દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી પર પોરબંદરના કિર્તી મંદિરમાં પ્રાર્થનાસભા યોજાઈ હતી. ત્યારબાદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ‘બાપુ’ને શ્રદ્ધાજંલી આપતા કહ્યું કે ગાંધી વ્યક્તિ નહી એક વિચાર હતા. તેમનું જીવન ઉચ્ચ આદર્શ અને મૂલ્ય સાથે જોડાયેલું હતું. સત્ય અહિંસા સહિતની વાતો રાજનેતા અને સંત તરીકે પોતાનું જીવન દેશ માટે સમર્પિત કર્યુ હતું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મુખ્યાપ્રધાન રૂપાણીએ વધુમાં જણાવ્યું કે બાપુને ખબર હતી કે દેશ આઝાદ થશે. આઝાદી પછી એવી ચેતના જગાવી જેમાં ભારત શક્તિશાળી ભારત બને તે માટે સામાજિક પરિવર્તન તરફ લોકોને વાળ્યા. આજે પણ દુનિયાને ગાંધીના વિચારની આવશ્યકતા છે. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી સાથે અન્યાય થયો ત્યારથી તેમના જીવનમાં મોટો ટર્નિગ પોઈન્ટ આવ્યો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો