સુરેન્દ્રનગર: ઉમિયા નદી પરનો કોઝવે 1 વર્ષથી બિસ્માર હાલતમાં, 10થી વધુ ગામોના લોકોને પડી રહી છે હાલાકી
સુરેન્દ્રનગરમાં લખતર તાલુકાના ઉમિયા નદી પરના બિસ્માર કોઝવેના કારણે 10થી વધુ ગામોના લોકોને ભારે હાલાકી પડી રહી છે. લીલાપુરથી વિરમગામ અને પાટડી તાલુકાને જોડતો ઉમિયા નદી પરનો કોઝવે છેલ્લા 1 વર્ષથી બિસ્માર હાલતમાં છે. જેના કારણે વિરમગામ, પાટડી, ઢાંકી, ઇંગરોળી અને કારેલા સહિત 10 ગામના લોકોને હાલાકી પડી રહી છે. આજુબાજુના ગ્રામજનોએ અનેક વખત રજૂઆતો […]
સુરેન્દ્રનગરમાં લખતર તાલુકાના ઉમિયા નદી પરના બિસ્માર કોઝવેના કારણે 10થી વધુ ગામોના લોકોને ભારે હાલાકી પડી રહી છે. લીલાપુરથી વિરમગામ અને પાટડી તાલુકાને જોડતો ઉમિયા નદી પરનો કોઝવે છેલ્લા 1 વર્ષથી બિસ્માર હાલતમાં છે. જેના કારણે વિરમગામ, પાટડી, ઢાંકી, ઇંગરોળી અને કારેલા સહિત 10 ગામના લોકોને હાલાકી પડી રહી છે. આજુબાજુના ગ્રામજનોએ અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું. જો તાત્કાલિક કોઝવેનું સમારકામ કરવામાં નહીં આવે તો કોઇ ગંભીર અકસ્માત થવાની ભીતિ સેવાઇ રહી છે. જેને લઇને ગ્રામજનોએ અલ્ટીમેટમ આપી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચો: રાજકોટ: ખેડૂતોને લૂંટી રહી છે લેભાગુ કંપનીઓ, બિયારણ, જંતુનાશક દવા અને ખાતરના 27 નમૂનાઓ ફેઇલ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો