AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં રહેલો પૂર્વ પાકિસ્તાની યુવક પહેલીવાર કરશે મતદાન

સામાન્ય રીતે 18 વર્ષની ઉંમર થયા પછી દેશનો કોઈ પણ નાગરિક પહેલી વાર મતદાન કરતો હોય છે.પરંતુ અમદાવાદમાં એવા પણ વ્યક્તિ છે જે 38 વર્ષની ઉંમરે પહેલી વાર મતદાન કરશે. અમદાવાદના સંતોષ નેનવાણીની ઉંમર 38 વર્ષ છે પણ તેમને આજ સુધી ક્યારેય ભારતમાં મતદાન કર્યુ નથી. સંતોષ નેનવાણી વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં પહેલી વાર મતદાન […]

અમદાવાદમાં રહેલો પૂર્વ પાકિસ્તાની યુવક પહેલીવાર કરશે મતદાન
સંતોષ નેનવાણી પાકિસ્તાનમાં
Pratik jadav
| Edited By: | Updated on: Mar 31, 2019 | 10:54 AM
Share

સામાન્ય રીતે 18 વર્ષની ઉંમર થયા પછી દેશનો કોઈ પણ નાગરિક પહેલી વાર મતદાન કરતો હોય છે.પરંતુ અમદાવાદમાં એવા પણ વ્યક્તિ છે જે 38 વર્ષની ઉંમરે પહેલી વાર મતદાન કરશે.

અમદાવાદના સંતોષ નેનવાણીની ઉંમર 38 વર્ષ છે પણ તેમને આજ સુધી ક્યારેય ભારતમાં મતદાન કર્યુ નથી. સંતોષ નેનવાણી વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં પહેલી વાર મતદાન કરવાના છે. આમ તો 18 વર્ષ પછી કોઈપણ વ્યક્તિ મતદાન કરી શકે છે પણ સંતોષ નેનવાણી 38 વર્ષ પછી પહેલી વાર મતદાન કરવા જઈ રહ્યા છે અને તેનું કારણ છે ભારતીય નાગરિકતા.

તાજેતરમાં જ સંતોષ નેનવાણીને ભારતીય નાગરિક્તા મળી છે. જેને લઈને હવે તે ભારતમાં યોજાનારી ચૂંટણીમાં મતદાન કરી શકશે. વર્ષ 2005માં સંતોષ નેનવાણી પાકિસ્તાનનું નાગરિત્વ છોડીને ભારતમાં આવી ગયા હતા. છેલ્લા 19 વર્ષથી ભારતમાં રહેવા છતાં તેમની પાસે ભારતીય નાગરિત્વ ન હોવાના કારણે સંતોષ નેનવાણી ભારતમાં યોજાનારી ચૂંટણીમાં મતદાન કરી શકતા નહોતા.

પાકિસ્તાનમાં હિન્દુ અને અલ્પસંખ્યકોને કરવામાં આવતી હેરાનગતિ અને તેમના પર ગુજારવામાં આવતા ત્રાસના સાક્ષી સંતોષ નેનવાણી છે. હિન્દુઓ સાથે કરવામાં આવતી મારમારી, લૂંટફાટ અને બહેન દિકરીઓને થતી હેરાનગતિથી કંટાળેલા સંતોષ નેનવાણી અને તેમના પરિવારે પાકિસ્તાનનું નાગરિત્વ છોડવાનું નક્કી કરી લીધુ હતુ.

પરંતુ સંતોષ નેનવાણીના પિતા બેંક ઓફ પાકિસ્તાનમાં સરકારી કર્મચારી તરીકે નોકરી કરતા હોવાના કારણે તેમના પિતાને ભારતના વિઝા નહોતા મળતા. આ જ કારણથી વર્ષ 2005માં સંતોષ નેનવાણી અને તેમના માતા પાકિસ્તાનનું નાગરિત્વ છોડીને ભારત આવીને વસ્યા હતા. 10 વર્ષ સુધી રેફ્યુઝી તરીકે ગુજરાતમાં રહ્યા પછી વર્ષ 2015માં સંતોષ નેનવાણીએ ભારતીય નાગરિત્વ મેળવવા માટે અરજી કરી અને આખરે વર્ષ 2018માં તેમને ભારતીય નાગરિત્વ મળી ગયુ.

તાજેતરમાં જ અમદાવાદ વહીવટી તંત્ર દ્વારા 81 નાગરિકો જે સિંધ પ્રાંત પાકિસ્તાનથી સ્થળાંતર કરીને અમદાવાદમાં વસ્યા છે. તેમને ભારતનું નાગરિત્વ આપવામાં આવ્યું છે. તેમાંના એક છે સંતોષ નેનવાણી. જે પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો પર થતા અત્યાચારથી કંટાળીને પાકિસ્તાન છોડીને ભારતમાં આવ્યા હતા. આજે ભારતનું નાગરિત્વ મળી જતા તે ખુશ છે અને પહેલી વાર વોટ કરતા તે આનંદની લાગણી અનુભવી રહ્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">