. અમદાવાદના સંતોષ નેનવાણીની ઉંમર 38 વર્ષ છે પણ તેમને આજ સુધી ક્યારેય ભારતમાં મતદાન કર્યુ નથી. સંતોષ નેનવાણી વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં પહેલી વાર મતદાન […]

અમદાવાદમાં રહેલો પૂર્વ પાકિસ્તાની યુવક પહેલીવાર કરશે મતદાન
સંતોષ નેનવાણી પાકિસ્તાનમાં
Follow Us:
Pratik jadav
| Edited By: | Updated on: Mar 31, 2019 | 10:54 AM

સામાન્ય રીતે 18 વર્ષની ઉંમર થયા પછી દેશનો કોઈ પણ નાગરિક પહેલી વાર મતદાન કરતો હોય છે.પરંતુ અમદાવાદમાં એવા પણ વ્યક્તિ છે જે 38 વર્ષની ઉંમરે પહેલી વાર મતદાન કરશે.

અમદાવાદના સંતોષ નેનવાણીની ઉંમર 38 વર્ષ છે પણ તેમને આજ સુધી ક્યારેય ભારતમાં મતદાન કર્યુ નથી. સંતોષ નેનવાણી વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં પહેલી વાર મતદાન કરવાના છે. આમ તો 18 વર્ષ પછી કોઈપણ વ્યક્તિ મતદાન કરી શકે છે પણ સંતોષ નેનવાણી 38 વર્ષ પછી પહેલી વાર મતદાન કરવા જઈ રહ્યા છે અને તેનું કારણ છે ભારતીય નાગરિકતા.

TV9 Gujarati

પત્નીએ બોલિવુડમાં આપી છે હિટ ફિલ્મો, આવો છે પરિવાર
શનિ જયંતિ પહેલા સૂર્યનું નક્ષત્ર બદલાશે, આ 3 રાશિઓનું ભાગ્ય ચમકશે
વામિકા ગબ્બીના પરિવાર વિશે જાણો
શિવાંગી જોષીની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો
એક રિચાર્જમાં ચાલશે 9 લોકોના ફોન ! આ કંપનીએ કરી જાહેરાત
Insta પર નથી મળી રહ્યા વ્યૂઝ..તો અજમાવો આ ટ્રિક

તાજેતરમાં જ સંતોષ નેનવાણીને ભારતીય નાગરિક્તા મળી છે. જેને લઈને હવે તે ભારતમાં યોજાનારી ચૂંટણીમાં મતદાન કરી શકશે. વર્ષ 2005માં સંતોષ નેનવાણી પાકિસ્તાનનું નાગરિત્વ છોડીને ભારતમાં આવી ગયા હતા. છેલ્લા 19 વર્ષથી ભારતમાં રહેવા છતાં તેમની પાસે ભારતીય નાગરિત્વ ન હોવાના કારણે સંતોષ નેનવાણી ભારતમાં યોજાનારી ચૂંટણીમાં મતદાન કરી શકતા નહોતા.

પાકિસ્તાનમાં હિન્દુ અને અલ્પસંખ્યકોને કરવામાં આવતી હેરાનગતિ અને તેમના પર ગુજારવામાં આવતા ત્રાસના સાક્ષી સંતોષ નેનવાણી છે. હિન્દુઓ સાથે કરવામાં આવતી મારમારી, લૂંટફાટ અને બહેન દિકરીઓને થતી હેરાનગતિથી કંટાળેલા સંતોષ નેનવાણી અને તેમના પરિવારે પાકિસ્તાનનું નાગરિત્વ છોડવાનું નક્કી કરી લીધુ હતુ.

પરંતુ સંતોષ નેનવાણીના પિતા બેંક ઓફ પાકિસ્તાનમાં સરકારી કર્મચારી તરીકે નોકરી કરતા હોવાના કારણે તેમના પિતાને ભારતના વિઝા નહોતા મળતા. આ જ કારણથી વર્ષ 2005માં સંતોષ નેનવાણી અને તેમના માતા પાકિસ્તાનનું નાગરિત્વ છોડીને ભારત આવીને વસ્યા હતા. 10 વર્ષ સુધી રેફ્યુઝી તરીકે ગુજરાતમાં રહ્યા પછી વર્ષ 2015માં સંતોષ નેનવાણીએ ભારતીય નાગરિત્વ મેળવવા માટે અરજી કરી અને આખરે વર્ષ 2018માં તેમને ભારતીય નાગરિત્વ મળી ગયુ.

તાજેતરમાં જ અમદાવાદ વહીવટી તંત્ર દ્વારા 81 નાગરિકો જે સિંધ પ્રાંત પાકિસ્તાનથી સ્થળાંતર કરીને અમદાવાદમાં વસ્યા છે. તેમને ભારતનું નાગરિત્વ આપવામાં આવ્યું છે. તેમાંના એક છે સંતોષ નેનવાણી. જે પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો પર થતા અત્યાચારથી કંટાળીને પાકિસ્તાન છોડીને ભારતમાં આવ્યા હતા. આજે ભારતનું નાગરિત્વ મળી જતા તે ખુશ છે અને પહેલી વાર વોટ કરતા તે આનંદની લાગણી અનુભવી રહ્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

સુરેન્દ્રનગરમાં વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી
સુરેન્દ્રનગરમાં વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી
રેસકોર્સ વિસ્તારમાં મહાકાય હોર્ડિંગ ધરાશાયી
રેસકોર્સ વિસ્તારમાં મહાકાય હોર્ડિંગ ધરાશાયી
પાલનપુરમાં કોરોનાનો કેસ નોંધાતા હડકંપ
પાલનપુરમાં કોરોનાનો કેસ નોંધાતા હડકંપ
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓથી સાવધાન રહે, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓથી સાવધાન રહે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ભારે માવઠાની આગાહી, જાણો ક્યાં અને ક્યારે વરસશે વરસાદ
ગુજરાતમાં ભારે માવઠાની આગાહી, જાણો ક્યાં અને ક્યારે વરસશે વરસાદ
રાજકોટ પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના ઉભા પાકને નુકસાનીની ભીતિ- Video
રાજકોટ પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના ઉભા પાકને નુકસાનીની ભીતિ- Video
માવઠાને કારણે થયેલા પાક નુકસાનીનો કરાશે સર્વે- રાઘવજી પટેલ
માવઠાને કારણે થયેલા પાક નુકસાનીનો કરાશે સર્વે- રાઘવજી પટેલ
કાર્બાઈડથી ફળો પકવનારા સામે FSSAI કરશે દંડનિય કાર્યવાહી- Video
કાર્બાઈડથી ફળો પકવનારા સામે FSSAI કરશે દંડનિય કાર્યવાહી- Video
Breaking News: 32 વર્ષ બાદ ગુજરાતના દાહોદમાં ફરી દેખાયો વાઘ -જુઓ Video
Breaking News: 32 વર્ષ બાદ ગુજરાતના દાહોદમાં ફરી દેખાયો વાઘ -જુઓ Video
CM ભૂપેન્દ્ર પટેલે કંટ્રોલરુમ 24 કલાક કાર્યરત રાખવા આપી સૂચના
CM ભૂપેન્દ્ર પટેલે કંટ્રોલરુમ 24 કલાક કાર્યરત રાખવા આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">